ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાંપ્રદાયિક ટિપ્પણીને લઈ ગિરિરાજ સિંહને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે કેન્દ્રીય પ્રધાન અને બિહારના બેગૂસરાયથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહને આચાર સંહિતા ઉલ્લંઘન કરવાને લઈ નોટિસ ફટકારી છે.

By

Published : Apr 30, 2019, 12:56 PM IST

ians

ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહને મુસ્લિમો વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી કરવાને લઈ આ નોટિસ ફટકારી છે.

ચૂંટણી પંચે બેગૂસરાયમાં જીડી કોલેજમાં 24 એપ્રિલે સિંહ દ્વારા આપવામાં આવેલા ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રાષ્ટ્ર તેમને ક્યારેય માફ નહીં કરે જે વંદે માતરમ ગાતા નથી તથા માતૃભૂમિનું સન્માન નથી કરતા. મારા પૂર્વજોનું નિધન સિમરીયા ઘાટ પર થયું હતું પણ તેમને કબ્રની જરૂર નહોતી પડી, પણ તમારે તો ત્રણ હાથ જમીન પણ જોઈએ છે.

આ ભાષણને લઈ જિલ્લાના તંત્રએ ગિરિરાજ સિંહ વિરુદ્ધ બેગૂસરાયમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે.

ચૂંટણી પંચે ગિરિરાજ સિંહને આ અંગે 24 કલાકમાં જવાબ આપવામાં જણાવ્યું છે. જેમાં તેઓ જો નિષ્ફળ રહેશે તો પંચ આગળની કાર્યવાહી કરશે.

ABOUT THE AUTHOR

...view details