ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ન્યૂઝીલેન્ડ મસ્જિદ હુમલામાં નવસારીના યુવાનનું મોત

નવસારીઃ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં મૂળ નવસારીના અડદા ગામના વતની અને ન્યુઝીલેન્ડમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા મુસ્લિમ કારા પરિવારના યુવાનનું આંતકી હુમલામાં મોત થયું હતું.

By

Published : Mar 16, 2019, 12:26 PM IST

સ્પોટ ફોટો

ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલામાં બાદ 9 જેટલા ભારતીયો ગુમ થયા હોવાની માહિતી મળી છે. આ હુમલામાં 49 નિર્દોષ લોકોના મોત અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક ગુજરાતના નવસારીનો યુવાનનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો ઝુમ્માંની નમાજ અદા કરતા હતા. તે સમયે એક આંતકીએ હુમલો કરી ઘટનાને અંજામ આપી હતી.

ઇકબાલ કારા (શાહિદના કાકા)

જો કે આ ઘટના બાદ ન્યૂઝીલેન્ડ પોલીસે 4 પુરૂષો અને એક શંકાસ્પદ મહિલાની ધરપકડ કરીને આગળની તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details