હૈદરાબાદ: રામોજી ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચેરુકુરી કિરણે સ્કાય સિટી, ગચ્ચિબાવલી, હૈદરાબાદ ખાતે માર્ગદર્શીની 121મી શાખાનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન, ચેરમેને ગ્રાહકોને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા માટે માર્ગદર્શીની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી. તેમણે તેને માર્ગદર્શીની અદ્ભુત યાત્રામાં એક અન્ય સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું.
ચેરમેન ચેરુકુરી કિરણે શુક્રવારે આ નવી શાખાના પ્રથમ ગ્રાહકો જમ્પાની કલ્પના દંપતીને ઉદ્ઘાટનની ચિટ રસીદ પણ સોંપી હતી. આ કાર્યક્રમમાં અનેક નામાંકિત વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જેમાં માર્ગદર્શી કંપનીના એમડી શૈલજા કિરણ, રામોજી ફિલ્મ સિટીના એમડી વિજયેશ્વરી, ઇટીવી ભારતના ડિરેક્ટર બૃહતી, સબલા મિલ્સના ડિરેક્ટર સહરી, રામોજી રાવના પૌત્ર સુજય અને ઇટીવીના સીઇઓ બાપિનેડુનો સમાવેશ થાય છે. ઈનાડુ તેલંગાણાના સંપાદક ડીએન પ્રસાદ, ઈનાડુ આંધ્રપ્રદેશના સંપાદક એમ નાગેશ્વર રાવ અને માર્ગદર્શી સીઈઓ સત્યનારાયણ અને અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
વિકાસ અને ગ્રાહક સેવા પ્રત્યે પ્રતિબદ્ધતા
મેનેજિંગ ડિરેક્ટર શૈલજા કિરણના નેતૃત્વ હેઠળ કંપનીના વિઝનને હાઇલાઇટ કરતાં તેમણે કહ્યું, "માર્ગદર્શી હંમેશા પોતાના ગ્રાહકો સાથે ઊભી રહેશે અને તેમના સપના સાકાર કરવામાં મદદ કરશે. અમે દરેકની જરૂરિયાતોને પુરા કરનારા ચિટ વિકલ્પોની વાઈટ રેંજ રજૂ કરીને 60 વર્ષાના વિશ્વાસને ટકાવી રાખીશું."