ETV Bharat / state

આરોગ્યલક્ષી સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર ડભોઈ પહોંચ્યા - latest news of vadodra

ડભોઈમાં વધી રહેલા કોરોના કેસના પગલે જિલ્લા કલેક્ટરે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા ડભોઈ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ડભોઈ સહિતના પાંચ ગીચ વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક આરોગ્યલક્ષી સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. સાથે લોકહિતને ધ્યાનમાં રાખીને જરૂરી નિર્ણય લીધા હતા.

ડભોઈ
ડભોઈ
author img

By

Published : Jul 10, 2020, 4:34 PM IST

વડોદરાઃ ડભોઇ નગરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ કેસ વધી રહ્યાં છે. તેની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેથી તાલુકામાં ચાલતી આરોગ્યલક્ષી સ્થિતી વિશે માહિતી મેળવવા માટે જિલ્લા કલેકટર શાલીનીબેન અગ્રવાલે ડભોઇ નગરની મુલાકાત લીધી હતી. સાથે જ તલાવપુરા, કડીયાવાડ સહિતના પાંચ વિસ્તારોની મુલાકાત લઈને આરોગ્ય ટીમની કામગીરીની સમીક્ષા કરી હતી.

આરોગ્યલક્ષી સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર ડભોઈ પહોંચ્યા
રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ તેમજ આયુર્વેદિક ઉકાડો હિતાવહ છે કે નહીં, તેમજ લોકો સુધી દવાઓ પહોંચે છે કે નહીં તેની સમીક્ષા કરવા માટે આજ રોજ ડભોઇ ખાતે જિલ્લા કલેકટર શાલિનીબેન અગ્રવાલે મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ડભોઇના ગીચ વિસ્તાર ગણાતા કડીયાવાડ તલાવપુરા અને સોસાયટી વિસ્તારોની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન કલેક્ટરની સાથે પ્રાંત અધિકારી હિમાંશુભાઈ પરીખ, મામલતદાર જે.એન.પટેલ, નગર આગેવાન વકીલ અશ્વિનભાઈ પટેલ, ડો.ગુડિયા રાણી , પી.આઈ. જે.એમ. વાઘેલા સહિતના અધિકારીઓએ પણ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ડભોઈ નગરમાં કોરોના સંક્રમણ અટકાવા માટે જરૂરી નિર્ણયો લઈને નગરને સુરક્ષિત કરવાના હેતુ કલેકટરે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તેમણે કોરોના નિદાનની સારવાર અને દવાઓ સહિતની બાબતો વિશેની જાણકારી મેળવી હતી.

વડોદરાઃ ડભોઇ નગરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ કેસ વધી રહ્યાં છે. તેની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેથી તાલુકામાં ચાલતી આરોગ્યલક્ષી સ્થિતી વિશે માહિતી મેળવવા માટે જિલ્લા કલેકટર શાલીનીબેન અગ્રવાલે ડભોઇ નગરની મુલાકાત લીધી હતી. સાથે જ તલાવપુરા, કડીયાવાડ સહિતના પાંચ વિસ્તારોની મુલાકાત લઈને આરોગ્ય ટીમની કામગીરીની સમીક્ષા કરી હતી.

આરોગ્યલક્ષી સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર ડભોઈ પહોંચ્યા
રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ તેમજ આયુર્વેદિક ઉકાડો હિતાવહ છે કે નહીં, તેમજ લોકો સુધી દવાઓ પહોંચે છે કે નહીં તેની સમીક્ષા કરવા માટે આજ રોજ ડભોઇ ખાતે જિલ્લા કલેકટર શાલિનીબેન અગ્રવાલે મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ડભોઇના ગીચ વિસ્તાર ગણાતા કડીયાવાડ તલાવપુરા અને સોસાયટી વિસ્તારોની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન કલેક્ટરની સાથે પ્રાંત અધિકારી હિમાંશુભાઈ પરીખ, મામલતદાર જે.એન.પટેલ, નગર આગેવાન વકીલ અશ્વિનભાઈ પટેલ, ડો.ગુડિયા રાણી , પી.આઈ. જે.એમ. વાઘેલા સહિતના અધિકારીઓએ પણ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ડભોઈ નગરમાં કોરોના સંક્રમણ અટકાવા માટે જરૂરી નિર્ણયો લઈને નગરને સુરક્ષિત કરવાના હેતુ કલેકટરે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તેમણે કોરોના નિદાનની સારવાર અને દવાઓ સહિતની બાબતો વિશેની જાણકારી મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.