ETV Bharat / state

Heritage Minal Vav : વીરપુરની મીનળવાવ ગંદકીથી ખદબદી રહી, જગ્યા સાથે બાળકના સ્તનપાનને લઈને લોકોની આસ્થા

author img

By

Published : Apr 26, 2023, 8:06 PM IST

Updated : Apr 26, 2023, 9:47 PM IST

રાજકોટના વીરપુર પાસે આવેલી હેરિટેજ તરીકે ઓળખાતી મીનળવાવ હાલ કચરાથી ખદખદી રહી છે. આ પવિત્ર મીનળવાવ સાથે માતા બાળકની સમસ્યાને લઈને લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે દિવસેને દિવસે હવામાં ઉડીને આવતો કચરો વાવના જળમાં એકત્રિત થઈ રહ્યો છે. તો બીજી તરફ ગંદકીના કારણે પ્રવાસીઓમાં પણ ફરક પડી રહ્યો છે.

Heritage Minal Vav : વીરપુરની મીનળવાવ ગંદકીથી ખદબદી રહી, જગ્યા સાથે બાળકના સ્તનપાનને લઈને લોકોની આસ્થા
Heritage Minal Vav : વીરપુરની મીનળવાવ ગંદકીથી ખદબદી રહી, જગ્યા સાથે બાળકના સ્તનપાનને લઈને લોકોની આસ્થા
રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલા યાત્રાધામ વીરપુરની પવિત્ર મીનળવાવ ગંદકીથી ભરપૂર

રાજકોટ : સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાની નજીક પાટણના મહારાણી મીનળદેવીએ બંધાવેલ પવિત્ર અને આસ્થા શ્રધ્ધા સાથે જોડાયેલ મીનળવાવ આવેલો છે. આ મીનળવાવ વીરપુર આવતા યાત્રાળુઓના આસ્થાનું પ્રતિક છે. આ વાવને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે તેમજ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી છે. પરંતુ આ મીનળવાવમાં છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે કચરા ગંદકીના ગંજ જમ્યા છે.

શું છે સમગ્ર મામલો : આ મીનળવાવ પવિત્ર વાવ નહીં પણ જાણે કચરા પેટી બની ગઈ હોય તેમ વાવના અંદરના ભાગમાં કચરો જમા થઈ રહ્યો છે. તેને લઈને વાવમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ ગંદકી અને કચરાઓ થતાં તેમજ જાળવણીના અભાવે અહીં પ્રવાસીઓ આ પવિત્ર મીનળવાવની મુલાકાત લેવાનું અને દર્શન કરવાનું ટાળે છે. જેથી જવાબદાર તંત્રે આવી પવિત્ર જગ્યાની યોગ્ય જાળવણી કરી પોતાની જવાબદારી નિભાવે તેવી માંગ ઉઠી છે.

સ્થાનિકોનું શું કહેવું છે : આ અંગે વીરપુર ગામના સ્થાનિક વેપારી આગેવાન રમેશ ગઢીયાએ જણાવ્યું છે કે, માતા મીનળદેવીની વાવ વીરપુર જલારામ ખાતે આવેલી છે. જેને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. આ મીનળદેવીની વાવની અંદર અઢળક કચરો એકત્ર થઈ ચૂક્યો છે. જે કચરાને સફાઈ કરવા માટે તેમજ આ વાવની ફરતે જાળવણી માટેની જાળીઓ ફીટ કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. જેથી આ પવિત્ર વાવની અંદર કચરો ન ફેલાય અને ગંદકી પણ ના વધે એવું જણાવ્યું છે.

મીનળવાવ દેવી
મીનળવાવ દેવી

બાળક માટે માનતાનું કેન્દ્ર : આ મીનળવાવ વિશેની વધુ વાત કરતાં તેમને જણાવ્યું છે કે, આ જગ્યા એક પવિત્ર જગ્યા છે જે આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે. ક્યારે કોઈ નાનું બાળક સ્તનપાન ન કરતું હોય તો બાળકની માતાના બ્લાઉઝની અહીં માનતા કરવામાં આવે છે. જે આસ્થા પ્રમાણે તરત બાળક સ્તનપાન શરૂ કરે છે. તેવી 5 અહી આસ્થા છે અને જ્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, ત્યારબાદ અહીં બાળકની માતાનું બ્લાઉઝ ચડવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ લેવા માટે અહી શ્રદ્ધાળુઓ આવે છે.

આ પણ વાંચો : Kutch Forest Appeal : વિશાળ જમીન પર પથરાયેલા રક્ષક વનમાં ગંદકી ન કરવા કચ્છ વનવિભાગની અપીલ

વાવ ગંદકી તરફ ધકેલાઈ : મીનળદેવીની પવિત્ર વાવને લઈને ગ્રામ પંચાયતના સદસ્ય કેશુ મેરે જણાવ્યું છે કે, યાત્રાધામ વિરપુર જલારામ ધામ જે સમગ્ર વિશ્વની અંદર જગ વિખ્યાત છે. આ ધામમાં માતા મીનળદેવીની એક પવિત્ર વાવ આવેલી છે. આ વાવ હાલ ખુલ્લી હાલતમાં છે અને તેમની દેખરેખ હાલ પુરાતન વિભાગ સોંપવામાં આવેલી છે. અહીં જાળવણીના અભાવે આસપાસના વિસ્તારના લોકો તેમજ હવામાંથી ઊડીને આવતો કચરો આ પવિત્ર વાવના જળમાં એકત્રિત થઈ રહ્યો છે. વાવ ગંદકી તરફ ધકેલાઈ રહી છે. જેથી જવાબદાર તંત્ર આ બાબતે જાળવણી સંપૂર્ણ રીતે કરે અને પોતાની જવાબદારી નિભાવે જેથી અહીં આવતા યાત્રાળુઓ અને આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને આવવામાં અડચણરૂપ ન થાય તે માટેની તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવી જોઈએ તેવું જણાવ્યું છે.

મીનળવાવ
મીનળવાવ

આ પણ વાંચો : Surat News: જાહેરમાં થૂંકીને સુરતની 'સૂરત' બગાડનારાઓ સામે લાલઆંખ, 18,000 લોકોને 2 લાખનો દંડ

પૌરાણિક રાજાશાહી વખતની જગ્યા : આ અંગે વીરપુરના સ્થાનિક આગેવાનો તેમજ સરપંચ દ્વારા વાવના ઉપરના ભાગમાં જો તંત્ર દ્વારા જાળી કે ગ્રીલ ફિટ કરવામાં આવે અને જાળવણી યોગ્ય રીતે કાયમી કરવામાં આવે તો આ અગિયારમી સદીની પૌરાણિક રાજાશાહી વખતની પવિત્ર વાવને સ્વચ્છ રાખી શકાય તેમ છે. અહીં વીરપુર આવતા પ્રવાસીઓ આ મીનળવાવની વધુને વધુ મુલાકાત લે તેવા પ્રયાસો થઈ શકે તેમ છે. તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, આવી પવિત્ર જગ્યા કે જેને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક હેરિટેજ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. તેની જવાબદારી તંત્રે ક્યારે લેશે તે આવનાર સમયમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ તો આ ગંદકીને લઈને અહીં આ પવિત્ર જગ્યા ખાતે દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે.

રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલા યાત્રાધામ વીરપુરની પવિત્ર મીનળવાવ ગંદકીથી ભરપૂર

રાજકોટ : સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાની નજીક પાટણના મહારાણી મીનળદેવીએ બંધાવેલ પવિત્ર અને આસ્થા શ્રધ્ધા સાથે જોડાયેલ મીનળવાવ આવેલો છે. આ મીનળવાવ વીરપુર આવતા યાત્રાળુઓના આસ્થાનું પ્રતિક છે. આ વાવને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે તેમજ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી છે. પરંતુ આ મીનળવાવમાં છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે કચરા ગંદકીના ગંજ જમ્યા છે.

શું છે સમગ્ર મામલો : આ મીનળવાવ પવિત્ર વાવ નહીં પણ જાણે કચરા પેટી બની ગઈ હોય તેમ વાવના અંદરના ભાગમાં કચરો જમા થઈ રહ્યો છે. તેને લઈને વાવમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ ગંદકી અને કચરાઓ થતાં તેમજ જાળવણીના અભાવે અહીં પ્રવાસીઓ આ પવિત્ર મીનળવાવની મુલાકાત લેવાનું અને દર્શન કરવાનું ટાળે છે. જેથી જવાબદાર તંત્રે આવી પવિત્ર જગ્યાની યોગ્ય જાળવણી કરી પોતાની જવાબદારી નિભાવે તેવી માંગ ઉઠી છે.

સ્થાનિકોનું શું કહેવું છે : આ અંગે વીરપુર ગામના સ્થાનિક વેપારી આગેવાન રમેશ ગઢીયાએ જણાવ્યું છે કે, માતા મીનળદેવીની વાવ વીરપુર જલારામ ખાતે આવેલી છે. જેને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. આ મીનળદેવીની વાવની અંદર અઢળક કચરો એકત્ર થઈ ચૂક્યો છે. જે કચરાને સફાઈ કરવા માટે તેમજ આ વાવની ફરતે જાળવણી માટેની જાળીઓ ફીટ કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. જેથી આ પવિત્ર વાવની અંદર કચરો ન ફેલાય અને ગંદકી પણ ના વધે એવું જણાવ્યું છે.

મીનળવાવ દેવી
મીનળવાવ દેવી

બાળક માટે માનતાનું કેન્દ્ર : આ મીનળવાવ વિશેની વધુ વાત કરતાં તેમને જણાવ્યું છે કે, આ જગ્યા એક પવિત્ર જગ્યા છે જે આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે. ક્યારે કોઈ નાનું બાળક સ્તનપાન ન કરતું હોય તો બાળકની માતાના બ્લાઉઝની અહીં માનતા કરવામાં આવે છે. જે આસ્થા પ્રમાણે તરત બાળક સ્તનપાન શરૂ કરે છે. તેવી 5 અહી આસ્થા છે અને જ્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે, ત્યારબાદ અહીં બાળકની માતાનું બ્લાઉઝ ચડવામાં આવે છે અને માતાજીના આશીર્વાદ લેવા માટે અહી શ્રદ્ધાળુઓ આવે છે.

આ પણ વાંચો : Kutch Forest Appeal : વિશાળ જમીન પર પથરાયેલા રક્ષક વનમાં ગંદકી ન કરવા કચ્છ વનવિભાગની અપીલ

વાવ ગંદકી તરફ ધકેલાઈ : મીનળદેવીની પવિત્ર વાવને લઈને ગ્રામ પંચાયતના સદસ્ય કેશુ મેરે જણાવ્યું છે કે, યાત્રાધામ વિરપુર જલારામ ધામ જે સમગ્ર વિશ્વની અંદર જગ વિખ્યાત છે. આ ધામમાં માતા મીનળદેવીની એક પવિત્ર વાવ આવેલી છે. આ વાવ હાલ ખુલ્લી હાલતમાં છે અને તેમની દેખરેખ હાલ પુરાતન વિભાગ સોંપવામાં આવેલી છે. અહીં જાળવણીના અભાવે આસપાસના વિસ્તારના લોકો તેમજ હવામાંથી ઊડીને આવતો કચરો આ પવિત્ર વાવના જળમાં એકત્રિત થઈ રહ્યો છે. વાવ ગંદકી તરફ ધકેલાઈ રહી છે. જેથી જવાબદાર તંત્ર આ બાબતે જાળવણી સંપૂર્ણ રીતે કરે અને પોતાની જવાબદારી નિભાવે જેથી અહીં આવતા યાત્રાળુઓ અને આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને આવવામાં અડચણરૂપ ન થાય તે માટેની તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવી જોઈએ તેવું જણાવ્યું છે.

મીનળવાવ
મીનળવાવ

આ પણ વાંચો : Surat News: જાહેરમાં થૂંકીને સુરતની 'સૂરત' બગાડનારાઓ સામે લાલઆંખ, 18,000 લોકોને 2 લાખનો દંડ

પૌરાણિક રાજાશાહી વખતની જગ્યા : આ અંગે વીરપુરના સ્થાનિક આગેવાનો તેમજ સરપંચ દ્વારા વાવના ઉપરના ભાગમાં જો તંત્ર દ્વારા જાળી કે ગ્રીલ ફિટ કરવામાં આવે અને જાળવણી યોગ્ય રીતે કાયમી કરવામાં આવે તો આ અગિયારમી સદીની પૌરાણિક રાજાશાહી વખતની પવિત્ર વાવને સ્વચ્છ રાખી શકાય તેમ છે. અહીં વીરપુર આવતા પ્રવાસીઓ આ મીનળવાવની વધુને વધુ મુલાકાત લે તેવા પ્રયાસો થઈ શકે તેમ છે. તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, આવી પવિત્ર જગ્યા કે જેને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક હેરિટેજ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. તેની જવાબદારી તંત્રે ક્યારે લેશે તે આવનાર સમયમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ તો આ ગંદકીને લઈને અહીં આ પવિત્ર જગ્યા ખાતે દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે.

Last Updated : Apr 26, 2023, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.