ઝારખંડ રાજ્યના જમશેદપુર જિલ્લાના ચૌકા વિસ્તારમાં તીર્થયાત્રીઓથી ભરેલી મિની બસ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં તીર્થયાત્રી રીતા દેવીને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા છે.
જૂનાગઢના પરિવારને ઝારખંડમાં નડ્યો અકસ્માત, 1નું મોત 15 ઘાયલ - BUS
ન્યૂઝ ડેસ્કઃ જમશેદપુરના ચૌકા વિસ્તારમાં તીર્થયાત્રીઓથી ભરેલી મિની બસ પલટી હતી. ડ્રાઇવરે બસ પર કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બધા તીર્થયાત્રીઓ જૂનાગઢના એક જ પરિવારના હતા.

જૂનાગઢ
એક્સિડન્ટમાં ઘાયલ થયેલા યાત્રી
મળતી માહિતી અનુસાર બધા તીર્થયાત્રી જૂનાગઢના એક જ પરિવારના છે. જગન્નાથપુરીથી વારાણસી જતા સમયે સરાયકેલાના ચૌકા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી.