ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેગૂસરાય માટે અમિત શાહે ગિરિરાજ સિંહને મનાવી લીધા

ન્યૂઝ ડેસ્ક: જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી લઈ દેશની અનેક એવી બેઠકો છે જેના પર ચર્ચાઓ ચાલું જ હોય છે. આવી જ એક બિહારની બેઠક છે જેની હમણા હમણા બહું જ ચર્ચાઓ ચાલી રહી છે.

By

Published : Mar 27, 2019, 6:11 PM IST

અમિત શાહ

વાત જાણે એમ છે કે, બિહારની બેગૂસરાય સીટ રાજ્ય માટે હોટ સીટ સાબિત થઈ રહી છે. ત્યારે આ સીટ માટે ભાજપે નવાદાથી સાંસદ ગિરિરાજ સિંહને ત્યાંથી નહીં પણ આ બેઠક કે જ્યાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર CPIમાંથી લડવાના છે, તો હવે ભાજપમાંથી ગિરિરાજ સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે.

આપને જણાવી દઈએ કે, આ બેઠક પર જ્યારથી ગિરિરાજ સિંહનું નામ ચર્ચાયું છે ત્યારથી ગિરિરાજ સિંહ નારાજ જણાતા હતા, તેમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આવી આશા નહોતી કે આવું થશે. ત્યારે બાદ તેમણે પાર્ટી અધ્યક્ષ પર નિર્ણય છોડ્યો હતો.

હવે આ બાબતે આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ વાત પર મોહર લગાવી દીધી છે કે, ગિરિરાજ સિંહ ભાજપમાંથી જ બેગૂસરાય બેઠક પરથી લડશે. અમિત શાહે આ અંગે કહ્યું હતું કે, મે તેમની વાત સાંભળી છે અને તેઓ આ સીટ પરથી જ લડશે. સંગઠન તેમની તમામ મુશ્કેલીઓનો હલ કાઢશે. હું તેમને શુભેચ્છાઓ આપું છું.

ABOUT THE AUTHOR

...view details