ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય રાજકારણીઓ કે જેમનું કોરોનાના કારણે મૃત્યુ થયું

કોરોનાએ કોઈને બાકી નથી રાખ્યા. ભારતીય રાજનીતિના અનેક મોટા નેતાઓએ પણ કોરોનાનો ભોગ બનવું પડ્યું છે. અનેક મોટા નેતાઓનું કોરોનાના કારણે મોત પણ થઈ ચૂક્યા છે. આવો જાણીએ, કયા પક્ષના કયા નેતાનું કોરોનાના કારણે મોત થયું....

By

Published : Dec 8, 2020, 12:06 PM IST

ભારતીય રાજકારણીઓ કે જેમનું કોરોનાના કારણે મૃત્યુ થયું
ભારતીય રાજકારણીઓ કે જેમનું કોરોનાના કારણે મૃત્યુ થયું

  • કોરોનાના કારણે અનેક મોટા નેતાઓના થયા મોત
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું પણ કોરોનાથી મોત થયું હતું
  • અનેક નિદાન બાદ પણ ના બચી શક્યા મોટા નેતાઓ

ન્યૂઝ ડેસ્કઃ કોરોનાના કારણે રાજકીય ક્ષેત્રના મોટા મોટા નેતાઓએ જીવ ગુમાવ્યા છે. આવો જોઈએ કોંગ્રેસના કયા નેતાના કોરોનાથી મોત થયા..

25.11.2020: કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું કોવિડ -19 સામે લડત દરમ્યાન નિધન થયું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલેનો કોવિડ–19 પોઝિટિવ રિપોર્ટ આવ્યાના એક મહિનાની અંદર બહુવિધ અંગની નિષ્ફળતાના કારણે અવસાન થયું હતું.

23.11.2020: આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈનું 84ની વયે અવસાન થયું

પીઢ કોંગ્રેસી નેતાની કોવિડ-19ની સારવાર બાદ ઊભી થયેલી જટિલતાના કારણે ગૌહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

5.10.2020: યુપી કોંગ્રેસ નેતા નસીબ પઠાણનું કોવિડ-19ના અવસાન થયું

યુપી કોંગ્રેસના નેતા નસીબ પઠાણનું લખનઉ ખાતે COVID-19થી અવસાન થયું.

27.09.2020: કેરળ કોંગ્રેસના નેતા સી. એફ. થોમસનું 81ની વયે અવસાન

કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચાંગના શેરીના ધારાસભ્ય સી. એફ. થોમસનું તિરૂવલાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

22.09.20: રાજસ્થાનના ભૂતપૂર્વ પ્રધાન ઝાકિયા ઈનામનું ૭૧ વર્ષની વયે COVID-19માં પટકાયા બાદ નિધન થયું

17.09.20: ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસ નેતા દલસિંગાર યાદવનું કોરોનાથી અવસાન થયું હતું. તેમની લખનઉમાં સારવાર ચાલી રહી હતી.

12.09.20: બોરસલા બ્લોક કોંગ્રેસ (I)ના પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર બિજોય પોલનું 72 વર્ષની વયે તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નિધન થયું હતું.

31.08.20: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિનું કોવિડ નિદાન બાદ નિધન થયું હતું.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 21 દિવસ પછી તેમનું અવસાન થયું હતું.

08.08.20: એપીસીસીના ઉપપ્રમુખ અને ડીસીસી ના ભૂતપૂર્વ અધ્યક્ષ યેડલા અદિરાજુનું કોવિડ-19થી 53 વર્ષની વયે અવસાન થયું હતું. છ વર્ષ પહેલાં જ્યારે પીસીસીના પૂર્વ અધ્યક્ષ બોત્ચા સત્યનારાયણની આગેવાની હેઠળના મોટા ભાગના તમામ નેતાઓ વાયએસઆરસીપીમાં જોડાયા હતા ત્યારે જિલ્લામાં કોંગ્રેસ માટે એકલ યુદ્ધ લડવા માટે આદિરાજુ પ્રખ્યાત બન્યા હતા.

08.08.20: તેલંગાણા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને 8 વખતના સાંસદ નંદી યેલૈયા હૈદરાબાદમાં કોવિડ -19થી અવસાન પામ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના અગ્રણી દલિત નેતા, યેલ્લૈયા તેમના મૃત્યુ સુધી ટીપીસીસીના ઉપપ્રમુખ હતા.

13.07.20: તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ટીપીસીસી)ના સચિવ જી. નરેન્દ્ર યાદવે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં કોવિડ-19 વાયરસથી દમ તોડી દીધો.

3 જૂન, 2020: લદ્દાખના કોંગ્રેસના પી.નમગ્યાલના મૃત્યુ પછી કોવિડ-19ના પરિક્ષણો કરવામાં આવ્યા ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લેહમાં તેમના મૃત્યુના એક દિવસ પછી, ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અને લદ્દાખના કોંગ્રેસના ત્રણ વખતના સાંસદ, પી. નામગ્યાલ કોવિડ-19 પોઝિટિવ જાહેર થયા હતા.

બીજી તરફ જો ભાજપની વાત કરવામાં આવે તો જોઈએ ભાજપના કયા નેતાનું કોરોનાથી અવસાન થયું.

અનુ.ક્રમ

નેતાનું નામ

મૃત્યુ સ્થળ

કોવિડ 19 પૂર્વે /પછી/દરમિયાન મૃત્યુ

ભાજપમાં વર્તમાન સ્થિતિ

1.

કિરણ મહેશ્વરી (59)

ગુરુગ્રામ

દરમિયાન

ધારાસભ્ય, રાજસ્થાન
2

અભય ભારદ્વાજ (66)

ચેન્નઈ

દરમિયાન

સાંસદ, ગુજરાત
3

મહેશ શર્મા (76)

વડોદરા

દરમિયાન

વડોદરા ઉપપ્રમુખ, ગુજરાત
4

ચેતન ચૌહાણ (73)

દિલ્હી

દરમિયાન

મધ્યપ્રદેશ (યુપી)
5

કમલ રાણી વરૂણ (62)

યુપી

દરમિયાન

ઉત્તર પ્રદેશ, કેબિનેટ પ્રધાન
6

અશોક ગાસ્તી (55)

બેંગલુરૂ

દરમિયાન

સાંસદ, કર્ણાટક 7

હરિભાઈ જાવલે (68)

મુંબઈ

દરમિયાન

ભૂતપૂર્વ .સાંસદ, મહારાષ્ટ્ર 8

સુરેન્દ્રસિંહ જીણા (51)

નવી દિલ્હી

દરમિયાન

ધારાસભ્ય, ઉત્તરાખંડ 9

રામપાલસિંહ પુંડિર (57)

પટણા

દરમિયાન

રાજ્ય સહ-કન્વિનર, ઉત્તર પ્રદેશ 10

સુરેશ આંગડી (65)

દિલ્હી

દરમિયાન

કર્ણાટક પ્રધાન , કર્ણાટક 11

કૈલાસ સારંગ (86)

મુંબઈ

દરમિયાન

ભૂતપૂર્વ ધારાસભ્ય, એ.પી 12

કૈલાસ સારંગ (86)

મુંબઈ

દરમિયાન

ભૂતપૂર્વ ધારાસભ્ય, એ.પી 13

સુનિલકુમાર સિંહ (59)

પટણા

દરમિયાન

સાંસદ, ચત્ર, બિહાર 14

પુષ્કર મિશ્રા (45)

લખનઉ

દરમિયાન

રાજ્ય કન્વિનર, યુપી 15

પીડિકોંડલા મણિક્યાલા રાવ (58)

વિજયવાડા

દરમિયાન

ભૂતપૂર્વ પ્રધાન, એપી 16

કેશુભાઈ પટેલ

(92)

ગાંધીનગર

કોરોના થયા બાદ

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, ગુજરાત

17

તપન ઘોષ (67)

કોલકાતા

દરમિયાન

આર.એસ.એસ નેતા, હિન્દુ સંહતિ 18

શ્યામા શર્મા (70)

ચંદીગઢ

દરમિયાન

ભૂતપૂર્વ પ્રધાન, એચ.પી

ABOUT THE AUTHOR

...view details