સુરેન્દ્રનગર : દૂધરેજ ખાતે આવેલું વડવાળા મંદિર (Dudhrej Vadwala Temple) સમગ્ર દેશ અને દુનિયામાં વસતા માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા મંદિરને પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે 3 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેને લઈને ફાગણ સુદ પુનમના દિવસે વડવાળા દેવના પ્રાગટ્ય દિવસે વડવાળા મંદિર દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો : NRIએ નેચરલ સેનેટાઇઝ ટર્નલ બનાવ્યું, વડવાળા મંદિરમાં અર્પણ કર્યું
રજવાડી ઠાઠથી સન્માન - ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ધીગીંધરામાં પર ભજન, ભોજન અને ભક્તિનું ખુબ જ માન છે. ગુજરાતના લોકોને મંદિરો પ્રત્યે દાન, મંદિર નિર્માણ જેવી વસ્તુઓમાં પાછા પડતા નથી. ત્યારે દૂધરેજ ખાતે આવેલુ (CM Bhupendra Patel honored at Vadwala temple) વડવાળા મંદિરને વિકસાવવા માટે સરકાર દ્વારા 3 કરોડ ફાળવવા આવ્યા હતા. જેને લઈને મંદિરના મહંત કનિરામબાપુ, કોઠારી મુકુંદ બાપુ સહિતનાઓ દ્વારા મુખ્ય પ્રધાન તેમજ ગ્રુહપ્રધાન હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા સહીતનાઆેનું રજવાડી પાઘડી અને બંડી પહેરાવી સન્માન કર્યું હતું.
આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન અવસરે સુરેન્દ્રનગરમાં મહા આરતી યોજાઇ
"દૂષણોની પણ હોળી કરવી" - આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે, રાજસત્તા અને ધર્મ સત્તાનું સતત માર્ગદર્શન મળતું રહે છે તે આપણી વિશેષતા છે. તેમજ હોળીના (CM Bhupendra Patel at Vadwala Temple) પાવન પર્વ પર સમાજમાંથી વ્યસન, કુરિવાજો તેમજ વેરઝેર સહીતના દૂષણોની પણ હોળી કરવા જણાવ્યું હતું. અને આત્મનિર્ભર ગુજરાતની નેમને પાર પાડવા સૌ સહિયારો પ્રયાસ કરવા અપીલ કરી હતી.