ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૂનાગઢના પરિવારને ઝારખંડમાં નડ્યો અકસ્માત, 1નું મોત 15 ઘાયલ

ન્યૂઝ ડેસ્કઃ જમશેદપુરના ચૌકા વિસ્તારમાં તીર્થયાત્રીઓથી ભરેલી મિની બસ પલટી હતી. ડ્રાઇવરે બસ પર કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બધા તીર્થયાત્રીઓ જૂનાગઢના એક જ પરિવારના હતા.

By

Published : Apr 3, 2019, 9:51 AM IST

જૂનાગઢ

ઝારખંડ રાજ્યના જમશેદપુર જિલ્લાના ચૌકા વિસ્તારમાં તીર્થયાત્રીઓથી ભરેલી મિની બસ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં તીર્થયાત્રી રીતા દેવીને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા છે.

એક્સિડન્ટમાં ઘાયલ થયેલા યાત્રી

મળતી માહિતી અનુસાર બધા તીર્થયાત્રી જૂનાગઢના એક જ પરિવારના છે. જગન્નાથપુરીથી વારાણસી જતા સમયે સરાયકેલાના ચૌકા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી.

ABOUT THE AUTHOR

...view details