ETV Bharat / state

ધરમપુરના પીપરોળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છબરડાના પગલે લાભાર્થીઓમાં રોષ

author img

By

Published : Dec 12, 2019, 2:59 PM IST

વલસાડઃ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધતા છબરડાઓથી લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કારણ કે, આ યોજનાના લાભાર્થીઓને તેમનો હક મળી રહ્યો નથી. તો બીજી તરફ કેટલાંક એવા લોકો છે જેમના ખાતાઓમાં બે-બે વખતની સહાય રકમ જમા થઈ રહી છે. તો વળી, કોઈને વર્ષો સુધી એ પણ જાણ હોતી નથી કે, તેમને આવાસ યોજનાનો લાભ મળ્યો છે. આમ, નિયમોને માળીએ ચઢાવીને બેઠેલાં અધિકારીઓની લાલિયાવાડીને કારણે આવાસ યોજનાનો લાભ તેના ખરા લાભાર્થીને મળી રહ્યો નથી. જેથી રોષે ભરાયેલાં લાભાર્થીઓએ તંત્ર વિરૂદ્ધ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ધરમપુરના પીપરોળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છબરડાને પગલે લાભાર્થીઓમાં રોષ
ધરમપુરના પીપરોળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છબરડાને પગલે લાભાર્થીઓમાં રોષ

ધરમપુર તાલુકામાં આવેલાં પીપરોળ ગામમાં રહેતાં રામુભાઈ પસાર્યાને ઈન્દિરા આવાસ યોજનાનો લાભ 2013-14માં મળ્યો હતો. તેમના બેન્ક એકાઉન્ટમાં તાલુકા પંચાયત દ્વારા 12 સપ્ટેમ્બર 2013ના રોજ રૂપિયા 17,500 અને 2014માં 18 જૂને 42 હજાર રૂપિયાના બે હપ્તા ચૂકવાયા હતાં. આમ, સરકારી ચોપડે રામુભાઈને આ યોજનાનો લાભ મળ્યો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે રામુભાઈ પોતે આ વાતને લઈ અજાણ હોવાનું જણાવી રહ્યાં છે.

રામુભાઈએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, પત્ની ખાલીબેનને જાણ થઈ હતી કે તેઓને આવાસ યોજના હેઠળ સરકારી લાભ મળ્યો છે અને તેમના બેન્ક ખાતામાં રૂપિયા 30,000 જમા થયા છે. ત્યારબાદ તેમણે આ રકમનો ઉપયોગ ઘરના સમારકામમાં કર્યો હતો. હવે અચાનક આ રકમ પરત મેળવવા માટે તલાટી કમ મંત્રી દ્વારા તેમને નોટીસ પાઠવવામાં આવી છે. ત્યારે તેમણે જાણ થઈ કે, આ રકમ ભૂલથી તેમના ખાતામાં જમા થઈ હતી.

ધરમપુરના પીપરોળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છબરડાને પગલે લાભાર્થીઓમાં રોષ

આ ઘટનાની તપાસ સામે આવતાં તેમને ખબર પડી કે, તેમને તો વર્ષ 2013-14માં જ તેમને આવાસ યોજનાનો લાભ મળી ગયો હતો. તેમજ તેમના ખાતામાં બે વખતના હપ્તા પણ ચૂકવવામાં આવ્યાં હતાં. આ ચોંકાવનારી વિગત સામે આવતાં રામુભાઈએ કહ્યું હતું કે, "મારા ખાતામાં પૈસા જમા થયા તેની મને કોઈ જાણ જ નથી. મેં સરકારી કચેરીમાં મારા તમામ દસ્તાવેજ આપ્યાં હતા.હું ભણેલો નથી, એટલે અધિકારીઓએ મારા દસ્તાવેજનો શું ઉપયોગ કર્યો તેની મને કોઈ જાણ નથી."

આ રીતે સરકારી ચોપડે રામુભાઈએ આ યોજનાનો લાભ લીધો હોવાની બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકતમાં તેઓ આ યોજનાથી વંચિત હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે એ સવાલ ઉભો થાય છે કે, 2013-14માં રામુભાઈના ખાતામાં જમા થયેલાં પૈસા ગયા તો ગયા ક્યાં??

આમ, આ ઘટનાના કારણે રામુભાઈ હાલ ભારે હાલાકી વેઠી રહ્યાં છે. ત્યારે તંત્ર રામુભાઈને પૈસા પરત કરવા માટેનું દબાણ કરી રહ્યું છે. જેથી તેમણે ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરીને સમગ્ર ઘટનાની જાણ કરી છે. સાથે જ વહેલામાં વહેલી તકે આ અંગે તપાસ કરવાની માગ કરી છે. જો તંત્ર દ્વારા આ અંગે કોઈ ન્યાયી પગલા લેવામાં નહીં આવે તો, રામુભાઈએ સહપરિવાર આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ધરમપુર તાલુકામાં આવેલાં પીપરોળ ગામમાં રહેતાં રામુભાઈ પસાર્યાને ઈન્દિરા આવાસ યોજનાનો લાભ 2013-14માં મળ્યો હતો. તેમના બેન્ક એકાઉન્ટમાં તાલુકા પંચાયત દ્વારા 12 સપ્ટેમ્બર 2013ના રોજ રૂપિયા 17,500 અને 2014માં 18 જૂને 42 હજાર રૂપિયાના બે હપ્તા ચૂકવાયા હતાં. આમ, સરકારી ચોપડે રામુભાઈને આ યોજનાનો લાભ મળ્યો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે રામુભાઈ પોતે આ વાતને લઈ અજાણ હોવાનું જણાવી રહ્યાં છે.

રામુભાઈએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, પત્ની ખાલીબેનને જાણ થઈ હતી કે તેઓને આવાસ યોજના હેઠળ સરકારી લાભ મળ્યો છે અને તેમના બેન્ક ખાતામાં રૂપિયા 30,000 જમા થયા છે. ત્યારબાદ તેમણે આ રકમનો ઉપયોગ ઘરના સમારકામમાં કર્યો હતો. હવે અચાનક આ રકમ પરત મેળવવા માટે તલાટી કમ મંત્રી દ્વારા તેમને નોટીસ પાઠવવામાં આવી છે. ત્યારે તેમણે જાણ થઈ કે, આ રકમ ભૂલથી તેમના ખાતામાં જમા થઈ હતી.

ધરમપુરના પીપરોળ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છબરડાને પગલે લાભાર્થીઓમાં રોષ

આ ઘટનાની તપાસ સામે આવતાં તેમને ખબર પડી કે, તેમને તો વર્ષ 2013-14માં જ તેમને આવાસ યોજનાનો લાભ મળી ગયો હતો. તેમજ તેમના ખાતામાં બે વખતના હપ્તા પણ ચૂકવવામાં આવ્યાં હતાં. આ ચોંકાવનારી વિગત સામે આવતાં રામુભાઈએ કહ્યું હતું કે, "મારા ખાતામાં પૈસા જમા થયા તેની મને કોઈ જાણ જ નથી. મેં સરકારી કચેરીમાં મારા તમામ દસ્તાવેજ આપ્યાં હતા.હું ભણેલો નથી, એટલે અધિકારીઓએ મારા દસ્તાવેજનો શું ઉપયોગ કર્યો તેની મને કોઈ જાણ નથી."

આ રીતે સરકારી ચોપડે રામુભાઈએ આ યોજનાનો લાભ લીધો હોવાની બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકતમાં તેઓ આ યોજનાથી વંચિત હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે એ સવાલ ઉભો થાય છે કે, 2013-14માં રામુભાઈના ખાતામાં જમા થયેલાં પૈસા ગયા તો ગયા ક્યાં??

આમ, આ ઘટનાના કારણે રામુભાઈ હાલ ભારે હાલાકી વેઠી રહ્યાં છે. ત્યારે તંત્ર રામુભાઈને પૈસા પરત કરવા માટેનું દબાણ કરી રહ્યું છે. જેથી તેમણે ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરીને સમગ્ર ઘટનાની જાણ કરી છે. સાથે જ વહેલામાં વહેલી તકે આ અંગે તપાસ કરવાની માગ કરી છે. જો તંત્ર દ્વારા આ અંગે કોઈ ન્યાયી પગલા લેવામાં નહીં આવે તો, રામુભાઈએ સહપરિવાર આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Intro:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે 2022 સુધી દરેક આદિવાસી અને દરેક પરિવારને પોતાનું પાકું મકાન મળે અને તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે પરંતુ આવાસ યોજનામાં કેટલાક નિયમો છે પરંતુ આ નિયમોને નેવે મૂકીને ક્યારેક ખુદ સરકારી અધિકારી જ ભુલ કરી બેસતા હોય છે અને આ ભૂલનો ભોગ સામાન્ય લાભાર્થીને બનવું પડે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નો પ્રથમ હપ્તો ચૂકવી દેવાયા બાદ સરકારી અધિકારીઓને ધ્યાને આવ્યું કે લાભાર્થીને અગાઉ 2013માં ઇન્દિરા આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે તેથી ચૂકવાયેલ ઓ હપ્તો ફરીથી રિકવર કરવા માટે આ પરિવારને નોટિસ આપવામાં આવી છે જેને પગલે પરિવાર ના હોશ ઉડી ગયા હતા રોજ કમાઈને રોજ ખાનારા પરિવાર હવે રૂપ હજાર જેટલી જંગી રકમ કેવી રીતે ચૂકવશે તે બાબતે માનસિક પરેશાનીમાં મુકાયા છે અને મહત્વનું એ છે કે આ પરિવારને ઇન્દિરા આવાસ યોજનાનો લાભ મળ્યો જ નથી ઇન્દિરા આવાસ ના નામે આવેલા રૂપિયા કોણ ચાલુ કરી ગયું તે તપાસનો વિષય છે આ સમગ્ર બાબતે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આ પરિવારે સામૂહિક આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે જેને પગલે વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે


Body:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અંતરીયાળ વિસ્તાર આવેલા piplod ગામે રહેતા રામુભાઈ કાકડ ભાઈ પસાયા જેઓ બીપીએલમાં આવે છે અને તેમનો સ્કોર બાર છે જેથી તેમને વર્ષ 2013 14 માં ઇન્દિરા આવાસ યોજનાનો લાભ મળ્યો હતો અને તે માટે આ યોજના હેઠળ તેમના બેંક એકાઉન્ટમાં તાલુકા પંચાયત દ્વારા તારીખ 12 9 2013 ના રોજ ૧૭,૫૦૦ અને તારીખ 18 6 2014 ના રોજ 42 હજાર રૂપિયા બે હપ્તા ચૂકવાયા છે પરંતુ મહત્વનું એ છે કે રામુભાઈ ને અત્યાર સુધીમાં કોઈપણ આવાસ નો લાભ મળ્યો જ નથી સ્થળ ઉપર તેમનું મકાન આજે પણ કાચું જ છે તેમના મકાન ઉપર માત્ર પ્લાસ્ટિક નાખવામાં આવ્યું છે અને તેમને ઇન્દિરા આવાસ નો લાભ મળ્યો એ બાબત અંગેની પણ જાણ ત્યારે થઈ જ્યારે તેમની પત્ની ખાલી બેન નામે પ્રધાનમંત્રી આવાસ યોજના નું મકાન મંજૂર થયું અને વહીવટી તંત્ર દ્વારા ભૂલથી તેમને રૂપિયા 30000 નો પ્રથમ હપ્તો ચૂકવી દેવાયા અને આ હપ્તાની રકમ તેમણે મેળવીને તેમનું કાચું મકાન નું સમારકામ શરૂ કરી દીધું પરંતુ સરકારી અધિકારીને જ્યારે સમગ્ર બાબતની ભૂલ સમજાઈ ત્યારે રામુ ભાઈ ને પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રથમ હપ્તા પેટે આપવામાં આવેલી રૂપિયા 30 હજારની રકમ ભરત વસૂલવા માટે તલાટી કમ મંત્રીએ નોટિસ પાઠવી અને આ સમયે અધિકારીઓએ તેમને જણાવ્યું કે 2013 14 માં તેમણે ઈન્દિરા આવાસ ના નામે પૈસા કપાઇ ચૂક્યા છે પરંતુ બીજી તરફ રામુભાઈ પાસર્યા નાતો ઇન્દિરા આવાસ નો લાભ મળ્યો છે કે ના તો ઇન્દિરા આવાસ ના પૈસા મળ્યા છે તો હવે સવાલ એ થાય છે કે રામુભાઈ ના નામે આવેલું ઈન્દિરા આવાસનું મકાન ના પૈસા તેમના બેંક એકાઉન્ટમાંથી કોણ ઉઠાવી ગયું તો બીજી તરફ તો તેમને મકાન મળ્યું છે અને ઉપરથી સરકારી અધિકારીઓએ કરેલી ભૂલના ભોગ ને કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે આપવામાં આવેલા ૩૦ હજાર રૂ ની રકમ ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે રામુભાઈ એ જિલ્લા કલેકટરને અરજી કરી આ સમગ્ર બંને બાબતો ઉપર તપાસ નહીં કરવામાં આવે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે


Conclusion:તેમણે કલેકટરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓને ખબર જ નથી કે તેમના નામે ઇન્દિરા આવાસ યોજના નો લાભ મળ્યો છે તેઓ ક્યારેય તાલુકા પંચાયતમાં ગયા જ નથી કે ક્યારે પણ બેંકમાં પણ ગયા નથી તો પછી રામુભાઈ પસાયા ના નામે આવેલા ઇન્દિરા આવાસ ના બે હપ્તા ના પૈસા કોણ ઉઠાવી ગયું તેમની પાસે બેંક ની ચોપડીઓ ગ્રામ પંચાયતના સભ્ય ભાઈલુ ભાઈએ માંગી હતી અને તે પરત કરી ન હતી આ સમગ્ર બાબતે તેમણે તપાસની માંગ કરી છે તારીખ 15 1 2020 સુધી જો તેમને ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર સામૂહિક આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે

બાઈટ 1 રામુ ભાઈ પસાર્યા (ભોગબનનાર)

બાઈટ 2 અમરત ભાઈ (સ્થાનિક રહીશ)

બાઈટ 3 એ એચ પટેલ (તાલુકા વિકાસ અધિકારી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.