વલસાડ: વાપી કે. બી. એસ કોલેજથી રીક્ષામાં કપરાડાના રોહિયાળ તલાટ ગામની કોલક નદી પાસે આવેલા પાંડવ કુંડમાં ફરવા માટે આવેલા 4 વિદ્યાર્થીઓ પાંડવ કુંડમાં નહાવા ઉતર્યા હતા .જેમાં એક યુવક ડૂબવા માંડતા તેને બચાવવા જતા એક પછી એક એમ 5 યુવકો ડૂબ્યા લાગ્યા હતા.બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એકનો બચાવ થયો છે.
2 ગ્રુપ દમણના ડાભેલથી ફરવા આવ્યું: વાપી ખાતે આવેલી કે. બી. એસ. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓનું 2 ગ્રુપ રીક્ષા કરીને કપરાડા વિસ્તારમાં આવેલા રોહિયાળ તલાટ ગામે જાણીતા પાંડવ કુંડની મુલાકાતે આવ્યા હતા. જ્યાં પાંડવકુંડમાં નાહ્વા ઉતરેલા 4 યુવકો ડૂબી જતા મોત થયું છે. જેને લઇને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ છે. તેની સાથે જ કોલેજના વિદ્યાર્થીમાં પણ શોકની લાગણી પ્રવર્તી છે. તો બીજી તરફ કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડેનો કાર્યક્રમ પણ યોજવાનો હોય, જો કે, આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ત્યારે એન્યુઅલ ડે પણ મોકો રખાય તેવી શક્યતાઓ છે.
કોલેજના વિદ્યાર્થીઓ ફરવા આવ્યા: વાપીની કે. બી. એસ કોલેજમાં કોમર્સમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ બે રીક્ષા કરીને રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુળની મુલાકાતે આવ્યા હતા. પ્રાકૃતિક વાતાવરણ હંમેશા વિદ્યાર્થીઓને આકર્ષતું રહ્યું છે, ત્યારે સેલ્ફી પોઇન્ટ અને પ્રાકૃતિક વાતાવરણની મોજ લેવા માટે આ તમામ વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપ સાથે નીકળ્યા હતા. જે 2 રીક્ષામાં કુલ 10 વિદ્યાર્થીઓ આવ્યા હતા
4ના ડૂબી જતા મોત, 1નો બચાવ:કોલેજના વિદ્યાર્થીઓ પૈકી ધનંજય, દેવરાજ, લક્ષ્મણ પુરી નામના 3 લોકો પાણીમાં નાહવા ઉતર્યા હતા. જો કે, પાણી ઉંડુ લાગતા તેઓને બચાવવા માટે આલોક પ્રદીપ શાહુ અને અનિકેત સંજીવ સિંગ નદીના પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં ડૂબી જતા 4 યુવકોનું મોત થયું હતું.
- ધનંજય લીલાધર ભોગલે ઉંમર 20 રહે ડાભેલ દમણ
- આલોક પ્રદીપ શાહે ઉંમર 19 રહે ડાભેલ દમણ
- અનિકેત સંજીવ સીંગ ઉંમર 22 રહે સોમનાથ ડાભેલ દમણ
- લક્ષ્મણ પુરી ગોસ્વામી ઉમર 22 ડાભેલ દમણ
આસપાસના લોકો મદદે આવ્યા:4 યુવાનો પાંડવ કુંડમાં ડૂબવાની ઘટના બનતા તેમને બચાવવા માટે ઉતરેલો અન્ય એક યુવક બચી જવા પામ્યો હતો ડૂબવાની ઘટનાને લઈને થયેલી બૂમાબૂમ જોતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ડૂબેલાને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સના માધ્યમથી કપરાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે 4 યુવકોને મૃત જાહેર કરતા ગમગીની ફેલાઈ છે