ગુજરાત

gujarat

ETV Bharat / state

અમિત શાહના નિવેદનનો અમદાવાદથી જૂનાગઢ-ઉના સુધી વિરોધ, કલેક્ટરને આવેદન આપી રાજીનામાની માંગણી - AMIT SHAH STATEMENT PROTEST

17 ડિસેમ્બરના રોજ સંસદ ભવનમાં રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી.

અમિત શાહના નિવેદનનો વિરોધ
અમિત શાહના નિવેદનનો વિરોધ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2024, 10:38 PM IST

અમદાવાદ: 17 ડિસેમ્બરના રોજ સંસદ ભવનમાં રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીને લઈને વિરોધ પક્ષ સહિત કેટલાક દલિત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અમિત શાહ માફી માંગે અને ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે તે પ્રકારની પણ માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમદાવાદમાં દલિત પેન્થર સંગઠન તથા જૂનાગઢ અને ઉનામાં પણ કોંગ્રેસ અને AAP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં વિરોધ પ્રદર્શન (ETV Bharat Gujarat)

અમદાવાદમાં દલિત પેન્થર સંગઠન રસ્તા પર
અમદાવાદમાં શુક્રવારે બપોરે ભારતીય દલિત પેન્થર સંગઠન દ્વારા 'અમિત શાહ રાજીનામું આપે અને સમગ્ર દેશની માફી માંગે' તે પ્રકારની માંગ સાથે રસ્તા પર ઉતરી નારાઓ ઊંચારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અંદાજિત 100થી વધુ દલિત પેન્થર સંગઠનના લોકો દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. જોકે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહેલાથી જ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાત દલિત પેન્થર સંગઠનના પ્રમુખ પ્રદીપ પરમારે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર અંગે જે રાજ્યસભાની અંદર ટિપ્પણી કરવામાં આવી છે તે તદ્દન અયોગ્ય છે અને તેનાથી દેશની 142 કરોડ જનતાનું અપમાન થયું છે. આથી અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ અને સમગ્ર દેશની અને એસસી સમાજની માફી માગવી જોઈએ.

આપના કાર્યકરોએ કર્યો વિરોધ (ETV Bharat Gujarat)

જૂનાગઢ-ઉનામાં પણ વિરોધ
આજે જુનાગઢ કોડીનાર અને ઉના ખાતે દલિત સમાજના લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને અમિત શાહને ગૃહપ્રધાન પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. જૂનાગઢમાં કોંગ્રેસ તો ઉના અને કોડીનારમાં આમ આદમી પાર્ટી અને દલિત સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસને આવેદનપત્ર પાઠવીને તાકિદે ગૃહપ્રધાન અમિત શાહ રાજીનામું આપે અથવા તો અમિત શાહને ગૃહપ્રધાન પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. ગુજરાતમાં માછીમારી ઉદ્યોગ પર ફેલાઈ શકે છે ગંભીર સંકટઃ મહાકાય કંપનીઓની ધંધામાં એન્ટ્રી અને અસરો
  2. ભાવનગર: સરકારી આવાસ બનવા છતાં 'મફતનગર' કેમ ઘટતા નથી? ગઢેચી નદી કાંઠે વસતા લોકોએ ઠાલવી વ્યથા

ABOUT THE AUTHOR

...view details