સહજાનંદ કોલેજ વિવાદ: રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ પહોંચી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6092831-thumbnail-3x2-bb.jpg)
ભુજ: સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ કોલેજમાં માસિક ધર્મની ચકચારી ઘટનાના તપાસ માટે રવિવારે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ ભુજ પહોંચી છે. રાજુલ બેન દેસાઈના નેતૃત્વમાં પહોંચેલી મહિલા આયોગની ટીમ હાલ ભુજના સર્કિટહાઉસ ખાતે તંત્રના જવાબદાર અધિકારીઓ, કચ્છ કલેકટર, અધિક કલેકટર, કચ્છ મહિલા વિકાસ સંગઠન સહિતની વિવિધ મહિલા આગેવાનો અને સાથે આ બાબતે સમગ્ર જાત માહિતી મેળવી હતી.
Last Updated : Feb 16, 2020, 4:36 PM IST