ETV Bharat / state

સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી રમઝાન દરમિયાન ખાણી-પીણી બજારની પરંપરા

author img

By

Published : May 20, 2019, 10:02 PM IST

સુરતઃ હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસ નિમિત્તે સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણીના બજારની પરંપરા છે. આ બજારમાં મુસ્લિમ બિરાદરોની સંખ્યાં જેટલી હોય છે તેટલી જ હિંદુઓની હોય છે. આ બજારને ઐતિહાસિક માનવામાં આવે છે.

સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણીના બજારની પરંપરા

સુરતનાં રાંદેર ખાતે પાછલા અનેક દાયકાઓથી આયોજિત થતા મુસ્લિમોનાં રમજઝાનના બજારમાં હાલ રોનક જોવા મળી રહી છે. આ બજારમાં મુસ્લિમો ઉપરાંત હિન્દુ પરિવારો પણ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે.

સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણીના બજારની પરંપરા

રાંદેર ગામમાં લાગતો અસલ રમઝાનનો મેળો, જેમાં મસ્ત ખાવસાથી લઈને ચટાકેદાર પરાઠા અને સ્પેશિયલ કુલ્ફી મળે છે. દર વર્ષે અહીં આવનારા લોકોની સંખ્યાં વધતી જ રહે છે. આ મેળામાં વેચાતા ખાવસા અને આલુપુરી આમ તો મુળ મ્યાનમાર(બર્મા )ની વાનગી છે. પણ રાંદેર વિસ્તારના ઘણા મુસ્લિમ પરિવારો બર્માથી સુરતના રાંદેર વિસ્તારમાં સ્થાયી થયા છે. જેના કારણે આ રેસીપી સુરતમાં લઈ આવેલા અને સુરતીઓએ પણ આ રેસીપીને દિલો-જાનથી અપનાવી લીધી છે. આજની તારીખે ખાવસા અને આલુપુરી માત્રને માત્ર સુરતમાં જ ખવાય છે. ખાસ કરીને કુલ્ફી તો મહિલાઓ માટે ફેવરિટ બની ગઈ છે. દરેક વયના લોકો મોટી સંખ્યામાં અહી ખાણી પીણીની મજા માણવા આવે છે. આ ઐતિહાસિક રમઝાનનું બજાર એકતાનું પ્રતીક બની ગયું છે. કારણ કે, હિન્દૂ મુસ્લિમ બંને મળીને અનેક વાનગીઓની મઝા માણે છે.

સુરતનાં રાંદેર ખાતે પાછલા અનેક દાયકાઓથી આયોજિત થતા મુસ્લિમોનાં રમજઝાનના બજારમાં હાલ રોનક જોવા મળી રહી છે. આ બજારમાં મુસ્લિમો ઉપરાંત હિન્દુ પરિવારો પણ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે.

સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણીના બજારની પરંપરા

રાંદેર ગામમાં લાગતો અસલ રમઝાનનો મેળો, જેમાં મસ્ત ખાવસાથી લઈને ચટાકેદાર પરાઠા અને સ્પેશિયલ કુલ્ફી મળે છે. દર વર્ષે અહીં આવનારા લોકોની સંખ્યાં વધતી જ રહે છે. આ મેળામાં વેચાતા ખાવસા અને આલુપુરી આમ તો મુળ મ્યાનમાર(બર્મા )ની વાનગી છે. પણ રાંદેર વિસ્તારના ઘણા મુસ્લિમ પરિવારો બર્માથી સુરતના રાંદેર વિસ્તારમાં સ્થાયી થયા છે. જેના કારણે આ રેસીપી સુરતમાં લઈ આવેલા અને સુરતીઓએ પણ આ રેસીપીને દિલો-જાનથી અપનાવી લીધી છે. આજની તારીખે ખાવસા અને આલુપુરી માત્રને માત્ર સુરતમાં જ ખવાય છે. ખાસ કરીને કુલ્ફી તો મહિલાઓ માટે ફેવરિટ બની ગઈ છે. દરેક વયના લોકો મોટી સંખ્યામાં અહી ખાણી પીણીની મજા માણવા આવે છે. આ ઐતિહાસિક રમઝાનનું બજાર એકતાનું પ્રતીક બની ગયું છે. કારણ કે, હિન્દૂ મુસ્લિમ બંને મળીને અનેક વાનગીઓની મઝા માણે છે.

Intro:સુરત : હાલમાં ચાલી રહેલા પવિત્ર રમજાન માસ નિમિત્તે સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણી ના બજારની પરંપરા છે. આ બજારમાં મુસ્લિમ બિરાદરો ની સઁખ્યાં જેટલી હોય છે તેટલી જ હિંદુઓની હોય છે. અહીં હિન્દૂ મુસ્લિમ મળીને ખાણીપીણીની મજા માણતા હોય છે. રાત્રિના સમયે મેળામાં જામેલી ભીડ તેમજ ખાણીપીણી અને ખરીદીની મજા માણવા લોકો સુરત બહારથી પણ આવે છે. આ બજારને ઐતિહાસિક માનવામાં આવે છે.





Body:સુરતનાં રાંદેર ખાતે પાછલા અનેક દાયકાઓથી ભરાતા મુસ્લિમોનાં રમજાનના બજારમાં હાલ રોનક જોવા મળી રહી છે. આ બજારમાં મુસ્લિમો ઉપરાંત હિન્દૂ પરિવારો પણ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે.  રાંદેરમાં રમજાન માસ નિમિત્તે રાંદેરના પરંપરાગત બજારમાં રોજ હિન્દુ-મુસ્લિમ બિરાદરો ઉમટે છે. મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. અને જ્યારે વાત કોઈ તહેવારની હોય તો સુરતના લોકો તમામ તહેવાર ધામધૂમ થી ઉજવતા હોય છે.મુસ્લિમ બિરાદરોના પવિત્ર મહિનાને પણ લોકો ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે. સુરતમાં 'રમઝાન' કે જેની રાહ મુસ્લીમોની સાથે દરેક હિન્દુઓ પણ જોતા હોય છે કારણકે અહી રાંદેર ગામમાં લાગતો અસલ રમઝાનનો મેળો, જેમાં મસ્ત ખાવસાથી લઈને ચટાકેદાર પરાઠા,અને સ્પેશિયલ કુલ્ફી મળે છે. રાંદેર ગામમાં વર્ષોથી ખાણીપીણી નું બજાર ભરાય છે અને દર વર્ષે અહીં આવનાર લોકોની સઁખ્યાં વધતી જ રહી છે.


પવિત્ર માસ રમઝાનમાં રોજ સાંજની નમાજ પછી રોજા છુટે એટલે મુસ્લીમ ભાઈઓ તો રોજો પુર્ણ કરવા ખાવા આવે સાથે સ્વાદની મજા લેવા સુરતના લોકો પણ ઉત્સાહ થી ખવાપીવા ની મજા લેવા આ બજારમાં આવતા હોય છે. આ મેળામાં વેચાતા ખાવસા અને આલુપુરી આમ તો મુળ મ્યાનમાર ( બર્મા ) ની વાનગી છે પણ રાંદેર વિસ્તારના ઘણા મુસ્લિમ પરિવારો બર્મા થી સુરત ના રાંદેર વિસ્તારમાં સ્થાયી થયા છે  જેના કારણે આ રેસીપી સુરતમાં લઈ આવેલા અને સુરતીઓએ પણ આ રેસીપીને દિલો-જાનથી અપનાવી લીધી છે . આજની તારીખે ખાવસા અને આલુપુરી માત્ર ને માત્ર સુરતમાં જ ખવાય છે.ખાસ કરીને કુલ્ફી તો મહિલા ઓ માટે ફેવરિટ બની ગઈ છે દરેક વયના લોકો મોટી સંખ્યામાં અહી ખાણી પીણીની મજા માણવા આવે છે. આ ઐતિહાસીક રમઝાનનું બજાર એકતાનુ પ્રતીક બની ગયુ છે કારણ હિન્દૂ મુસ્લિમ બન્ને મળીને અનેક વાનગીઓની મઝા માણી રહ્યા છે.






Conclusion:કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ વિશ્વ પ્રખ્યાત છે પરંતુ મીની ભારત બની ગયેલા સુરતમાં લોકો દરેક ધર્મના તહેવાર ધામધૂમ થી ઉજવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.