ETV Bharat / state

ગંદા પાણીની સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યુ

author img

By

Published : Sep 14, 2019, 5:23 PM IST

સુરેન્દ્રનગરઃ શહેરમાં આવેલાં વઢવાણમાં વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. છતાં આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા તંત્રમાં હલ્લાબોલ કર્યુ હતું, અને તાત્કાલિક ધોરણે ગંદા પાણીના નિકાલ અંગેની ઉગ્ર રજૂઆત કરી હતી

ગંદા પાણીની સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યુ

વઢવાણ નગરપાલિકા વોડૅ નં1 ઉમિયા ટાઉનશીપમાં ગટરના ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર ફરી વળે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક પાલિકા, કલેક્ટર અને તંત્રમાં ગટરના કોન્ટ્રાક્ટરોને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ કલેક્ટર કચેરીમાં ધસી ગઇ હતી.

15 દિવસ પહેલા પણ મહિલાઓ કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ ગુરુવારના રોજ મહિલાઓએ અધિક કલેક્ટરને લેખિત આવેદન પાઠવતા જણાવ્યું હતું કે, બે માસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાયેલા છે. અગાઉ 15 દિવસ પહેલાં પણ કલેક્ટર કચેરીમાં 150થી વધુ સ્થાનિક બહેનોએ લેખીત આવેદન પાઠવ્યું હતું. છતાં ગંદા પાણીનો નિકાલ આજદિન સુધી કરાયો નથી.

ગંદા પાણીની સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યુ

ગટરના પાણી ઉભરાવવા અને વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદા પાણી ઘરના દરવાજા સુધી પહોંચી ગયા હ તા. જેના કારણએ મચ્છરોના અસહય ઉપદ્રવથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. બાળકો સહિત તમામ લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. છતાં લબાડ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.એટલે મહિલાઓએ અધિક કલેકટરને રજૂઆત કરી હતી. પણ તેમની પાસેથી યોગ્ય જવાબ ન મળતા મહિલોઓનુ ટોળાએ શુક્રવારના રોજ ધારાસભ્ય ઘરે પહોંચી ધારાસભ્ય ધનજીભાઈ પટેલનાને ઉગ્ર રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, વઢવાણ નગરપાલિકાના વોર્ડ 1 આવેલ ઉમીયા ટાઉનશીપ અંદાજે 2500 મકાન આવેલા છે. પાલીકા તરફથી કોઇ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો અને હાલમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાલીકાએ પાણી નિકાલ માટે કોઇ યોગ્ય રસ્તો નહિ કરતા લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. તેમજ વાહનવ્યવહારમાં પણ ભારે હાલાકી પડે છે. જેથી આ વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ગંદા પાણીના નિકાલની માગ કરવામાં આવી છે. જો આ માગ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

વઢવાણ નગરપાલિકા વોડૅ નં1 ઉમિયા ટાઉનશીપમાં ગટરના ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર ફરી વળે છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક પાલિકા, કલેક્ટર અને તંત્રમાં ગટરના કોન્ટ્રાક્ટરોને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓ કલેક્ટર કચેરીમાં ધસી ગઇ હતી.

15 દિવસ પહેલા પણ મહિલાઓ કલેક્ટરને રજૂઆત કરી હતી. તેમજ ગુરુવારના રોજ મહિલાઓએ અધિક કલેક્ટરને લેખિત આવેદન પાઠવતા જણાવ્યું હતું કે, બે માસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાયેલા છે. અગાઉ 15 દિવસ પહેલાં પણ કલેક્ટર કચેરીમાં 150થી વધુ સ્થાનિક બહેનોએ લેખીત આવેદન પાઠવ્યું હતું. છતાં ગંદા પાણીનો નિકાલ આજદિન સુધી કરાયો નથી.

ગંદા પાણીની સમસ્યાઓનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ધારાસભ્યના ઘરે હલ્લાબોલ કર્યુ

ગટરના પાણી ઉભરાવવા અને વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદા પાણી ઘરના દરવાજા સુધી પહોંચી ગયા હ તા. જેના કારણએ મચ્છરોના અસહય ઉપદ્રવથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. બાળકો સહિત તમામ લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. છતાં લબાડ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.એટલે મહિલાઓએ અધિક કલેકટરને રજૂઆત કરી હતી. પણ તેમની પાસેથી યોગ્ય જવાબ ન મળતા મહિલોઓનુ ટોળાએ શુક્રવારના રોજ ધારાસભ્ય ઘરે પહોંચી ધારાસભ્ય ધનજીભાઈ પટેલનાને ઉગ્ર રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, વઢવાણ નગરપાલિકાના વોર્ડ 1 આવેલ ઉમીયા ટાઉનશીપ અંદાજે 2500 મકાન આવેલા છે. પાલીકા તરફથી કોઇ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો અને હાલમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાલીકાએ પાણી નિકાલ માટે કોઇ યોગ્ય રસ્તો નહિ કરતા લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. તેમજ વાહનવ્યવહારમાં પણ ભારે હાલાકી પડે છે. જેથી આ વિસ્તારમાં તાત્કાલીક ધોરણે ગંદા પાણીના નિકાલની માગ કરવામાં આવી છે. જો આ માગ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

Intro:Body:Gj_Snr_dharasbhay ne rajuaat_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા

એન્કર.

વઢવાણ નવા 80 ફુટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપમાં વોડૅ1 છેલ્લા બે માસથી વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના નિકાલની કોઇ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું ગુરુવારે કલેક્ટર કચેરીએ ધસી ગયું હતું. તેમજ ત્યાથી યોગ્ય જવાબ ન મળતા ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ના ધરે જઈને ઉગ્ર રજૂઆત કરી હતી અને સોસાયટી વિસ્તાર ભયંકર રોગચાળામાં સપડાય તે પહેલા તાત્કાલીક પાણીના નિકાલની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

વઢવાણ નગરપાલિકા વોડૅ1 ઉમિયા ટાઉનશીપમાં ગટરના ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે વારંવાર ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક પાલિકા,કલેક્ટર ને તંત્રમાં તેમજ ગટરના કોન્ટ્રાક્ટરોને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા મહિલાઓ કલેક્ટર કચેરીએ ધસી ગઇ હતી. 15દીવસ પહેલા પણ મહીલાઓ કલેક્ટરને રજૂઆત કરી હતી તેમજ ગઈકાલે ગુરુવારે મહિલાઓ અધિક કલેક્ટરને જ્યાં લેખીત આવેદન પાઠવતા જણાવ્યું કે બે માસથી ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાયેલા છે. અગાઉ 15 દિવસ પહેલા પણ કલેક્ટર કચેરીમાં 150 થી વધુ સ્થાનિક બહેનોએ લેખીત આવેદન પાઠવવા છતાં ગંદા પાણીના નિકાલની આજ દિવસ સુધી કોઇ કામગીરી કરાઇ નથી. એક તરફ ગટરના પાણી ઉભરાઇ છે અને બીજી તરફ તેમાં વરસાદી પાણી ભળતા હવે ગંદા પાણી ઘરના દરવાજા સુધી પહોંચ્યા છે અને ગંદા પાણીની તીવ્ર વાસ હવે સહન કરાય તેમ નથી. સતત ભરાયેલા રહેત ગંદા પાણીના મચ્છરોના અસહય ઉપદ્રવથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાય પહેલા કાર્યવાહી કરવા માંગ કરી હતી.પરંતુ અધિક કલેકટર દ્રારા યોગ્ય જવાબ ન મળતા મહિલોઓનુ ટોળુ ગુરુવારે સાજે ધારાસભ્ય ધરે પહોંચ્યા હતુ પરંતુ ધારાસભ્ય ધરે ન હોવાથી ફરીથી શુક્રવારે સવારે ધારાસભ્ય ધનજીભાઈ પટેલના ધરે જઈને ઉગ્ર રજૂઆત કરી હતી.

વઢવાણ નગરપાલિકાના વોર્ડ 1 આવેલ ઉમીયા ટાઉનશીપ અંદાજે પચીસો મકાન આવેલ છે તેમને પાલીકા તરફથી કોઇ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો અને હાલમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાલીકાએ પાણી નિકાલ માટે કોઇ યોગ્ય રસ્તો નહિ કરતા લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે ને લોકો ગંદા પાણીના ભરાવાથી ત્રસ્ત બન્યા છે આ રસ્તેથી ચાલીને બાળકો પણ શાળાએ જઇ શકતા નથી જેથી આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે તાત્કાલીક ગંદા પાણી નો નિકાલ પાલીકા તંત્ર દ્વારા નહિં કરવામાં આવે તો ઉગ્ર આદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

વઢવાણ ઉમિયા ટાઉનશીપના લોકો ધારાસભ્ય ધનજીભાઈ પટેલના ધરે દોડી ગયા બાદ ધારાસભ્ય ધનજીભાઈ પટેલને પુછતા જણાવ્યું હતુ કે લોકોની રજૂઆત ને આધારે જાણવા મળ્યુ છે કે જેટર મશીન થી જે ગટર ચોકપ થઈ ગઈ છે તેનાથી સાફ કરવી પડશે તેમજ પાણીનો નો નિકાલ ન હોવાથી તેમજ ખાનગી પ્લોટમા પાણી ભરાય છે તેમજ રોડ રસ્તા પર ચાલી શકાય તેમ નથી તેમજ લોકોને હોસ્પિટલમાં અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે ખાડાઓ મા લોકોને પડી જવાના કારણે ઈજા પણ પહોંચી છે તેમજ ભુગભ ગટર પણ વેકયુમ કીલનર સીસ્ટમ વાળી હોવાથી લોકો જયાં ત્યા કચરો નાખે તે કચરો ગટર મા જવાને કારણે સમસ્યા ઉભી થાય છે તેમજ લોકોની રજૂઆત શછે કે કચરો પણ લેવા નથી આવતા યોગ્ય સાફ સફાઈ નથી થતી તેમજ કચરો લેવા પણ નહી આવતા આજે જ કલેકટર અને ચિફ ઓફીસર ને સૂચના આપવામાં આવશે તેમજ લોકોએ પણ જ્યા ત્યા ગંદકી અને કચરો ન નાખવો જોઈએ જ્યારે ધારાસભ્ય સમસ્યા હોવાનૂ ખુદ સ્વિકારી રહયા છે અને અ મામલે કલેક્ટર અને નગરપાલિકા સાથે વાત ચીત કરીને લોકોની સમસ્યા તાત્કાલિક હલ થાય તે માટે સૂચના આપવામાં આવશે.

હાલ ગટર અને વરસાદી પાણી લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો હાલ તો ત્રાહિમામ પોકારી ચુકયા છે.તેમજ તાત્કાલિક ધોરણે સમસ્યાઓનો ઉકેલ આવે તેવી માગ કરી રહયા છે.

બાઈટ.
1. ધનજીભાઈ પટેલ (ધારાસભ્ય,વઢવાણ)
2. નીમૂબેન(સ્થાનિક મહિલા)
3. મુકેશભાઈ(સ્થાનિક)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.