ETV Bharat / state

દેશને રક્ષકોની ભેટ આપતું ગામ, જ્યાં 700થી વધુ યુવાનો સેનામાં છે તૈનાત

author img

By

Published : Aug 15, 2019, 11:26 AM IST

Updated : Aug 15, 2019, 12:57 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં એક એવું ગામ છે, જ્યાંના યુવાનો માત્ર દેશ સેવા માટે જન્મે છે. આ શા માટે કહેવાય છે ? એ પશ્ન સહજ છે. તમે એક પરિવારમાંથી ફોજમાં જોડાતા લોકો વિશે સાંભળ્યું હશે. પણ ગામમાં 700થી વધુ યુવાનો દેશ સેવા માટે જતાં હોય તેવું ભાગ્ય જ જોયું કે સાંભળ્યું હશે. આજે 15 ઓગસ્ટના દિવસે આપણે આવા જ એક ગામની વાત કરવા જઈ રહ્યાં છે.

દેશને રક્ષકની ભેટ આપતું કોડીવાળા ગામ, જ્યાંના 700થી વધુ યુવાનો સૈન્યમાં છે તૈનાત

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં કોડિયાવાડા નામનું નાકડુ ગામ આવેલું છે. જ્યાંના બાળકોમાં દેશ માટે મરી મીટવાનો જુસ્સો વારસામાં મળે છે. નાનપણથી તેમને એક ફોજીની જેમ ઉછેરવામાં આવે છે. દેશભક્તિ તેમના લોહીમાં હોવાથી હાઈસ્કુલના અભ્યાસ બાદ બાળકો સીધાં ફોજમાં જોડાઈ જાય છે. ગામમાં 700થી વધુ યુવાનો ફોજમાં ડ્યુટી બજાવે છે. તો 500થી વધુ યુવાનો હાલ દેશમાં સૈન્યમાં ફરજ બજાવે છે. આમ, દેશભક્તિનો આ વારસો સતત આગળ વધી રહ્યો છે.

દેશને રક્ષકની ભેટ આપતું કોડીવાળા ગામ, જ્યાંના 700થી વધુ યુવાનો સૈન્યમાં છે તૈનાત

આ ગામમાં બાળકોમાં દેશ સેવા માટેનો જેટલો જુસ્સો બાળકોમાં જોવા મળે છે. એનાથી વધુ અડગ વિશ્વાસ, ત્યાગ અને બલિદાનની ભાવના એ બાળકોની માતામાં જોવા મળે છે. પોતાના બાળકોમાં દેશપ્રેમનું સિંચન કરે છે. તેમનામાં દેશભક્તિનો સાચો અર્થ સમજાવી દેશ માટે મરી મીટવાનો અને પોતાના દેશવાસીઓની સુરક્ષા માટે કંઈ પણ કરી છૂટવાના ઝૂનૂનને પોષે છે. જ્યારે તે ઘરનો ભાર સંભાળવા લાયક બને ત્યારે દેશને સોંપી છે. સલામ છે, એવી માને તેમના બાળકોને, જે પોતાના પરિવારનો ક્ષણવાર વિચાર કર્યા વિના દેશની સેવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરે છે.

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં કોડિયાવાડા નામનું નાકડુ ગામ આવેલું છે. જ્યાંના બાળકોમાં દેશ માટે મરી મીટવાનો જુસ્સો વારસામાં મળે છે. નાનપણથી તેમને એક ફોજીની જેમ ઉછેરવામાં આવે છે. દેશભક્તિ તેમના લોહીમાં હોવાથી હાઈસ્કુલના અભ્યાસ બાદ બાળકો સીધાં ફોજમાં જોડાઈ જાય છે. ગામમાં 700થી વધુ યુવાનો ફોજમાં ડ્યુટી બજાવે છે. તો 500થી વધુ યુવાનો હાલ દેશમાં સૈન્યમાં ફરજ બજાવે છે. આમ, દેશભક્તિનો આ વારસો સતત આગળ વધી રહ્યો છે.

દેશને રક્ષકની ભેટ આપતું કોડીવાળા ગામ, જ્યાંના 700થી વધુ યુવાનો સૈન્યમાં છે તૈનાત

આ ગામમાં બાળકોમાં દેશ સેવા માટેનો જેટલો જુસ્સો બાળકોમાં જોવા મળે છે. એનાથી વધુ અડગ વિશ્વાસ, ત્યાગ અને બલિદાનની ભાવના એ બાળકોની માતામાં જોવા મળે છે. પોતાના બાળકોમાં દેશપ્રેમનું સિંચન કરે છે. તેમનામાં દેશભક્તિનો સાચો અર્થ સમજાવી દેશ માટે મરી મીટવાનો અને પોતાના દેશવાસીઓની સુરક્ષા માટે કંઈ પણ કરી છૂટવાના ઝૂનૂનને પોષે છે. જ્યારે તે ઘરનો ભાર સંભાળવા લાયક બને ત્યારે દેશને સોંપી છે. સલામ છે, એવી માને તેમના બાળકોને, જે પોતાના પરિવારનો ક્ષણવાર વિચાર કર્યા વિના દેશની સેવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરે છે.

Intro:સાબરકાંઠા નું એક એવું ગામનો કે જયાં દેશ માટે 700 ઉપરાંત સૈનિકો રિટાયર્ડ છે અને 500 કરતા વધારે દેશ સેવા ની ફરજ પર હાજર છે. સાબરકાંઠા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલું નાનકડું ગામ કે જ્યાં દેશ માટે મરી ફિટવાનો જોમ,જુસ્સો અને અટલ વિશ્વાસ કાયમ છે.Body:સાબરકાંઠાના વિજયનગર તાલુકા નું કોડિયાવાડા ગામ દેશ માટે સમર્પિત થવા ગામનો દરેક યુવાન બાળપણ થી તત્પર છે. જેમાં પોતાનું દેહ દેશ માટે અર્પિત થવા અને દેશ કાજે લડાઈ અને રક્ષા કાજે તત્પર અને તૈયાર છે. સાબરકાંઠા નું વિજયનગર તાલુકાનું કોડિયાવાડા ગામમાં હાલ 700 થી વધુ યુવાનો ફોજ મા ડ્યૂટી પુરી કરી રિટાયર્ડ આર્મી મેન તરીકે ફરજ બજાવે છે તેમજ 500 થી વધારે યુવકો હાલ ડેધ માં સૈન્ય માં ફરજ બજાવે છે.

વિઓ -- ભારત એ એનું બંધારણ આ જ તારીખે અપનાવેલું. પ્રસંગ ગૌરવનો છે, આખા જગત સામે ટટ્ટાર છાતી કરીને ઊંડા શ્વાસો ભરતા ભરમાં ત્રાડ નાખવાનો જઝ્બો છે અને સૌથી વધુ તો અભિમાનનો દિવસ એટલે 15મી ઓગસ્ટ. આપણે જેને દેશ કાજે જીવ ગુમાવનાર વીર શહીદો અને પોતાનો પરિવાર છોડી સરહદો પર જનારા વિરો ને ક્યારેય યાદ કરવા જ રહ્યા.
ગુજરાત નું સાબરકાંઠા ના છેવાડું તાલુકો વિજયનગર જેની ગિરિમાળા મા આવેલું કોડિયાવાડા ગામ. આ ગામ એવું છે કે જયાં એકજ હાઈસ્કૂલમાંથી ભણી ને નીકળેલા બાળકો આજે દેશ ના રક્ષક માટે તેઓ ફોજ મા જોડાયા હતા. એ વખત થી લઈ અત્યાર સુધી 700 રિટાયર્ડ અને 500 દેહ કાજે ફરજ પર હાજર તેવા શૂરવીરો આર્મી મા ભરતી થયા છે તમને લાગતું હશે કે આવું કઈ શક્ય હશે પણ જુઓ આ બાળકો જ્યા બાળપણ થી જ તેઓ આ માટે તત્પર છે.


આ યુવાનો જેમ અહીંના પહાડો ની જેમ તેમનો મનોબળ ને સલામ છે જે લોકો પોતાની જોબ માટે ગવર્મેન્ટ મા મોટી પોસ્ટ માટે નહીં પણ અહિતો મહેનત કરીને સવાર મા દોડ લાગવીને હરીફાઈમાં આ ગામ ક્યારેય પાછું નથી પડ્યું અને ફોજ ની ભરતી મા આગળ હોય છે એવા આ યુવાનો નું ઘડતર અને તેમના જજબાત ને સલામ..

વૉલ્ક થ્રુ

આ ગામમાં બાળપણથી દેશ ની સેવા માટે શૂરવીરો પેદા થયા છે. આ ગામના વંશ વેલો પિતા આર્મી મા રિટાયર્ડ થાય ત્યાંજ દીકરો ફરજ પર હાજર થયો હોય અને અહીંયા પેઢી દર પેઢી ચલી આવતો જુસ્સો જે ગુજરાત નહિ પણ સમગ્ર ભારત નોંધ લે તેવું ગામ એટલે કોડિયાવાડા.Conclusion:જે આજ કોડિયાવાડા ગામના 3 થી 4 પેઢી ના આ ફોજ મા જોડાયેલા છે અને તેઓ એ દેશ કાજે રક્ષણ આપી અને લોકો શાંતિ અને સલામતી રહી હકે તે માટે આ વીર પુરુષો નું અને શૂરવીરો નું ગામ કોડિયાવાડા હજુ પણ પ્રાથમિક સમસ્યાઓ થી વિહોણું છે જે પૂરા કરવા જરૂરી છે.
Last Updated : Aug 15, 2019, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.