ગુજરાત

gujarat

લદ્દાખ મામલે બોલ્યા પૂર્વ પીએમ- સમયના પડકારનો સામનો કરે પીએમ મોદી

By

Published : Jun 22, 2020, 12:14 PM IST

પૂર્વ પીએમ મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે, જવાનોનું બલિદાન વ્યર્થ જવું જોઈએ નહીં. તેમણે જણાવ્યું કે, આ સમય સમગ્ર રાષ્ટ્રએ એક થવાનો છે અને સંગઠિત થઈને આ દુસાહસનો જવાબ આપવો જોઈએ.

etv bharat
etv bharat

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને રક્ષા મંત્રાલય લદ્દાખમાં ચીની અથડામણને લઈને સતત સવાલોનો સામનો કરી રહ્યા છે. પૂર્વ પીએમ મનમોહન સિંહે પણ એક પત્ર લખીને કહ્યું કે, આપણે કર્નલ બી. સંતોષ બાબૂ અને આપણા જવાનો માટે ન્યાય સુનિશ્ચિત કરવાની માગ કરીએ છીએ.

મનમોહન સિંહનો પત્ર

મનમોહન સિંહે જવાનોને ન્યાય આપવા માટે વડાપ્રધાન અને સરકારને આહ્વાન કરતા લખ્યું કે, જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. દેશની અંખડતાનો બચાવ કર્યો છે. મનમોહન સિંહે પત્ર લખ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ડૉ મનમોહન સિંહની સલાહ પર ધ્યાન આપવું જોઈએ.

આપને જણાવી દઈએ કે, ગલવાન ખીણમાં 15-16 જૂન દરમિયાન બંન્ને દેશોના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક કર્નલ સહિત 20 જવાનો શહીદ થાય હતા.

અમેરિકાની જાસુસી એજન્સી અનુસાર ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં ચીની સેનાના એક કર્નલ સહિત 35 સૈનિકો માર્યા ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details