નારાયણપુરઃનારાયણપુરના માડ જંગલોમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ સર્જાઈ છે. આ એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યાથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. બંને બાજુએથી ગોળીબાર થયો હતો. આ અંગે બસ્તરના આઈજી સુંદરરાજ પીએ કહ્યું હતું કે અમારા જવાનો સતત નક્સલીઓના ગોળીબારનો જવાબ આપી રહ્યા છે.
અબૂઝમાડના જંગલોમાં ફરી નક્સલી સાથે સુરક્ષા જવાનોની અથડામણ, સામસામે ભયાનક ગોળીબાર - ENCOUNTER IN ABUJHMAD
છત્તીસગઢના અબૂઝમાડના જંગલોમાં ફરી એક વખત નક્સલીઓ સાથે સુરક્ષા જવાનોની અથડામણ સર્જાઈ છે.
![અબૂઝમાડના જંગલોમાં ફરી નક્સલી સાથે સુરક્ષા જવાનોની અથડામણ, સામસામે ભયાનક ગોળીબાર છત્તીસગઢના અબુઝમાડના જંગલોમાં અથડામણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-12-2024/1200-675-23042845-thumbnail-16x9-jpg.jpg)
Published : Dec 4, 2024, 7:47 PM IST
નારાયણપુર કોંડાગાંવ સરહદે એન્કાઉન્ટરઃઆ એન્કાઉન્ટર નારાયણપુર કોંડાગાંવ બોર્ડર પર અબુઝમાડના જંગલોમાં ચાલી રહ્યું છે. જેમાં બે જિલ્લાની સુરક્ષા દળોની ટીમ જોડાઈ છે. નારાયણપુર અને કોંડાગાંવની ડીઆરજી ટીમ અને બીએસએફની ટીમ આ નક્સલીઓ સામેના અભિયાનમાં સામેલ છે. સુરક્ષા દળોની એક ટીમ 3 નવેમ્બરે આ વિસ્તાર માટે રવાના થઈ હતી. ત્યાર બાદ ફોર્સ સમગ્ર વિસ્તારમાં નક્સલી ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારે આજે બુધવારે સુરક્ષા દળોનો નક્સલવાદીઓ સાથે સામનો થયો હતો.
છૂટક-છૂટક ગોળીબાર:બસ્તરના આઈજી સુંદરરાજ પીએ મીડિયાને જણાવ્યું કે, ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર ચાલુ છે. બપોરે 1 વાગ્યાથી એન્કાઉન્ટર શરૂ થયું છે. મંગળવારથી આ વિસ્તારમાં ફોર્સનું નક્સલી ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને ફોર્સના જવાનો આ વિસ્તારમાં સતર્કતાથી સામનો કરી રહ્યાં છે.