ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ચોથી બેચ ભારત પહોંચી, દિલ્હી પહોંચ્યું વિમાન - US DEPORTEE LANDS IN INDIA

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાથી બહાર કાઢવામાં આવેલા ભારતીય ઈમિગ્રન્ટ્સ પનામા થઈને ભારત પરત ફર્યા છે. જેમાંથી ચાર પંજાબના છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (IANS)

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2025, 10:15 PM IST

નવી દિલ્હી:અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 12 ભારતીયોને લઈને એક વિમાન રવિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની કાર્યવાહી અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પરત મોકલવાના નિર્ણય બાદ આ ચોથું વિમાન છે જે ભારતીયોને લઈને અહીં પહોંચ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સ પનામા થઈને ભારત પરત ફર્યા હતા. તેમાંથી ચાર પંજાબના છે - બે ગુરદાસપુરના, એક પટિયાલા અને જલંધરથી. જોકે આ વખતે તેમાં કોઈ ગુજરાતી નથી. અત્યાર સુધી જુદી જુદી 3 બેચમાં અમેરિકાથી 74 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરીને પાછા મોકલવામાં આવ્યા છે.

અમેરિકાએ લગભગ 299 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા પછી પનામા થઈને ભારત આવનાર ભારતીયોનું આ પહેલું જૂથ છે. ઉત્તર અમેરિકાના દેશો પનામા અને કોસ્ટા રિકા દેશનિકાલ કરાયેલા માઇગ્રન્ટ્સને પાછા મોકલવા માટે યુએસને સહયોગ કરી રહ્યા છે. તેના દ્વારા અમેરિકા એશિયાના વિવિધ દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલી રહ્યું છે.

આ પહેલા 16 ફેબ્રુઆરીએ 112 ભારતીયોને લઈને ત્રીજું યુએસ આર્મી પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું, જેમાં પંજાબના 31 લોકો સામેલ હતા. આ ઉપરાંત હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલના નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તે જ સમયે, 15 ફેબ્રુઆરીએ, અમેરિકાથી 119 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાં પંજાબના કુલ 67 યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પહેલું વિમાન 5 ફેબ્રુઆરીએ ભારત આવ્યું હતું
ભારતીય નાગરિકોને લઈને અમેરિકાથી પહેલું વિમાન 5 ફેબ્રુઆરીએ ભારત આવ્યું હતું, જેમાં 104 ભારતીય નાગરિકો સવાર હતા. જેમાં પંજાબના 30 અને હરિયાણા અને ગુજરાતના 33-33 લોકોનો સમાવેશ થાય છે. તેમાં મહારાષ્ટ્રના 3, ચંદીગઢના 2 અને ઉત્તર પ્રદેશના 2 લોકો હતા.

કથિત રીતે આ લોકોને હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ સાથે લાવવામાં આવ્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. બજેટ સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. આ પછી વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સરકાર એ સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે વાતચીત કરી રહી છે કે પાછા મોકલવામાં આવી રહેલા ભારતીયો સાથે દુર્વ્યવહાર ન થાય.

આ પણ વાંચો:

  1. BJP સાથે મુકાબલો કરવા કોંગ્રેસ અમદાવાદથી દેશવ્યાપી 'સંવિધાન બચાવો' યાત્રા શરૂ કરશે, 2027ની ચૂંટણી પર નજર!
  2. ઝાલાવાડમા 5 વર્ષનો માસૂમ ખુલ્લા બોરવેલમાં પડ્યો, બચાવ કાર્ય શરૂ

ABOUT THE AUTHOR

...view details