ગુજરાત

gujarat

By

Published : Jan 25, 2021, 1:50 PM IST

ETV Bharat / bharat

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો યોજશે ટ્રેક્ટર પરેડ, હજારો પોલીસ જવાન રહેશે તૈનાત

દિલ્હીમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજવાનું નક્કી કર્યું હતું. આ રેલીને ધ્યાનમાં રાખી દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે સુરક્ષાને ધ્યાનમાં રાખી મંગળવારે પરિપત્ર જાહેર કર્યો હતો. આ ટ્રેક્ટર રેલી પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાદ યોજવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત રહેશે.

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો યોજશે ટ્રેક્ટર પરેડ, હજારો પોલીસ જવાન કરાશે તહેનાત
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો યોજશે ટ્રેક્ટર પરેડ, હજારો પોલીસ જવાન કરાશે તહેનાત

  • દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ ખેડૂતો યોજશે ટ્રેક્ટર રેલી
  • દિલ્હી પોલીસ કમિશનરે રેલીને ધ્યાનમાં રાખી જાહેર કર્યો પરિપત્ર
  • રેલીને ધ્યાનમાં રાખી પોલીસ જવાનો તહેનાત કરવામાં આવશે

નવી દિલ્હીઃ દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે મંગળવારે પ્રજાસત્તાક દિવસ સમારોહ બાદ યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ અંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી એક પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમામ અધિકારી અને કર્મચારીઓની સાથે સાથે સીએપીએફ અને પ્રજાસત્તાક દિવસ પરેડ સુરક્ષા વ્યવસ્થા માટે તહેનાત કોઈ પણ અન્ય બળને અવગત કરાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસકર્મીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવવી જોઈએ અને તેમને તેમના સંબંધિત ઝોનલ-સેક્ટર અધિકારીઓ હેઠળના ડ્યૂટી પોઈન્ટ પર તૈયાર રહેવું જોઈએ. પરિપત્રમાં વધુમાં જણાવ્યા મુજબ, અધિકારીઓ પ્રજાસત્તાક દિવસ સમારોહની સુરક્ષા વ્યવસ્થા પછી જ આરામ કરવો જોઈએ. મંગળવારે ખેડૂતો ટ્રેક્ટર પરેડથી સંબંધિત કાયદા-વ્યવસ્થા માટે સંક્ષિપ્ત સૂચના પર ચાલવા માટે તમામ રીતે તૈયાર રહેવું પડશે.

ખેડૂતોને ટ્રેક્ટર પરેડ દરમિયાન શાંતિ જાળવી રાખવા પોલીસની અપીલ

પોલીસે કહ્યું છે કે, ટ્રેક્ટર પરેડ દિલ્હીના ત્રણ સીમા બિંદુ જેવા કે, સિંઘુ, ટિકરી અને ગાઝીપૂરથી આયોજિત કરવામાં આવશે અને આ અંગે પર્યાપ્ત સુરક્ષા પણ ગોઠવવામાં આવશે. ખેડૂત નેતાઓએ પ્રજાસત્તાક દિવસ ટ્રેક્ટર પરેડમાં સામેલ થતા લોકોને 24 કલાક માટે રાશન ઉપલબ્ધ કરાવવાની સાથે જ પરેડ દરમિયાન શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. કિસાન મજદૂર સંઘર્ષ કમિટિ પંજાબના નેતા સુખવિંદરસિંહ સભરાએ કહ્યું કે, શરતોની સાથે રેલી યોજવાની વાતને અમે નકારી કાઢીએ છીએ. પોલીસ સાથે બેઠક યોજી તેમાં રેલીનો રૂટ નક્કી કરવામાં આવશે.

3 હજાર વોલિન્ટિયર્સની ફોર્સ બનાવી છે, જેથી કોઈ ગડબડ ન થાયઃ ખેડૂત નેતા

ખેડૂત નેતા હરિંદરસિંહ લખોવાલે કહ્યું કે, અમારો રૂટમેપ કુલ 500 કિલોમીટરનો છે. અમે રૂટમેપ બનાવી લીધો છે અને કાલે નેટ પર પણ મુકી દઈશું. સરકાર તમામ પ્રકારની તૈયારી કરે જેથી કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. અમે 3 હજાર વોલિન્ટિયર્સની ફોર્સ બનાવી છે. આથી કોઈ ગડબડ ન થાય અને ટ્રેક્ટર રેલી શાંતિપૂર્વક થશે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી ટ્રેક્ટર પરેડમાં જોડાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર પહોંચી રહ્યા છે.

મુંબઈમાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતો વિરોધમાં જોડાયા

મુંબઈના આઝાદ મેદાનમાં સોમવારે ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં રેલી યોજશે. આ રેલીમાં રવિવારે સાંજે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો મુંબઈ પહોંચ્યા હતા.

ટ્રેક્ટર પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખી પ્રદર્શિત કરાશે

આંદોલનકારી ખેડૂતો આ ટ્રેક્ટર પરેડમાં વિભિન્ન રાજ્યોની કેટલીક ઝાંખીઓનું પણ પ્રદર્શન કરશે, જે ગ્રામીણ જીવન, કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની સાથે જ આંદોલનકારીઓના સાહસને દર્શાવશે. આ જાણકારી આયોજકોએ આપી હતી. એક ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, પ્રદર્શનમાં સામેલ થનારા દરેક સંગઠનોને પરેડ માટે ઝાંખી તૈયાર કરવા માટે નિર્દેશ આપી દેવાયા છે.

ABOUT THE AUTHOR

...view details