ગુજરાત

gujarat

By

Published : Nov 13, 2019, 8:52 AM IST

ETV Bharat / bharat

સંસદમાં ખેડૂતો પર અપાશે ધ્યાન, આગામી બજેટ કૃષિ લક્ષી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કૃષિ અને ખેડૂતો સંબંધિત 2 મહત્ત્વપૂર્ણ બિલ લોકસભાના આગામી સત્રમાં લાવશે. આ માટે ચર્ચા કરવા માટે ખેડૂત સંગઠન ભારતીય કૃષક સમાજે આયોજન કર્યું. જેમાં કૃષિ રાજ્યપ્રધાન પુરુષોતમ રૂપાલા મુખ્ય મહેમાન બન્યા હતા.

agriculture and farmers NEWS બજેટમાં ખેડૂતોને સ્થાન કેન્દ્ર સરકારનું આગામી બજેટ શિયાળુ સત્ર કેન્દ્ર સરકારના ખેડૂતો માટે નિર્ણય Central Government Decision for Farmers

લોકસભાના આગામી સત્રમાં મોદી સરકાર કૃષિ અને ખેડૂતોને સંબંધિત બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરશે, જેમાં એક બિયારણ બિલ અને બીજુ જંતુનાશક સંચાલન બિલ છે.

આ બંને બિલ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વના છે અને તેની પર ચર્ચા માટે આજે ભારતીય કૃષક સમાજે દિલ્હીમાં એક ચર્ચાનું આયોજન કર્યું હતું. આ ચર્ચામાં કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરુષોત્તમ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ખેડૂત નેતાઓએ પોતાનો પક્ષ રજૂ કરતા રાજ્યપ્રધાન સમક્ષ માંગણી કરી હતી કે, બદલાતી ઋતુ અને ઓછામાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન આપે તેવું બિયારણ ખેડૂતોને મળવું જોઈએ.

ભારતીય કૃષક સમાજ તરફથી પ્રમુખ કૃષ્ણબીર ચૌધરીએ ખેડૂતોની વાત રજૂ કરી હતી. પુરુષોત્તમ રૂપાલાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, કાયદો કોઈ પણ બને, પરંતુ તેમાં ખેડૂતોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે.ઋતુના બદલાતા પ્રભાવમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન ભોગવવું પડે છે. ક્યારેક અનાવૃષ્ટિના કારણે ઓછુ ઉત્પાદન અને ક્યારેક વધારે વરસાદના કારણે પાક નિષ્ફળ જતો હોય છે. તેવામાં એક સંશોધન કરી એવું બિયારણ લાવવામાં આવે જે તમામ પરિસ્થિતિમાં સારૂ ઉત્પાદન આપી શકે છે.

ઈટીવી ભારત સાથે વાતચીત કરતા કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, આ સાર્થક ચર્ચા ભારતીય કૃષક સમાજે આયોજીત કરી છે અને સરકાર તેમના સૂચનો અને ઉપાયો ધ્યાનમાં રાખશે.

કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાનના સીધા સંવાદમાં કાર્યક્રમમાં પહોચેલા ખેડૂતો સંતુષ્ટ દેખાયા. હવે બધાની નજર આવનારા લોકસભાના સત્રમાં રજૂ થનારા બંને બિલો પર છે. મોદી સરકાર આ બિલોમાં ખેડૂતો અને કંપનીઓના હિતોનું રક્ષણ કેવી રીતે કરશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details