ગુજરાત

gujarat

પાલનપુરના ખસામાં પાંચ વર્ષની બાળકીને થયો પુન:જન્મનો ભ્રમ, શું છે આ ઘટના? જાણો... - rebirth five year girl in Palanpur

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 5:15 PM IST

Updated : Jun 23, 2024, 7:09 PM IST

સામાન્ય રીતે પુન:જન્મની ઘટનાઓ આપણને ફિલ્મોમાં જોવા મળે છે. જેમાં પુનઃજન્મની કેટલીક ઘટનાઓ વર્ણવામાં આવતી હોય છે પરંતુ હાલમાં જ એવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામથી સામે આવ્યો છે. જાણો સમગ્ર મામલો... REborn of five year girl in palanpur

પાલનપુરના ખસા ગામે પાંચ વર્ષની બાળકી કડકડાટ હિન્દીમાં વાતો કરે છે.
પાલનપુરના ખસા ગામે પાંચ વર્ષની બાળકી કડકડાટ હિન્દીમાં વાતો કરે છે. (ETV Bharat Gujarat)

પાલનપુરમાં પાંચ વર્ષની બાળકીને થયો પુન:જન્મનો ભ્રમ (ETV Bharat Gujarat)

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે પૂર્વ સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા ત્રણ વર્ષની હતી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો માં મુજે પાની દે. જોકે તેની માતા ગીતાબેન અભણ હોવાથી તેઓને કંઈ ગતાગમ પડતી ન હતી.

આ ઉપરાંત પરિવારમાં પણ જ્યારે દક્ષા હિન્દી બોલતી હોય ત્યારે તેઓને એમ લાગતું કે તે લવારા કરે છે. અને તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. સ્કૂલે ગયા વગર, કોઈપણ પ્રકારના ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર તેમજ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા ગામના સૌ કોઈ અચંબામાં મુકાયા છે. આ ઉપરાંત તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે. તેવું જણાવવામાં આવ્યું છે અને તે અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા. અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે બાળકી મરી ગઈ હોવાનું પણ દક્ષા રટણ કરે છે.

દક્ષા ઠાકોર પોતે ફોજી બનવાની વાત કરી રહી છે. તેના માતા-પિતા તેને ખુબજ પ્રેમ કરે છે. દક્ષા ઠાકોર પોતાના પુનઃજન્મની જે વાત કહી રહી છે. તે વિજ્ઞાન માટે પણ વિચારવા જેવી વાત છે. જોકે હાલમાં તો આ નાનકડી બાળકીને હિન્દીમાં વાત કરતી જોઈને પરિવાર સહીત ગ્રામજનોને પણ અચારત પમાડે છે.

પાલનપુરના ખસા ગામના જેતાજી ઠાકોરે જણાવ્યું હતું કે, મારી ત્રણ વર્ષની દીકરી દક્ષા અમારી સાથે હિન્દીમાં વાત કરતી હતી. જેથી અમને અલગ લાગતું પણ તે પુન:જન્મ હોવાનું અને તે અંજારમાં હતી. જ્યાં ભૂકંપ દરમિયાન તેનું મોત થયું હતું, તેવું રટણ કરતી હતી. જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છીએ.

  1. રાજ્યવ્યાપી પોલિયો અભિયાનની શરૂઆત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો પ્રારંભ - Anti Polio Vaccination Campaign
  2. વિકાસને ઝંખતુ ડાંગનું આહવા, પીવાના પાણી માટે પણ લોકોને ફાંફા - Lack of basic facilities in Dang
Last Updated : Jun 23, 2024, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details