ETV Bharat / state

મહારાષ્ટ્રમાં ભૂકંપના આચંકા વલસાડમાં અનુભવાયા - ભૂકંપ

વલસાડ: ગુજરાતમાં વલસાડ અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ ત્રણ દિવસથી ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેના લીધે વલસાડના ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં કંપન અનુભવાયું હતુ.

rere
author img

By

Published : Nov 21, 2019, 8:01 PM IST

મહારાષ્ટ્રમાં આવતા ભૂકંપની અસર વલસાડમાં પણ જોવા મળી હતી.જો કે, બે દિવસ અગાઉ કચ્છમાં પણ 4.3 તીવ્રતાના ત્રણ આંચકા સહિત કુલ મળીને 6 આંચકા નોંધાયા હતાં. જેને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ 21મી નવેમ્બર મહારાષ્ટ્રના પાલઘર 2.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કેટલાક આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતાં.

મહારાષ્ટ્રમાં આવતા ભૂકંપની અસર વલસાડમાં પણ જોવા મળી હતી.જો કે, બે દિવસ અગાઉ કચ્છમાં પણ 4.3 તીવ્રતાના ત્રણ આંચકા સહિત કુલ મળીને 6 આંચકા નોંધાયા હતાં. જેને પગલે લોકોમાં ભય ફેલાઈ ગયો છે. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ 21મી નવેમ્બર મહારાષ્ટ્રના પાલઘર 2.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કેટલાક આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતાં.

Intro:Location :- vapi


વાપી :- કચ્છ અને દિલ્હીની ધરાને ધ્રુજાવનાર ભૂકંપના આંચકાથી ગુજરાત-મહારાષ્ટ્રની ધરા પણ ધ્રુજી રહી છે. 3.8 થી 1.6 રિકટર સ્કેલના આંચકાથી મહારાષ્ટ્રની પાલઘરની ધરા સતત ત્રણ દિવસથી ધ્રુજી રહી છે. જેમાં 21મી નવેમ્બરે એક જ દિવસમાં 1.6 થી 3.2 રિકટર સ્કેલના 5 હળવા કંપન નોંધાતા એપિસેન્ટર આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.

Body:ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ત્રણ દિવસથી ધરા ધ્રુજી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 11 હળવા કંપન અનુભવાયા છે. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ 21મી નવેમ્બર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાંજે 4:17 વાગ્યે 2.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો 21મી નવેમ્બરે એ પહેલાં વહેલી સવારે 4:48 વાગ્યે 1.6 રિકટર સ્કેલ, 5:17 વાગ્યે 1.9 રિકટર સ્કેલ, 5:21 વાગ્યે 1.9 રિકટર સ્કેલ, 7:20 વાગ્યે 3.2 રિકટર સ્કેલના હળવા કંપન અનુભવાયા હતાં. તમામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલઘરના ગંગાગાંવ, દેવગાંવ, વેલગાંવ, વરઇ, તુલજાપુર નજીક નોંધાયું હતું.


જ્યારે, એજ રીતે 19મી નવેમ્બર અને 20 મી નવેમ્બરે વધુ 6 આંચકા નોંધાઇ ચુક્યા છે. જે તમામ આંચકા 1.9થી 3.8 ની તીવ્રતા ના હતાં. સતત ધરતી કંપના આંચકા નોંધાતા આ વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે. કેટલાક આંચકાની તીવ્રતા વધુ હોવાને કારણે ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ અનુભવ્યા હતાં

Conclusion:ઉલ્લેખનીય છે કે પાલઘરમાં સતત ધરતી કંપના આંચકા નોંધાઇ રહ્યાં છે. જેમાં થોડાક મહિના પહેલા ધરતીકંપના આંચકામાં એક કાચું મકાન તૂરી પડતા ઘરના મોભીનું અવસાન પણ થયું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.