ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 1:55 PM IST

ETV Bharat / bharat

Bharat Jodo Nyay Yatra : ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણિયા પહોંચી, રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારના પૂર્ણિયા પહોંચી છે. આ દરમિયાન તેમણે સ્થાનિક ખેડૂતો સાથે વાતચીત કરી તેમની સમસ્યા સાંભળી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારમાં ઉદ્યોગપતિઓની લોન માફ થઈ શકે છે પરંતુ ખેડૂતોની નહીં. હું ઈચ્છું છું કે દેશના ખેડૂતોને ન્યાય મળે.

ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણિયા પહોંચી
ભારત જોડો ન્યાય યાત્રા પૂર્ણિયા પહોંચી

બિહાર :બિહારના અરરિયાથી ફરી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે પૂર્ણિયા પહોંચી હતી. રાહુલ ગાંધીએ પોતાની જાહેરસભા પહેલા પૂર્ણિયામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પણ રાજકારણી ખેડૂતોની જમીન બચાવવાની વાત કરશે, તેના પર 24 કલાક મીડિયા હુમલો કરશે. ભારત સરકાર જમીન સંપાદન કાયદાનો ભંગ કરી રહી છે.

રાહુલનું ખેડૂતોને આશ્વાસન :રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પણ રાજકારણી ખેડૂતોની જમીન બચાવવાની વાત કરે છે તેના પર 24 કલાક મીડિયા દ્વારા હુમલો કરવામાં આવશે. અહીં SSB ની જમીન છે, કાયદા મુજબ જો આ જમીનનો ઉપયોગ ન થાય તો આ જમીન 5 વર્ષમાં તમને મળી જવી જોઈએ. પરંતુ ભારત સરકાર જમીન સંપાદન કાયદાનો ભંગ કરી રહી છે. હું તમારા માટે આ પ્રશ્ન સંસદમાં ઉઠાવી શકું છું, હું તમને ખાતરી આપું છું કે અમારી સરકાર આવશે તો અમે તમારું કામ કરીશું.

ખેડૂતોને ચારેય બાજુથી ઘેરવામાં આવે છે. તમારી પાસેથી જમીન લઈને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને મફતમાં આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી 3 કાળા કાયદા લાવ્યા અને જે તમારું હતું તે તમારા નાક આગળ છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. માલ્યા અને અદાણીની લોન માફ કરી શકાય છે, પરંતુ ખેડૂતોની લોન માફ કરી શકાતી નથી. --રાહુલ ગાંધી (કોંગ્રેસ નેતા)

ખેડૂતોને ન્યાય મળવો જોઈએ :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના ખેડૂતો નરેન્દ્ર મોદીના કાળા કાયદા સામે ઉભા થયા તે સારું છે, નહીંતર તમારો જીવ બચ્યો ન હોત. મારું માનવું છે કે ખેડૂતો દેશની કરોડરજ્જુ છે. આજે દેશમાં અબજોપતિઓની 14 લાખ કરોડ રૂપિયાની લોન માફ થઈ શકે છે. માલ્યા અને અદાણીની લોન માફ થઈ શકે છે પરંતુ ખેડૂતોની નહીં. જો ખેડૂતોની લોન માફ ન થાય તો તેમની પણ માફ ન કરવી જોઈએ. આવું શા માટે ? ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ.

હું તમારો વિશ્વાસ પાછો આપીશ. હું ખોખલા શબ્દો નથી બોલતો. અમે ખેડૂતોની 72 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી છે. અમે જમીન સંપાદન બિલ લાવ્યા હતા. જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં અમારી સરકાર હતી ત્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળતો હતો. અમે કામ કર્યું છે અને આગળ પણ કામ કરીશું. અમારી સરકાર આવશે તો અમે કાયદો લાગુ કરીશું. -- રાહુલ ગાંધી (કોંગ્રેસ નેતા)

સરકાર પર આક્ષેપ :રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, જો આપણે ખેડૂતોની સુરક્ષા નહીં કરીએ અને દેશના ખેડૂતોને એવું નહીં લાગે કે સરકાર રક્ષણ નથી કરી રહી તો દેશ આગળ નહીં વધી શકે. પછી તે MSP હોય કે પછી લોન માફી, યોગ્ય ભાવ મેળવવાની વાત હોય, સત્ય તો એ છે કે સરકાર ખેડૂતોના દિલમાં રહેલા ડરને દૂર કરી શકી નથી. સરકારે પોતાનો સંપૂર્ણ વિશ્વાસ ગુમાવી દીધો છે.

  1. Bharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળ પહોંચ્યા, ફરી શરૂ કરશે ભારત જોડો ન્યાય યાત્રા
  2. Land For Job Scam: તેજસ્વી યાદવને EDનું તેડું, લેન્ડ ફોર જોબ મામલે થશે પુછપરછ

ABOUT THE AUTHOR

...view details