ચિક્મંગલુરુ, કર્ણાટક: કર્ણાટકને નક્સલવાદ સામેની લડાઈમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કારણ કે, રાજ્યએ શનિવારે તેમના છેલ્લા નક્સલીના આત્મસમર્પણ સાથે નક્સલવાદ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. ચિકમંગલુરુના પોલીસ અધિક્ષક (એસપી) વિક્રમ આમઠેએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોટેહોન્ડા રવિન્દ્ર નામના નક્સલીના આત્મસમર્પણ સાથે, રાજ્ય હવે સત્તાવાર રીતે નક્સલમુક્ત જાહેર કરી શકાય છે.
44 વર્ષીય રવિન્દ્ર જે શ્રૃંગેરી તાલુકા નજીક કોટેહોંડાનો રહેવાસી છે, અને વર્ષોથી જંગલોમાં રહેતો હતો. શુક્રવારે તે શ્રૃંગેરીમાં એસપી આમટે સમક્ષ આત્મસમર્પણ કરવા આવ્યો હતો, ત્યારબાદ તેને ડેપ્યુટી કમિશનર મીના નાગરાજ પાસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આત્મસમર્પણની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
પોલીસ અધિક્ષક આમટેએ જણાવ્યું હતું કે, 14 માર્ચ, 2024 થી અમલમાં આવેલી સરકારની નવી શરણાગતિ નીતિ હેઠળ રવિન્દ્રને 'A' શ્રેણીના નક્સલી ગણવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ, તેમને 7.5 લાખ રૂપિયાની નાણાકીય સહાય, વ્યાવસાયિક તાલીમ મેળવવાની તક અને 5,000 રૂપિયાનું માસિક ભથ્થું સહિત વિવિધ લાભો મળશે.