ઝારખંડ રાજ્યના જમશેદપુર જિલ્લાના ચૌકા વિસ્તારમાં તીર્થયાત્રીઓથી ભરેલી મિની બસ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં તીર્થયાત્રી રીતા દેવીને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા છે.
જૂનાગઢના પરિવારને ઝારખંડમાં નડ્યો અકસ્માત, 1નું મોત 15 ઘાયલ
ન્યૂઝ ડેસ્કઃ જમશેદપુરના ચૌકા વિસ્તારમાં તીર્થયાત્રીઓથી ભરેલી મિની બસ પલટી હતી. ડ્રાઇવરે બસ પર કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બધા તીર્થયાત્રીઓ જૂનાગઢના એક જ પરિવારના હતા.
જૂનાગઢ
મળતી માહિતી અનુસાર બધા તીર્થયાત્રી જૂનાગઢના એક જ પરિવારના છે. જગન્નાથપુરીથી વારાણસી જતા સમયે સરાયકેલાના ચૌકા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી.