ગુજરાત

gujarat

By

Published : Oct 1, 2019, 9:38 PM IST

Updated : Oct 3, 2019, 8:14 AM IST

ETV Bharat / bharat

ઇટીવી ભારતની પહેલને PM મોદી સહિત મહાનુભાવોએ ટ્વીટ કરીને બિરદાવી

ન્યૂઝ ડેસ્કઃ દેશ મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, ઇટીવી ભારત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જનથી તેણી રે કહિયે, જે પીડ પરાઇ જાને રે, પર દુખે ઉપકાર કરે તોયે મન અભીમન ના આને રે”  દ્વારા દેશને જોડવાના પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રસંગે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે આ ગીતને રિલીઝ કર્યું હતું. જે બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ અને અનેક મહાનુભાવોએ રિ-ટ્વીટ કરીને ઈ ટીવી ભારતની આ અનોખી શ્રદ્ધાંજલિની બિરદાવી હતી.

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ઇટીવી ભારતની આ પહેલને ટ્વીટ કરીને બિરદાવી

મહત્વનું છે કે, સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઇટીવી ભારત દ્વારા “વૈષ્ણવ જનથી તેણી રે કહિયે" ગીતને રિલીઝ કરીને સમગ્ર દેશમાં શાંતિ અને એક્તાનો સંદેશો ફેલાવવાના પ્રયત્નો કર્યા છે, ત્યારે આ વાતને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પણ આવકારી હતી અને રિ-ટ્વીટ કરીને આ વાત વિશે શુભેચ્છા પાઠવી હતી. જે બાદ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને ઇટીવી ભારતને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ઈટીવી ભારતની પ્રશંસા કરતા લખ્યું હતું કે, પૂજ્ય બાપુના પ્રિય ભજનની અનોખી રજૂઆત માટે ઈ ટીવી ભારતને હાર્દિક અભિનંદન. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત અભિયાનમાં જાગૃતિ લાવવા માટે મીડિયા જગતનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. હવે દેશમાં સિંગલ યૂઝ પ્લોસ્ટિકથી મુક્ત કરવાનો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીનું ટ્વીટ

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ ટ્વીટ કરીને ઈટીવી ભારતની પ્રશંસા કરી હતી.

આલોક મહેતાએ કરેલુ ટ્વિટ

RJD સાંસદ આલોક કુમાર સાંસદે કરી પ્રશંસા

સતીષ ઉપાધ્યાયે કરેલુ ટ્વિટ

BJP કાર્યકર્તા સતીષ ઉપાધ્યાયે ETV BHARATની કરી પ્રશંસા

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયનું ટ્વિટ

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયને ETV BHARATની કરી હતી

Last Updated : Oct 3, 2019, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details