ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેગૂસરાય સીટ પર રહેશે સૌ કોઈની નજર, કનૈયા કુમાર CPIમાંથી લડશે ચૂંટણી

નવી દિલ્હી: બિહારના બેગૂસરાયમાંથી સીપીઆઈની ટિકીટ પરથી JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર લોકસભા ચૂંટણી લડશે. કનૈયા કુમાર બિહારના બેગૂસરાયમાંથી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહની સામે ટક્કર આપશે.

By

Published : Mar 24, 2019, 2:35 PM IST

કનૈયા કુમાર

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર 2019ની લોકસભા ચૂંટણી બિહારમાંથી લડશે. કનૈયા કુમાર CPIની ટિકીટપરથી લડશે. જ્યાં ગિરિરાજ સિંહ સામે ટક્કર આપશે.

આપને જણાવી દઈએ કે, કનૈયા કુમારને મહાગઠબંધને ભલે બેગૂસરાયમાં સમર્થન ન આપ્યું હોય પણ સીપીઆઈએ આ બેઠક પરથી લીલીઝંડી આપી દીધી છે. કનૈયા કુમારની દાવેદારી આ બેઠક પર હવે હાઈપ્રોફાઈલ ટક્કર થશે તથા આ સીટ પર દિલચસ્પ સ્પર્ધા થશે. કારણ કે, અહીંયા હવે ત્રિપાંખીયો જંગ થવાની સંભાવના છે. કારણ કે, ભાજપમાંથી ફાયર બ્રાંન્ડ નેતા ગિરિરાજ સિંહ હશે તો બીજી બાજું જનતા દળમાંથી તનવીર હસન હશે અને સામે કનૈયા કુમાર હશે. તેથી આ બેઠક પર સૌ કોઈની નજર રહેવાની છે કે કોણ બાજી મારશે.

ABOUT THE AUTHOR

...view details