ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૂનાગઢ કોંગ્રેસમાં મોટું ગાબડું, 250 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

જૂનાગઢ: શહેરમાં ગુરૂવારે માળીયા હાટીનામાં પટેલ સમાજ ખાતે ભાજપ પરિવાર દ્વારા મારુ બૂથ સૌથી મજબૂતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં દિલ્હીથી લાઈવ પ્રસારણ દ્વારા સ્ક્રિન મૂકી PM મોદીએ પ્રજાજોગ સંદેશ પાઠવી ભારતની પ્રગતિ જોગ લોકોને જાગૃત બનવાની હાકલ કરી હતી.

joined BJP

By

Published : Mar 1, 2019, 12:27 PM IST

કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવીયા અને સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ ૨૫૦ જેટલા કોંગ્રેસના આગેવાનોને કેસરીયો ખેશ પેરાવીને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. માળીયા હાટીના તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દિલીપસિંહ શિશોડિયા ભાંદુરી અને જામવળી ગામના ૨૫૦ ટેકેદારો તેમજ જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબેન ગોસ્વામી બચુભાઈ શિશોડીયા અમીન ભાઈ પઠાણ, બાબરા ગામના ઉપ. સરપંચ આહીર સમાજના આગેવાન બાલુભાઈ. પોઠિયા પોતાના શેકડો કાર્યકરો સાથે કોંગ્રેસને રામ-રામ કરીને કેસરિયો ખેશ પહેરીને ભાજપમાં જોડાયા છે.

જુઓ વિડીઓ

મનસુખ ભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સંસ્કારી ખોરડું છે. આપણે તમામે ભેગા મળીને મોદી સાહેબના પગ મજબૂત કરવાના છે, અને આ વખતે પણ દેશના વડાપ્રધાન પદે મોદી સાહેબ જ આવવાના છે.

ABOUT THE AUTHOR

...view details