ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુરના એક સગીર વિદ્યાર્થીએ PMO અને DGP સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પાસે માંગી ખંડણી, પરિણામ ભોગવવા આપી ધમકી

કાનપુરના ઈન્ટરના વિદ્યાર્થીએ વડાપ્રધાન કાર્યાલય અને DGPને ફોન કરી તેમની પાસે ખંડણી માગી હતી. આ ઉપરાંત તેણે DM, ACM હોમ સહિત અન્ય ઉચ્ચ અધિકારીને પણ ફોન કરી તેમની પાસેથી પણ ખંડણી માગી હતી. સાથે જ તેણે ખંડણી ન આપવા પર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. પોલીસના મતે, આરોપી સગીર છે અને તેની સામે વિવિધ કાર્યવાહી થઈ રહી છે.

By

Published : Sep 27, 2021, 11:51 AM IST

કાનપુરના એક સગીર વિદ્યાર્થીએ PMO અને DGP સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પાસે માંગી ખંડણી, પરિણામ ભોગવવા આપી ધમકી
કાનપુરના એક સગીર વિદ્યાર્થીએ PMO અને DGP સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પાસે માંગી ખંડણી, પરિણામ ભોગવવા આપી ધમકી

  • કાનપુરના સગીર વિદ્યાર્થીએ PMO અને DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ પાસે માગી ખંડણી
  • ખંડણી ન આપે તો પરિણામ ભોગવવા પણ વિદ્યાર્થીએ આપી હતી ધમકી
  • હજરતગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અરવિંદ રાયે આ મામલામાં કેસ નોંધ્યો છે

લખનઉઃ વડાપ્રધાન કાર્યાલયથી લઈને DGP સુધી, ડીએમથી લઈને ACS હોમ સુધી કોલ કરીને એક વિદ્યાર્થીએ ખંડણી માગી હતી. જો આવું ન કરવા પર પરિણામ ભોગવવાની પણ ધમકી આપી હતી. તેની આ હરકતથી અફરાતફરી મચી ગઈ છે. હજરતગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અરવિંદ રાયે આ મામલામાં કેસ નોંધ્યો છે. પોલીસની શરૂઆતી તપાસમાં આરોપીની ઓળખ કાનપુરના ઈન્ટરના વિદ્યાર્થી તરીકે થઈ છે, જે સગીર છે.

વિદ્યાર્થીએ ખંડણી ન મળવા પર જાનથી મારી નાખવાની પણ ધમકી આપી

હજરતગંજ કોતવાલીમાં તહેનાત પોલીસ અધિકારી અરવિંદ રાયના મતે, અલગ અલગ અનેક નંબરોથી PMO ઓફિસ, ગૃહપ્રધાન કાર્યાલય, ACS હોમ, સંરક્ષણ પ્રધાન કાર્યાલય, DGP કાર્યાલય, DM કાનપુર અને કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફિસના સરકારી નંબરો પર ફોન પર ખંડણી માગવામાં આવી હતી. વિદ્યાર્થીએ ખંડણી ન મળવા પર જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ સાથે જ ફોન કરનારાએ કહ્યું હતું કે, કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફિસમાં તેના કેટલાક કાર્ય છે. જોક, તેને ઝડપથી નહીં કરવામાં આવે તો શું પરિણામ થશે તે સમય બતાવશે.

વિદ્યાર્થી માનસિક રીતે બીમાર હોવાનું પોલીસે જણાવ્યું

પોલીસના મતે, વિદ્યાર્થી માનસિક રીતે બીમાર છે. હવે એ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, જો ખરેખર તે માનસિક રીતે બીમાર છે તો પછી તેણે અન્ય કોઈને કોલ કેમ ન કર્યો? પોલીસે આ બાબતે ધારા 353, 419, 420, 507, 384, 66ડી અંતર્ગત કેસ નોંધ્યો છે. DCP મધ્ય ડો. ખ્યાતિ ગર્ગનું કહેવું છે કે, આરોપી સગીર છે. કેસ નોંધ્યો છે. વિવિધ કાર્યવાહી પણ થઈ રહી છે. તો વિવેચક રામ ગોવિંદ મિશ્રાએ જણાવ્યું હતું કે, ફોન કરનારો સગીર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)થી લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરના અંગે કેસ નોંધાયો

અમીનાબાદમાં એક યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ મામલામાં પોલીસે કેસ નોંધ્યો છે. ઈન્સ્પેક્ટર અમીનાબાદ સૂર્યબલી પાંડેયે જણાવ્યું હતું કે, કસાઈબાડા, લાટુસ રોડના રહેવાશી આફાકે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વડાપ્રધાનનો વિવાદાસ્પદ ફોટો લગાવીને પોસ્ટ કર્યો હતો. આ મામલામાં ઈન્સ્પેક્ટર સૂર્યબલી પાંડેયે વાદી બનીને ધારા 295 એ, 500, 502 અને 66 આઈટી એક્ટ અંતર્ગત કેસ નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.

આ પણ વાંચો-મહારાષ્ટ્ર રાજના 'રાજ' ખોલવા રાણે મેદાને!

આ પણ વાંચો-અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનમાં રોકવાના સમર્થનમાં બ્રિટેન સહિત કેટલાક દેશ, પરંતુ તાલિબાન આપી રહ્યું છે ધમકી

ABOUT THE AUTHOR

...view details