ગુજરાત

gujarat

દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા 23 હજારને પાર, મૃત્યુ આંક 718 થયો

By

Published : Apr 24, 2020, 12:15 PM IST

Updated : Apr 24, 2020, 8:30 PM IST

દેશભરમાં કોરોના વાઇરસની મહામારી વધતી જ જાય છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 23 હજાર 77 થઇ ગઇ છે. તે ઉપરાંત આ સંક્રમણમાં કુલ 718 લોકોના મોત થયાં છે.

દેશમાં કોરોના
દેશમાં કોરોના

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના કુલ 23 હજાર 77 કેસ નોંધાયા છે. તેમજ 4749 લોકો સ્વસ્થ થઇ ગયા છે. બુધવારે આ વાઇરસથી કુલ 29 લોકોના મોત થયાં છે. જેમાં મહારાષ્ટ્રમાં 18, ગુજરાતમાં 8, રાજસ્થાનમાં 2 અને દિલ્હીમાં 1 નું મોત થયું છે.

આ ઉપરાંત સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 283 થયાં છે. ત્યારબાદ ગુજરાતમાં 112, મધ્યપ્રદેશમાં 83 દિલ્હીમાં 50 રાજસ્થાનમાં 27, આંધપ્રદેશમાં 27, તેલંગણામાં 24 ,ઉત્તરપ્રદેશમાં 21, તમિલનાડુમાં 18, કર્ણાટકમાં 17, પંજાબમાં 16 અને પશ્ચિમ બંગાળમાં 15 ના મોતની સંખ્યા છે. કોરોના સંક્રમણથી જમ્મુ કાશ્મીરમાં 5, કેરલ, ઝારખંડ, અને હરિયાણામાં 3 , બિહારમાં 2, મેઘાલય ,હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમમાં 1 મોત થયાં છે.

આંકડા અનુસાર દેશમાં સંક્રમણમાં સૌથી વધુ કેસ 6,430 મહારાષ્ટ્રમાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં 2,624 ,દિલ્હીમાં 2,376 અને રાજસ્થામાં 1,964 તમિલનાડુમાં 1,683 અને મધ્યપ્રદેશમાં 1,699 કેસ સામે આવ્યા છે. ઉતરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 1,510, તેલંગણામાં 960 અને આંધ્રપ્રદેશમાં 895, પ્રશ્વિમ બંગાળમાં 514 કેસ સામે આવ્યા છે.

રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 36 નવા કેસ

રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 36 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2000 થઇ છે.

મધ્યપ્રદેશમાં કરોનાના 159 નવા કેસ

મધ્યપ્રદેશમાં કોરોનાના 159 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1846 થઇ ગઇ છે. તેમજ 92 દર્દીના મોત થયાં છે.

ઝારખંડમાં કોરોના સંક્રમણના 7 નવા કેસ

ઝારખંડમાં કોરોના સંક્રમણના 7 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 56 થઇ છે.

બિહારમાં કોરોનાના 38 નવા કેસ

બિહારમાં કોરોનાના 38 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ સંખ્યા 214 થઇ છે.

યુપીમાં કોરોના સંક્રમણના 1527 થઇ

ઉતરપ્રદેશના લખનઉમાં 17 નવા કેસ આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા 1527 થઇ ગઇ છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 778 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 778 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6427 થઇ છે. તેમજ કુલ 283 લોકોના મોત થયાં છે.

આંધ પ્રદેશમાં કોરોનાના 62 નવા કેસ

આંધ પ્રદેશમાં કોરોના સંક્રમણના 62 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 955 છે.

કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 463 થઇ

કર્ણાટકમાં કોરોનાના નવા 13 કેસ આવ્યા છે. આ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા 463 થઇ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના નવા 191 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના નવા 191 કેસ સામે આવ્યા છે. તેમજ આ સંક્રમણથી 15 લોકોના મોત થયાં છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 227 થયો છે. તેમજ કુલ સંક્રમિતોની સંખ્યા 2815 થઇ છે.

Last Updated : Apr 24, 2020, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details