- શ્વાનને પરિવારના સભ્યોની જેમ રાખતા હતા
- શ્વાનું કિડનીની બીમારીના કારણે 5 વર્ષ પહેલા મોત નીપજ્યું
- શ્વાનના નિધન બાદ 10 લાખના ખર્ચે ગુજરાતનું પહેલું પ્રાણીઓનું ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું
સુરતઃ પ્રાણીઓને ડાયાલિસિસની સારવાર માટે હવે શહેરીજનોને મુંબઈ કે દિલ્હી જવાની જરૂર પડશે નહીં. કારણ કે, સુરતના એક તબીબે પોતાના પાલતુ શ્વાનના નિધન બાદ તેની યાદમાં 10 લાખના ખર્ચે ગુજરાતનું પહેલું પ્રાણીઓનું ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે. તબીબી મહેન્દ્ર ચૌહાનના ઘરે 5 વર્ષ પહેલાં એક પાલતું શ્વાન હતું. આ શ્વાનને મહેન્દ્રભાઈ પરિવારના સભ્યોની જેમ રાખતા હતા.
5 વર્ષ પહેલાં મોત
આ શ્વાની કિડની ફેલ થઈ જતાં તેમનું 5 વર્ષ પહેલા મોત નીપજ્યું હતું. મહેન્દ્રભાઈએ શ્વાની સારવાર માટે ગુજરાતમાં તપાસ કરી હતી, પરંતુ ગુજરાતમાં આ શ્વાનની સારવાર ઉપલબ્ધ નહોતી. જેથી તેમના શ્વાનને સમયસર યોગ્ય સારવાર ન મળતાં મોત નીપજ્યું હતું. આ પરિવારે શ્વાનની યાદમાં 10 લાખના ખર્ચે ડાયાલિસિસ સેન્ટર ઉભું કર્યું છે. આ સેન્ટર પર પાલતુ શ્વાન અને બિલાડીઓને મફત સારવાર આપવા આવશે.
પાલતું શ્વાન અને બિલાડીઓ મફત સારવાર આપવામાં આવશે
પ્રાણી પ્રેમી મહેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક પણ સ્થળે ડાયાલિસિસ સેન્ટર ન હોવાના કારણે અસંખ્ય પ્રાણીઓને સારવાર મળતી નથી. જેથી તેમનું મોત થાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતના લોકોને સારવાર માટે મુંબઈ અથવા દિલ્હી સુધી જવું પડતું હોય છે. આ સાથે અનેક પશુઓને સમય પર સારવાર પણ મળતી નથી. જેથી પ્રાણીઓનું મોત થાય છે. આ સાથે જ મહેન્દ્રભાઈએ જણાવ્યું કે, તેમના ડાયાલિસિસ સેન્ટરમાં પ્રાણીઓને મફત સારવાર આપવામાં આવશે.