ETV Bharat / state

સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 11નો કર્યો ઘટાડો

સાબર ડેરી ( Sabar dairy ) દ્વારા આજે ગુરૂવારે ઘી(Ghee)ના ભાવમાં રૂપિયા 11નો ઘટાડો કરવામાં આવ્યો છે. સાબર ડેરીએ પ્રતિ કીલોએ 11 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પ્રજાજનોમાં ખુશી છવાઈ છે. કોરોના મહામારીમાં વધતી મોંઘવારી વચ્ચે સાબર ડેરી દ્વારા રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે.

author img

By

Published : Jul 1, 2021, 7:58 PM IST

સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 11નો કર્યો ઘટાડો
સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 11નો કર્યો ઘટાડો
  • સાબર ડેરી દ્વારા ઘી ના ભાવમાં કરાયો ઘટાડો
  • વધતી મોંઘવારી સામે રાહતના સમાચાર
  • એક મહિનામાં બીજી વખત ભાવમાં ઘટોડો કરાયો

સાબરકાંઠાઃ અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ( Sabar dairy ) દ્વારા આજે ગુરૂવારે ઘી(Ghee)ના ભાવમાં વધુ એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. અમુલ ઘીમાં રૂપિયા 11નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પ્રજાજનોને સીધો ફાયદો મળી રહેશે. એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે ઘીના ભાવમાં ઘટાડો કરાતા પ્રજાજનો માટે રાહતના સમાચાર છે.

સાબર ડેરી
સાબર ડેરી

બે વખત ભાવમાં ઘટાડો કરાતા લોકોને હવે રૂપિયા 23નો ફાયદો

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક મહામારી કોરોના એ તમામ લોકોના બજેટ ઉપર વ્યાપક અસર કરી છે. ત્યારે મોંઘવારીના આ સમયગાળામાં સાબર ડેરી( Sabar dairy )માંથી આજે એક રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. સાબર ડેરીએ છેલ્લા એક માસમાં ઘી ના ભાવમાં બીજી વખત ઘટાડો કરતા સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને પ્રતિ કિલોએ રૂપિયા 23નો ફાયદો મળી રહેશે. સાથોસાથ અમુલ( Amul )ના 15 કિલો ઘીના ટીનમાં પણ રૂપિયા 165ની રાહત આપવામાં આવી છે. આ મામલે અમુલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે, બોલ માર્કેટિંગ ફેડરેશન ( Marketing Federation ) દ્વારા ભાવ ફેર સમય સંજોગને આધિન થતો હોય છે. ઘી સહિત અન્ય પ્રોડક્ટમાં કરાયેલો ભાવ વધારો કે ઘટાડાની પશુપાલકોને તેમજ ખેડૂતોને કોઈ મોટું નુકસાન થતું નથી. કોરોના મહામારી અંતર્ગત લેવાયેલા નિર્ણયનો લાભ જિલ્લાના પ્રજાજનોને સીધો મળી રહેતો હોય છે, જે જરૂરી બની રહે છે.

શામળ પટેલ, ચેરમેન અમુલ ફેડરેશન
શામળ પટેલ, ચેરમેન અમુલ ફેડરેશન

આ પણ વાંચોઃ સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો, 2 જિલ્લામાં ખુશી

અગાઉ પણ પ્રતિ કિલોએ રૂપિયા 12નો ઘટાડો જાહેર કરાયો હતો

સાબરડેરીએ સમગ્ર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની એકમાત્ર જીવાદોરી સમાન આધારશિલા છે. સાબર ડેરી દ્વારા બનાવાતા લુઝ તેમજ પેક કરાયેલા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 11 રૂપિયાનો ઘટાડો જાહેર કરાયો છે. આ અગાઉ 3 જૂને પણ પ્રતિ કિલોએ રૂપિયા 12 ઘટાડો જાહેર કરાયો હતો. જેથી છેલ્લા એક માસમાં પ્રતિ કિલો ઘીના રૂપિયા 23નો ઘટાડો કરવામાં આવે છે. સાથોસાથ 15 કિલો ટીનમાં પણ રૂપિયા 165ની રાહત આપવામાં આવી છે.

સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 11નો કર્યો ઘટાડો

પશુ દાણમાં પણ ભાવ ઘટે તેવી પશુપાલકોની માગ

જોકે, આગામી સમયમાં પશુપાલકોની માંગ અંતર્ગત પશુદાણમાં પણ ઘટાડો જાહેર કરાય તો તેનો સીધો લાભ બંને જિલ્લાના પશુપાલકોને મળી શકે તેમ છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આ મામલે આરટીઆઈ દ્વારા કેવા અને કેટલા પગલા લેવાય છે.

આ પણ વાંચોઃ અમુલ દૂધ (Amul Milk ) માં પ્રતિ લિટરે રૂપિયા 2 નો ભાવ વધારો કરાતા વડોદરા મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો

  • સાબર ડેરી દ્વારા ઘી ના ભાવમાં કરાયો ઘટાડો
  • વધતી મોંઘવારી સામે રાહતના સમાચાર
  • એક મહિનામાં બીજી વખત ભાવમાં ઘટોડો કરાયો

સાબરકાંઠાઃ અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી ( Sabar dairy ) દ્વારા આજે ગુરૂવારે ઘી(Ghee)ના ભાવમાં વધુ એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. અમુલ ઘીમાં રૂપિયા 11નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પ્રજાજનોને સીધો ફાયદો મળી રહેશે. એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે ઘીના ભાવમાં ઘટાડો કરાતા પ્રજાજનો માટે રાહતના સમાચાર છે.

સાબર ડેરી
સાબર ડેરી

બે વખત ભાવમાં ઘટાડો કરાતા લોકોને હવે રૂપિયા 23નો ફાયદો

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક મહામારી કોરોના એ તમામ લોકોના બજેટ ઉપર વ્યાપક અસર કરી છે. ત્યારે મોંઘવારીના આ સમયગાળામાં સાબર ડેરી( Sabar dairy )માંથી આજે એક રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. સાબર ડેરીએ છેલ્લા એક માસમાં ઘી ના ભાવમાં બીજી વખત ઘટાડો કરતા સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને પ્રતિ કિલોએ રૂપિયા 23નો ફાયદો મળી રહેશે. સાથોસાથ અમુલ( Amul )ના 15 કિલો ઘીના ટીનમાં પણ રૂપિયા 165ની રાહત આપવામાં આવી છે. આ મામલે અમુલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે, બોલ માર્કેટિંગ ફેડરેશન ( Marketing Federation ) દ્વારા ભાવ ફેર સમય સંજોગને આધિન થતો હોય છે. ઘી સહિત અન્ય પ્રોડક્ટમાં કરાયેલો ભાવ વધારો કે ઘટાડાની પશુપાલકોને તેમજ ખેડૂતોને કોઈ મોટું નુકસાન થતું નથી. કોરોના મહામારી અંતર્ગત લેવાયેલા નિર્ણયનો લાભ જિલ્લાના પ્રજાજનોને સીધો મળી રહેતો હોય છે, જે જરૂરી બની રહે છે.

શામળ પટેલ, ચેરમેન અમુલ ફેડરેશન
શામળ પટેલ, ચેરમેન અમુલ ફેડરેશન

આ પણ વાંચોઃ સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો, 2 જિલ્લામાં ખુશી

અગાઉ પણ પ્રતિ કિલોએ રૂપિયા 12નો ઘટાડો જાહેર કરાયો હતો

સાબરડેરીએ સમગ્ર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની એકમાત્ર જીવાદોરી સમાન આધારશિલા છે. સાબર ડેરી દ્વારા બનાવાતા લુઝ તેમજ પેક કરાયેલા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 11 રૂપિયાનો ઘટાડો જાહેર કરાયો છે. આ અગાઉ 3 જૂને પણ પ્રતિ કિલોએ રૂપિયા 12 ઘટાડો જાહેર કરાયો હતો. જેથી છેલ્લા એક માસમાં પ્રતિ કિલો ઘીના રૂપિયા 23નો ઘટાડો કરવામાં આવે છે. સાથોસાથ 15 કિલો ટીનમાં પણ રૂપિયા 165ની રાહત આપવામાં આવી છે.

સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 11નો કર્યો ઘટાડો

પશુ દાણમાં પણ ભાવ ઘટે તેવી પશુપાલકોની માગ

જોકે, આગામી સમયમાં પશુપાલકોની માંગ અંતર્ગત પશુદાણમાં પણ ઘટાડો જાહેર કરાય તો તેનો સીધો લાભ બંને જિલ્લાના પશુપાલકોને મળી શકે તેમ છે. ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આ મામલે આરટીઆઈ દ્વારા કેવા અને કેટલા પગલા લેવાય છે.

આ પણ વાંચોઃ અમુલ દૂધ (Amul Milk ) માં પ્રતિ લિટરે રૂપિયા 2 નો ભાવ વધારો કરાતા વડોદરા મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.