ETV Bharat / state

વલસાડના સોંઢલવાડા ગામે દીપડાએ વાછરડું ફાડી ખાતા ફફડાટ

વલસાડઃ જિલ્લાના પારડી ખાતે આવેલા સોંઢલવાડા ગામમાં વહેલી પરોઢિયે ઘર આંગણે બાંધેલા વાછરડાને દિપડાએ ફાડી ખાતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિપડાનો આતંક વધ્યો છે ત્યારે જંગલખાતાએ દિપડાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડના સોંઢલવાડા ગામે દીપડાએ વાછરડું ફાડી ખાતા ફફડાટ
author img

By

Published : Jun 9, 2019, 3:38 AM IST

પારડી તાલુકાના સોંઢલવાડા ગામે શુક્રવારે વહેલી સવારે ઈશ્વરભાઈ ભંડારીને ઘર આંગણે બાંધેલા વાછરડાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાની જાણ ઈશ્વરભાઈએ ગામના સરપંચને કર્યા બાદ સરપંચે વનવિભાગને સમગ્ર બાબતની જાણકારી આપી હતી.

જેના બાદ જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટનાને ગંભીરતાપુર્વક લઈ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.

પારડી તાલુકાના સોંઢલવાડા ગામે શુક્રવારે વહેલી સવારે ઈશ્વરભાઈ ભંડારીને ઘર આંગણે બાંધેલા વાછરડાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાની જાણ ઈશ્વરભાઈએ ગામના સરપંચને કર્યા બાદ સરપંચે વનવિભાગને સમગ્ર બાબતની જાણકારી આપી હતી.

જેના બાદ જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટનાને ગંભીરતાપુર્વક લઈ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.

Visual send in FTP 

Slag:-વલસાડના સોઢલવાડા ગામે દીપડા એ વાછરડું ને ફાડી ખાતા ફફડાટ,જંગલ વિભાગે પાંજરું ગોઠવાની તજવીજ હાથ ધરી 



વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલા સોંઢલવાડા ગામમાં વહેલી પરોઢિયે ઘર આંગણે બાંધેલી એક વાછરડીને દિપડાએ ફાડી ખાતા સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિપડાનો આતંક વધી જવા પામ્યો છે અગાઉ પણ બે થી ત્રણ ગામોમાંથી દીપડાઓ ને પકડી લેવામાં આવ્યા હતા છતાં પણ ફરીથી તેઓ માનવ વસાહત તરફ આવી જતા હોય જેને લઇને સમગ્ર પંથકમાં હાલ ભયનો માહોલ ઉભો થયો છે આજે બનેલી ઘટના બાદ જંગલખાતાને જાણકારી આપવામાં આવ્યા બાદ દિપડાને પકડી લેવા માટે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોનવાડા ગામે આજે વહેલી સવારે ઈશ્વર ભાઈ રમણ ભાઈ ભંડારીને ઘર આંગણે બાંધેલી એક વાછરડી નું દીપડા એ મારણ કરતા કેટલાક અવશેષો વહેલી સવારે સ્થાનિક ને મળી આવતા દીપડો હોવાની વાતને લઈ ને સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે જોકે આ ઘટનાની જાણ ઈશ્વરભાઈએ ગામના સરપંચ ને કર્યા બાદ સરપંચ શ્રી એ વનવિભાગને સમગ્ર બાબતની જાણકારી આપી હતી જે બાદ જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટનાને ગંભીરતાપુર્વક લઈ દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી

Location:-pardi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.