ગુજરાત

gujarat

ETV Bharat / bharat

AAP MLAs Horse Trading Case: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી

આજે સાંજે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ટીમ અચાનક જ દિલ્હી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. જો કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થઈ નહોતી. સમગ્ર મામલો ધારાસભ્યોની ખરીદ વેચ સાથે સંકળાયેલ છે. CM Arvind Kejriwal Delhi Police Crime Branch Team AAP MLAs Horse Trading Case

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 10:25 PM IST

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી

નવી દિલ્હીઃ શુક્રવાર મોડી સાંજે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. સમગ્ર મામલો ધારાસભ્યોની ખરીદ વેચ સાથે સંકળાયેલ છે. એસીપી એરોરાના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે આવી હતી. 10 મિનિટ સુધી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે રહ્યા હતા. જો કે અરવિંદ કેજરીવાલ એક લગ્નમાં ગયા હોવાથી ટીમ સાથે તેમની મુલાકાત થઈ નહતી. આપ નેતા આતિશીના ઘરે પણ એક ટીમ પહોંચી હતી. જો કે આતિશી પણ મળ્યા નહતા.

મળતી માહિતી અનુસાર આપ ધારાસભ્યોને ખરીદવા સાથે આખો મામલો સંકળાયેલ છે. ગત 27 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીની તેમની આપ સરકારને તોડી પાડવાનો આરોપ ભાજપ પર લગાવ્યો હતો. તેમણે સવારથી લઈને સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર વાકપ્રહાર કર્યા હતા.

કેજરીવાલે લગાવેલ આરોપો બાદ 30મી જાન્યુઆરીએ ભાજપ પ્રતિનિધિમંડળ પોલીસ કમિશ્નરને મળ્યું હતું. જેમાં દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પણ સામેલ હતા. આ મંડળે આપ ધારાસભ્યોની ખરીદ વેચના આરોપની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ ગત અઠવાડિયે ભાજપ નાણાં અને ચૂંટણી ટિકિટની લાલચ આપી ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે તેવો આરોપ લગાડ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, આપના 7 ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સાતેય ધારાસભ્યોને પાર્ટી બદલવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી છે.

આતિશીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને પક્ષ પલટા માટે 25 કરોડની ઓફર કરી હોવાનું જણાવ્યું હતું. આતિશીએ સમય આવ્યે પુરાવા અને ઓડિયો ક્લિપ જાહેર કરવાનું કહ્યું હતું.

  1. Delhi Liquor Scam : ED ના ત્રીજા સમન્સ બાદ પણ હાજર ન થયા CM કેજરીવાલ, જાણો શું જવાબ આપ્યો
  2. કેજરીવાલ સરકારની મુશ્કેલી વધી, એલજીએ કર્યો દિલ્હીમાં નકલી દવાઓ ખરીદવાના આરોપોની તપાસનો આદેશ

ABOUT THE AUTHOR

...view details