ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બ્રાન્ડ ઈન્ડિયા અને દેશની શાંતિ ઉપર લાગ્યું CAAનું ગ્રહણ?

સંસદ દ્વારા સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) પસાર કરવામાં આવ્યો, ત્યારથી ભારત ઘણી ઉથલ-પાથલનું સાક્ષી બન્યું છે. બંધારણના સમર્થનમાં દેખાવો કરતા વિદ્યાર્થીઓ એક સશક્ત છબિ ઉપસાવે છે. મુસ્લિમ મહિલાઓ આમુખનું વાચન કરે છે, ગાંધીજી અને આંબેડકરનાં પોર્ટ્રેટ્સ દર્શાવે છે અથવા લોકશાહીનાં પ્લેકાર્ડ્ઝ દર્શાવે છે, જે ઐતિહાસિક સંદેશો પૂરો પાડે છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને દિલ્હીનાં તોફાનો વૈશ્વિક માધ્યમોમાં મુખ્ય તસવીરો બની છે. પ્રાચીન સભ્યતા હવે વિશ્વની વિશાળ અને સૌથી વાઇબ્રન્ટ લોકશાહી હોવા તરીકેની ભારતની સકારાત્મક છબિને હાનિ પહોંચી છે.

By

Published : Mar 14, 2020, 7:56 PM IST

ETV BHARAT
બ્રાન્ડ ઇન્ડિયા અને દેશની શાંતિ ઉપર લાગ્યું CAAનું ગ્રહણ?

ન્યૂઝ ડેસ્કઃ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડીયાએ એક તરફ, જ્યારે ઉત્તર-પૂર્વ દિલ્હી ભડકે બળી રહ્યું હતું, ત્યારે કેવી રીતે રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે મિજબાની રાખવામાં આવી હતી, તે મુદ્દો ઉછાળ્યો. UN ખાતે તથા જુદી-જુદી સરકારોમાં મંત્રણાઓ ચાલી રહી છે. મલેશિયા, ટર્કી, ઇરાન અને કેનેડા જેવા દેશોએ આ પરિસ્થિતિ પ્રત્યે મુક્તપણે ચિંતા દર્શાવી છે. તો, અન્ય ઘણા દેશોએ CAA ભારતનો આંતરિક મામલો હોવાનું કબૂલ્યું હોવા છતાં સ્થિતિને નિયંત્રણમાં લેવાની માગણી કરી છે. કેટલાંક વૈશ્વિક નાગરિકિ સમાજ સંગઠનોએ હિંસાને વખોડતાં નિવેદનો જારી કરીને CAAને રદ કરવાની માગણી કરી છે. પ્રભાવશાળી પ્રકાશનોમાં CAAના ભેદભાવયુક્ત સ્વરૂપ અને મુસ્લિમોને ટાર્ગેટ કરવા અંગેના લેખો લખાઇ રહ્યા છે. વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યાવસાયિક સામયિકોમાં સ્થાન ધરાવતા ધી ઇકોનોમિસ્ટે તોફાનોમાં નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળતા બદલ તેમજ આર્થિક મંદીમાં મદદરૂપ થવામાં અસમર્થ નીવડવા બદલ ખુલ્લેઆમ સરકારની ટીકા કરી કરી છે. તેણે સવાલ કર્યો છે - આવી પરિસ્થિતિમાં કોણ ભારતમાં રોકાણ કરવા ઇચ્છશે?

આપણે એ સ્વીકારવું પડશે કે, CAAના કારણે વિશ્વની નજરમાં ભારતની છબિ ખરડાઇ રહી છે. ગત 5 વર્ષમાં વિદેશ નીતિમાં વડાપ્રધાને જે લાભો મેળવી આપ્યા હતા, તે તમામ અદ્રશ્ય થઇ જવાની અણી ઉપર હોય, તેમ જણાઇ રહ્યું છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, સરકાર શા માટે આ જોઇ શકતી નથી? આખરે શા માટે તે દેશની શાંતિ અને વૈશ્વિક છબિ જોખમાવીને વિદેશીઓને નાગરિકત્ત્વ આપવા તલપાપડ થઇ છે?

આ કાયદાનું મુખ્ય લક્ષણ એ છે કે, તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એ ત્રણ પાડોશી દેશોમાં અત્યાચારોનો ભોગ બનેલા લોકોને ભારતીય નાગરિકત્વ પૂરૂં પાડે છે, શરત માત્ર એ કે, તે લોકો મુસ્લિમ ન હોવાં જોઇએ. જટિલ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ને પગલે અસમમાંથી આશરે 19 લાખ લોકોને બિન-નાગરિક જાહેર કરીને તેમને ડિટેન્શન સેન્ટરોમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે ભારે સમસ્યારૂપ સ્થિતિ છે. તેના કારણે સામાન્ય ભારતીયોના મનમાં એવો ભય પેસી ગયો છે કે, તેમના નાગરિકત્વ સામે સવાલ ઉઠાવવામાં આવશે. ભાજપના પદાધિકારીઓ, ખાસ કરીને ગૃહ પ્રધાન દ્વારા ભારપૂર્વક એ મુજબનાં કરવામાં આવેલાં નિવેદનો કે, CAA, NPR, NRCનો અમલ વિદેશી ઘૂસણખોરોને હાંકી કાઢશે. તેને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડાપ્રધાને મોડે-મોડેથી 'NRCની યોજના ન હોવાની' આપેલી ખાતરી કારગત નીવડી નથી. કારણ કે, સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો સ્પષ્ટ અભાવ વર્તાઇ રહ્યો છે. ગૌરક્ષા મામલે હિંસા, મોબ લિન્ચિંગ, ચૂંટાયેલા વરિષ્ઠ નેતાઓ દ્વારા ઘૃણા ફેલાવતાં ભાષણો, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં પોલીસ દ્વારા ખુલ્લેઆમ ભેદભાવ, આ તમામ બાબતોને કારણે લોકો શંકા સેવી રહ્યા છે. CAA માંથી મુસ્લિમોની બાકાત રાખવા એ છેલ્લો દાવ હતો, જેને મોટી સંખ્યામાં નાગરિકો અન્યાય અને ભેદભાવયુક્ત કાયદાની વિરૂદ્ધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાના તેમના બંધારણીય હક્કની રજૂઆત માટે માર્ગો પર ઊતરી આવ્યા.

CAAમાં કેટલીક વિસંગતતાઓ રહેલી છે. તે જુલમની મનસ્વી વ્યાખ્યા ધરાવે છે. અત્યાચારનો ભોગ બનેલા વ્યક્તિઓને આશ્રય તથા નાગરિકત્વ આપવું એ એક ઉમદા સંવેદના છે. જેની સામે કોઇ વિરોધ ઊઠાવી શકે નહીં, પરંતુ જ્યારે દમનનો ભોગ બનેલા તે લોકોને તેમના ધર્મના આધારે પ્રાથમિકતા આપવામાં આવે અથવા તો બાકાત કરવામાં આવે, ત્યારે તે એક ભેદભાવયુક્ત કાયદો બની જાય છે. બંધારણીય સિદ્ધાંતો ધર્મના આધારે લોકોનો બહિષ્કાર કરવાની અનુમતી આપતા નથી.

દુર્ભાગ્યે, આપણા ઘણા પાડોશી દેશો વાસ્તવમાં ધાર્મિક નેતાઓ દ્વારા શાસિત છે. ધર્મનો ઉપયોગ સામાન્યપણે રાજકીય હેતુઓ માટે અને અસંમતિના દમન માટે થાય છે. એક ક્ષણ માટે રાજકીય વિરોધીઓને ભૂલી જાઓ, મુસ્લિમોની અંદર શિયા કે અહેમદીયા કે હઝારા જેવા લઘુમતી સમુદાયોને ભૂલી જાઓ, સતામણીનો ભોગ બનનારા મોટાભાગના સુન્ની મુસ્લિમો છે. પાકિસ્તાનમાં ધાર્મિક દ્રઢોક્તિના આલોચકોનું મોં બંધ કરવા માટે હત્યા અને વધ થકી ડ્રેકોનિયમન બ્લાસ્ફેમી (નિંદા) કાયદાઓનો જે રીતે ઉપયોગ કરવામાં આવે છે, તેનું દ્રષ્ટાંત લઇએ. તે બદલ મોતની સજા થાય છે. ઘણાં લોકોને દેશ છોડીના ભાગી જવાની અને વિશ્વના વિવિધ ભાગોમાં શરણું લેવાની ફરજ પડે છે. બીજું એક ઉદાહરણ બાંગ્લાદેશમાં રાજકીય ઇસ્લામ અને સમાજ ઉપર તેના પ્રભાવ પર સવાલ કરનારા સેક્યુલર ચળવળકર્તાઓ તથા બ્લોગર્સની હિંસક હત્યાનું છે. પરંતુ, તેઓ ભારતમાં શરણું લેવા માટેની યોગ્યતા ધરાવતા નથી, કારણ કે તેઓ મુસ્લિમ હોવાને કારણે તેમને બાકાત રાખવામાં આવ્યા છે!

CAAને નબળો પાડનારી અન્ય એક વિસંગતતા માત્ર ત્રણ પાડોશી દેશો પૂરતી તેની મર્યાદિતતા છે. વાસ્તવમાં, તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટો અત્યાચાર તો શ્રીલંકામાં તમિળો ઉપર થયો છે! LTTE અને લશ્કર વચ્ચેના યુદ્ધમાં ભારતીય મૂળના હજ્જારો નિર્દોષ તમિળોનો માર્યા ગયા. સરકારે The government must appreciate that this is bound to give credence to the criticism that the CAA is an ideologically motivated law emanating from Hindu nationalism. વડાપ્રધાને આ કાયદામાં સુધારો કરીને તથા પાડોશી દેશોમાંથી તમામ કચડાયેલા લોકો પર તે સમાનપણે લાગુ કરીને સૌનો વિશ્વાસ સંપાદિત કરવા માટે સંવાદ સાધવો જોઇએ.

છેલ્લો પણ મહત્વપૂર્ણ મુદ્દો, સરકાર જ્યારે તેના પોતાના જ નાગરિકોની આશંકાનું નિવારણ કરવા માટે અસમર્થ છે, ત્યારે તે વિદેશીઓને નાગરિકત્વ આપવા માટે આટલી બધી ઉત્સુક શા માટે છે? તેનાથી એ આલોચના દ્રઢ થાય છે કે, આ કાયદો પશ્ચિમ બંગાળ તથા અન્ય સ્થળોએ ચૂંટણીમાં લાભ મેળવવા માટે લાવવામાં આવ્યો છે.

સરકારે CAA જેવા નિરર્થક કાયદાઓને બદલે અર્થવ્યવસ્થા અને રોજગારી જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવું જોઇએ. તાજેતરમાં ભારતે અત્યંત વરવી આર્થિક કટોકટીનો સામનો કર્યો છે. ઉત્પાદન ક્ષેત્ર નિમ્ન સ્તરે છે અને બેરોજગારીનો દર 4 દાયકાની સર્વોચ્ચ સપાટી પર છે. દેશભરના ખેડૂતો આબોહવાની અનિશ્ચિતતા તથા ખેતી પાછળ વધી રહેલા ખર્ચની કટોકટીમાં ફસાયેલા છે. આપણે યુવાનો માટે વધુ શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગો ખોલવાની જરૂર છે. મહિલાઓની સલામતી અને સુરક્ષા ક્ષેત્રે અઢળક કામગીરી કરવી બાકી છે. વૃદ્ધિ અને વિકાસનું વચન આપીને ચૂંટાયેલી સરકારને બિનજરૂરી કાયદાઓ પર મદાર રાખવો પરવડી શકે નહીં. તોફાનો અને સામાજિક સંવાદિતાના અભાવના વાતાવરણ વચ્ચે મેક ઇન ઇન્ડિયા વિદેશી મૂડી આકર્ષી શકશે નહીં. સરકાર ન્યાય, સમાનતા અને બિન-ભેદભાવયુક્ત અભિગમના બંધારણીય વચનથી બંધાયેલી છે. સરકારે CAA પર તેના વલણનું પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે, તેના વિના બહુ-સંસ્કૃતીય લોકશાહી તરીકેની ભારતની છબિને કદીયે ભરપાઇ ન થઇ શકે, તેવું નુકસાન પહોંચશે.

- ઝકિયા સોમન

ABOUT THE AUTHOR

...view details