ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોએ ન જવા ઓડિશા ડીજીપીએ અપીલ કરી

ઓડિશાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અભયે લોકોને પુરી ન જવા અપીલ કરી છે. કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે, સામાજિક અંતર જાળવવાઇ રહે અને ભીડ એકઠી ન થાય તે માટે તીર્થસ્થાન જગન્નાથ પુરીના કેટલાક ભાગોમાં હજી પણ પ્રતિબંધો યથાવત છે.

By

Published : Jun 24, 2020, 6:53 PM IST

ભગવાન જગન્નાથ
ભગવાન જગન્નાથ

ભુવનેશ્વર: ઓડિશા પોલીસે બુધવારે ભગવાન જગન્નાથની રથયાત્રા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોને પુરી ન જવાની અપીલ કરી હતી. રાજ્ય પોલીસે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાનું પાલન કરતા આ અપીલ કરી હતી.

પોલીસે જણાવ્યું છે કે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઇ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા હાલમાં તેમના રથ પર બેઠા છે અને તેઓને સાંજે શ્રી ગુન્ડીચા મંદિરની અંદર લઈ જવામાં આવશે. રથ અને મંદિરની નજીક કોઈને પણ એકઠા થવાની મંજૂરી નથી. યાત્રાધામ નગરના કેટલાક ભાગોમાં સામાજિક અંતર જાળવવાઇ રહે અને ભીડ એકઠી ન થાય તે માટે તીર્થસ્થાન પુરીના કેટલાક ભાગોમાં હજી પણ પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રથયાત્રા દરમિયાન જિલ્લામાં લોકો અને વાહનોનો પ્રવેશ અટકાવવા માટે વહીવટીતંત્રે અગાઉ 24 જૂન સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દીધો હતો.

મુખ્ય સચિવ એકે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પુરીમાં રથયાત્રાના શરતો સાથેની અનુમતિ બાદ 12 કલાકની અંદર તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

માહામારીની સ્થિતિને કારણે કોઈ વિસ્તૃત તૈયારીઓ અગાઉથી કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે પોલીસ રથયાત્રા દરમિયાન શિસ્ત જાળવવા લોકોને સમજાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details