ગુજરાત

gujarat

1947માં જ્યારે સમગ્ર ભારત આઝાદીનો ઉત્સવ મનાવતો, ત્યારે જૂનાગઢ વાસીઓ પાકિસ્તાન નાગરિક બન્યા... - junagadh news

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 3:32 PM IST

15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત સ્વતંત્ર થયું અને ત્યારબાદ આખા દેશમાં આઝાદીનું ઐતિહાસિક પર્વ ધામધૂમપૂર્વક મનાવવામાં આવી રહ્યું હતું. બિલકુલ તેવાજ સમયે જૂનાગઢમાં આઝાદીના પર્વનો ઉત્સાહ નહીં પરંતુ પાકિસ્તાન સાથે જોડાવાનો ભારે ગમ જોવા મળતો હતો. જાણો વિગતે અહેવાલ..., when the whole country was celebrating independence there was chaos in junagadh

1947માં જૂનાગઢ વાસીઓ પાકિસ્તાન નાગરિક બન્યા
1947માં જૂનાગઢ વાસીઓ પાકિસ્તાન નાગરિક બન્યા (Etv Bharat Gujarat)

જૂનાગઢ: 15 ઓગસ્ટ 1947 નો દિવસ ભારત માટે આઝાદીની સોનેરી કિરણ લઈને આવ્યો હતો. સમગ્ર દેશમાં આઝાદીનું ઐતિહાસિક મહાપર્વ ઉજવવા માટે ઠેર ઠેર ભારત વર્ષમાં દીવડાઓથી આઝાદીના પ્રકાશને પ્રજ્વલિત કરવામાં આવી રહ્યો હતો. બિલકુલ આ જ સમયે જૂનાગઢ આઝાદી માટે વધુ એક સંઘર્ષમાં ઉતરી ચૂક્યું હતુ. તેઓ નિર્ણય જૂનાગઢના નવાબ રસુલખાન દ્વારા કરવામાં આવ્યો હતો.

બહાઉદ્દીન કોલેજ (ETV Bharat Gujarat)

જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો છે: ભારત જ્યારે ગુલામીની કારમી જંજીરો તોડીને 15 મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયું ત્યારે જૂનાગઢમાં નવાબી શાસનના નવાબ રસુલખાન દ્વારા જૂનાગઢનું જોડાણ ભારત સાથે નહીં પરંતુ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરતા જ ભારત આઝાદ થઈ રહ્યું છે. તેની ખુશી જૂનાગઢ વાસીઓ માટે અંધકારરૂપ બની ગઈ હતી. જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને લઈને સરદાર પટેલની આગેવાનીમાં જૂનાગઢમાં આઝાદીની એક નવી ચળવળની શરૂઆત થઈ. જેને આરઝી હકુમત નામ આપીને જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો છે તે માટેની લડાઈ શરૂ થઈ.

નવાબે જૂનાગઢનું જોડાણ કર્યું પાકિસ્તાન સાથે (ETV Bharat Gujarat)

સરદાર પટેલે લીધી આગેવાની:ભારત આઝાદ થયું પરંતુ જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામે ભારત સાથે જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. નિઝામ હૈદરાબાદ છોડીને પાકિસ્તાન જતા રહ્યા હતા પરંતુ જૂનાગઢના નવાબ રસુલખાને જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દેતા સરદાર પટેલની આગેવાનીમાં જે તે સમયના જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે સંકળાયેલા સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં શામળદાસ ગાંધી અને અનેક નામની અનામી સ્વાતંત્ર વીરો દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની નવી લડાઈની શરૂઆત કરવામાં આવી હતી.

જૂનાગઢના નવાબ રસુલખાન (ETV Bharat Gujarat)

જેમાં જૂનાગઢની સાથે માણાવદર માંગરોળ બાટવા સહિત નવાબી શાસનમાં સામેલ અનેક ગામોમાં નવાબના નિર્ણય સામે ખૂબ જ રોષ પ્રગટ્યો અને જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો છે. તે માટેની લડાઈ શરૂ કરી જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજમાં ભારતનું પ્રથમ કહી શકાય તેવું મતદાન પણ થયું. જેમાં જૂનાગઢના મોટાભાગના લોકોએ જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય તે બાબતે પોતાનો મત પ્રગટ કર્યો.

જોવા મળ્યો ભારે ઉત્સાહ:ત્યાર બાદ આરજી હકુમતના લડવૈયાઓની આ લડાઈ 9મી નવેમ્બર 1947ના દિવસે રંગ લાવી જૂનાગઢના નવાબ તેના સમગ્ર પરિવારની સાથે તેમના સૌથી નજીક અને પાલતુ સ્વાનો સાથે પાકિસ્તાન પલાયન થઈ ગયા ત્યારે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ વાસીઓએ આઝાદીના પહેલા સૂર્યકિરણના દર્શન કરીને અખંડ ભારત સાથે જૂનાગઢનું જોડાણ થયું. તેની ખુશી પણ મનાવી હતી.

  1. કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં ચોટીલા પહોંચી, સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત - Congress Nyaya Yatra

ABOUT THE AUTHOR

...view details