ઉલ્લેખનીય છે કે, શવિવારે બારામુલામાં આંતકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આંતકીને ઠાર કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં અથડામણ, 4 આંતકી ઠાર
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં રવિવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. મળતી વિગતો પ્રમાણે, અથડામણ દારુમડોરા કીગમ વિસ્તારમાં શરૂ છે. જેમાં સેનાએ 4 આંતકીઓને ઠાર કર્યા છે. તેમજ હાલના સમયે પણ બંન્ને તરફથી ફાયરીંગ થઈ રહ્યું છે.
JK- શોપિયામાં અથડામણ, બે આંતકી ઠાર
6 દિવસ પહેલા અનંતનાગમાં આંતકીઓ અને સુરક્ષા દળની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 2 આંતકીને ઠાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં પુલવામા જેવો આંતકી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Last Updated : Jun 23, 2019, 10:21 AM IST