ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જો મોદી સરકાર ફરી બનશે તો અમિત શાહ હશે ગૃહપ્રધાન: કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગોવામાં એક રેલી અંતર્ગત કહ્યું હતું કે, જો મોદી સરકાર ફરી સત્તામાં આવશે તો અમિત શાહ ગૃહમંત્રી બની જશે. જો અમિત શાહ ગૃહમંત્રી બન્યા તો ભારતમાં જૂથ અથડામણ સામાન્ય બાબત બની જશે.

By

Published : Apr 14, 2019, 3:04 PM IST

aap

કેજરીવાલે અમિત શાહના આ નિવેદનનો પણ વિરોધ કર્યો હતો કે જેમાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે તો દેશમાં ઘૂષણખોરોને હાંકી કાઢવામાં આવશે. તેમણે આ વાતનો વિરોધ કરતા કહ્યું કે, અમિત શાહને તેની વાત કરી રહ્યા છે જેની રાજ્યમાં સાડા 10 લાખ વસ્તીના એક તૃત્રિયાંશ છે.

કેજરીવાલે એમ પણ કહ્યું કે, અમિત શાહની આ છેલ્લી ચૂંટણી હશે, ત્યાર બાદ તેઓ ચૂંટણી નહીં લડે. જો તેઓ ગૃહમંત્રી બન્યા તો દેશમાં મોબ લીન્ચિંગની ઘટનાઓમાં ખૂબ વધારો થશે. અમિત શાહે આપેલા નિવેદનોને કેજરીવાલે દેશમાં ખતરનાક ગણાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details