ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોણ છે આ ડૉક્ટર ભાર્ગવ, જેણે જીવીએલ પર બૂટ ફેંક્યું હતું

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર બૂટ ફેંકનારો શખ્સ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી છે. તે ત્યાં જ પોતાનું ક્લિનીક ચલાવે છે. તેનો દાવો છે કે, તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હંમેશા અવાજ ઉઠાવતો રહે છે.

By

Published : Apr 18, 2019, 4:33 PM IST

file

આ એજ વ્યકિત છે જેના પર પોતાની આવક છૂપાવવાનો પણ આરોપ લાગેલો છે. તેણે 11 કરોડથી પણ વધારે કિંમતનું મકાન ખરીદ્યું છે. જેને લઈ તેના ઘરે દરોડા પણ પાડવામાં આવ્યા હતા. પણ તેના તરફથી કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.

આજે અચાનક જ તેને પ્રેસ કોન્ફરંસમાં બૂટ ફેક્યું હતું ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

કોણ છે આ શક્તિ ભાર્ગવ
શક્તિ ભાર્ગવની ફેસબુક ટાઈમલાઈન પરથી જાણવા મળ્યું છે કે, તે સતત ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહ્યો હોવાનો દાવો કરી રહ્યો છે. તેણે પોતાની પત્ની સાથેનો ફોટો પ્રોફાઈલમાં રાખેલો છે.

ABOUT THE AUTHOR

...view details