વલસાડ શહેરમાં રાત્રે ધોબીતળાવ વિસ્તારમાં કેટલાક ઈસમો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. તેમજ હથિયારો બતાવી લોકોને ધમકાવી રહ્યા હોવાની માહિતી પોલીસને માહિતી મળી હતી. આ ઘટનાને લઇને D.Y.S.P વલસાડ શહેર P.I તેમજ પોલીસનો મોટો કાફલો ધોબીતળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં આવી કોઈ પણ પ્રવૃત્તિ દેખાઈ ન હતી. જેને કારણે કોઈએ ફોન કરી અફવા ફેલાવવાનું પ્રયાસ કર્યો હોવાનું D.Y.S.Pએ જણાવ્યુ હતુ.
વલસાડમાં અસામાજિક તત્વોનો શાંતિ ડોહળવાનો પ્રયાસ, પોલીસે કર્યુ પેટ્રોલિંગ
વલસાડ : શહેરના ધોબી તળાવ વિસ્તારમાં અસામાજિક તત્વો હથિયારો બતાવી નિર્દોષને ધમકાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ દોડતી થઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે માત્ર અફવા છે. વાતાવરણ ન ડોહળાય તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસે ધોબીતળાવ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ સાથે સાથે પોલીસે અનેક વિસ્તારની ચકાસણી પણ કરી હતી. વલસાડ શહેરમાં બે અલગ અલગ જ્ઞાતિના યુવક અને યુવતીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. જેને લઇને બે કોમો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું. જેના કારણે વલસાડ શહેરમાં કેટલાક અસામાજિક તત્વોએ વિવિધ પ્રકારની અફવાનો સહારો લીધો હોવાનું પોલીસ માની રહી છે. પરંતુ આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ શહેરના D.Y.S.P ચાવડાએ જણાવ્યું કે, પોલીસ સતત નાનામાં નાની માહિતી પર નજર રાખી રહી છે. અને હાલ તો પોલીસે શાંતિ અને સલામતી જાળવવા કમાન સંભાળી છે.
વલસાડ શહેરમાં રાત્રે ધોબીતળાવ વિસ્તારમાં કેટલાક ઈસમો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. તેમજ હથિયારો બતાવી લોકોને ધમકાવી રહ્યા હોવાની માહિતી પોલીસને માહિતી મળી હતી. આ ઘટનાને લઇને D.Y.S.P વલસાડ શહેર P.I તેમજ પોલીસનો મોટો કાફલો ધોબીતળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં આવી કોઈ પણ પ્રવૃત્તિ દેખાઈ ન હતી. જેને કારણે કોઈએ ફોન કરી અફવા ફેલાવવાનું પ્રયાસ કર્યો હોવાનું D.Y.S.Pએ જણાવ્યુ હતુ.
પોલીસે ધોબીતળાવ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ સાથે સાથે પોલીસે અનેક વિસ્તારની ચકાસણી પણ કરી હતી. વલસાડ શહેરમાં બે અલગ અલગ જ્ઞાતિના યુવક અને યુવતીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. જેને લઇને બે કોમો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું. જેના કારણે વલસાડ શહેરમાં કેટલાક અસામાજિક તત્વોએ વિવિધ પ્રકારની અફવાનો સહારો લીધો હોવાનું પોલીસ માની રહી છે. પરંતુ આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ શહેરના D.Y.S.P ચાવડાએ જણાવ્યું કે, પોલીસ સતત નાનામાં નાની માહિતી પર નજર રાખી રહી છે. અને હાલ તો પોલીસે શાંતિ અને સલામતી જાળવવા કમાન સંભાળી છે.
વલસાડ શહેર માં ગઈ કાલે મોડી રાત્રે ધોબીતળાવ વિસ્તારમાં કેટલાક ઈસમો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું અને હથિયારો બતાવી કેટલાક વિધર્મી લોકોને ધમકાવી રહ્યા હોવાની માહિતી કોઈએ પોલીસને ફોન કરી જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી જોકે રાત્રે દોઢ વાગ્યે બનેલી આ ઘટનાને લઇને ડીવાયએસપી વલસાડ શહેર પીઆઈ તેમજ પોલીસનો મોટો કાફલો ધોબીતળાવ વિસ્તારમાં પહોંચી ગયો હતો પરંતુ ત્યાં આવી કોઈ પણ પ્રવૃત્તિ દેખાઈ ન હતી જેને કારણે કોઈએ ફોન કરી અફવા ફેલાવવાનું પ્રયાસ કર્યો હોવાનું માહિતી ડીવાયએસપીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવી હતી તેમણે કહ્યું કે વલસાડ શહેરની શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ નાનામાં નાની માહિતી ઉપર નજર રાખી રહી છે અને ગઈકાલે રાત્રે તેમણે ધોબીતળાવ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું તેમજ સાથે સાથે પોલીસે ચાલીને અનેક વિસ્તારની ચકાસણી પણ કરી હતી પરંતુ તેઓને આવી કોઈ ઘટના તપાસમાં બહાર આવી નહીં જેના કારણે એવું જણાઈ રહ્યું છે કે કેટલાક ઈસમોએ પોલીસને દોડાવવા માટે આવી અફવા નો સહારો લીધો છે તેમ છતાં પણ પોલીસે હાલ ધોબીતળાવ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ જાળવી રાખ્યું છેConclusion:નોંધનીય છે કે વલસાડ શહેરમાં ગઈકાલે એક યુવક અને યુવતીએ બંને અલગ અલગ જ્ઞાતિ ના હોય પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા જેને લઇને બે કોમો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું પરંતુ બાદમાં યુવક-યુવતીઓએ પોતાના લગ્ન અંગેના કોર્ટ ના કાગળો પોલીસને હવાલે કરતાં પોલીસે બંને પરિવારના જવાબો લઈ તેઓને રવાના કર્યા હતા જેના કારણે વલસાડ શહેરમાં કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ દોહળવા માટે વિવિધ પ્રકારની અફવા નો સહારો લીધો હોવાનું હાલ પોલીસ માની રહી છે જોકે આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ શહેરના ડીવાયએસપી ચાવડાએ જણાવ્યું કે પોલીસ સતત નાનામાં નાની માહિતી ઉપર નજર રાખી ગંભીરતાપૂર્વક તપાસનો દોર ચલાવી રહી છે અને હાલ તો પોલીસે શાંતિ અને સલામતી જાળવવા કમાન સંભાળી છે