ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસી નેતા ખડગેને કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવો તો ખુશી થશે: ભાજપ સાંસદ

બેંગ્લોર: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ દ્વારા બળવાખોર ધારાસભ્યને સમજાવવા ગઠબંધનના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના એક સાંસદે CM પદને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેઓેએ કહ્યું કે, જો હરીફ વિરોધી મલ્લિકાઅર્જુન ખડગેને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો મને વધારે ખુશી મળશે.

By

Published : Jul 14, 2019, 10:47 AM IST

BJP સાંસદે કહ્યું, કોંગી નેતા ખડગેને CM બનાવવાથી વધુ ખુશી મળશે

ભાજપા સાંસદ ઉમેશ જાધવે જણાવ્યું કે, " હું તેનું સ્વાગત કરીશ. જો એક દલિત વ્યક્તિને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તેમાં તો મને સૌથી વધારે ખુશી મળશે.

જાધવે જ લોકસભા ચૂંટણીમાં ખડગેને ગુલબર્ગા બેઠક પરથી હરાવ્યાં હતાં.

તેનું નિવેદન સતાધારી ગઠબંધનના 16 નારાજ ધારાસભ્યોના રાજીનામા પછી રાજ્યમાં થયેલા રાજકીય ખળભળાટ વચ્ચે જ આવ્યું હતું. એવી અટકળો વહેતી થઇ છે કે બાગી ધારાસભ્યોમાં આ સંકટને ઉકેલવા માટે એચ.ડી. કુમારસ્વામી સિવાય કોઈ બીજાને મુખ્યપ્રધાન તરીકે જોવા ઈચ્છતા નથી.

કોંગ્રેસના દલિત નેતાઓનો એક વર્ગ એ વાત પર તાકાત અજમાવી રહ્યો છે કે, તેમના માંથી કોઈ એક મુખ્યપ્રધાન બને.

જાધવ પહેલાથી જ કોંગ્રસેમાં હતા અને પછી તે પાછળથી ભાજપામાં સામેલ થયા હતાં.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details