ETV Bharat / state

272 CRP સ્કોર, 80 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા છતાં 5 દિવસમાં આપી કોરોનાને મ્હાત

author img

By

Published : May 4, 2021, 11:09 AM IST

રાજકોટમાં જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સધ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રા ખાચરને કોરોનાનું સંક્રમણ ખુબ વધી ગયું હતું. તેમનો સી. આર. પી. સ્કોર 272, ડી ડાઇમર 4200 અને સી.ટી.સ્કેનનો સ્કોર 18 હતો. ત્રણ એમ .ડી. ડૉક્ટર્સે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી હતી. ત્યારે સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ અને ચંદ્રાના વિધેયાત્મક વલણને લીધે સ્વસ્થ થયા હતા.

50 વર્ષના ચંદ્રા ખાચર
50 વર્ષના ચંદ્રા ખાચર
  • કોરોનાને હરાવવા રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ
  • રાજકોટ બેડ મળતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા
  • 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રા ક્લોટ થઇ ગયા હતા

રાજકોટ : કોરોનાને હરાવવામાં રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે. એમ જસદણ તાલુકાના ગામડાની હાઇ રિસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સધ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રા ખાચરને કોરોનાનું સંક્રમણ ખુબ વધી ગયું હતું. તેમનો સી. આર. પી. સ્કોર 272, ડી ડાઇમર 4200 અને સી.ટી.સ્કેનનો સ્કોર 18 હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટ બેડ મળતો ન હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા. જયાં ત્રણ એમ .ડી. ડૉક્ટર્સે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ABVP દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા, 47થી વધુ ઘર થયા કોરોનામુક્ત
‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’
હારી-થાકીને તેમના પરિવારજનો ‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’ એમ નક્કી કરીને ચંદ્રાને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા હતા. જયાં આ સેન્ટરના ડૉક્ટરો દ્વારા સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત ન હારેલા ચંદ્રા સારવાર શરૂ કરી હતી.

આ પણ વાંચો : ધરમપુર નગરમાં આયુર્વેદ થકી અનેકને સાજા કરનાર તબીબ કોરોનાથી જિંદગી હાર્યા

12 દિવસની તબીબી મથામણ પછી અમે તેમને મોતના મુખમાંથી પરત આવ્યા

ડૉ. ધવલ જણાવ્યું હતું કે, ચંદ્રાને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે નસ પકડવાની ટ્રાય કરી હતી. ત્યાં જ 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રા ક્લોટ થઇ ગયા હતા. પરંતુ તેઓે હિંમત હાર્યા ન હતા. સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ અને ચંદ્રાના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ સીગ્નલ્સ મળવા મંડયા હતા. સતત 12 દિવસની તબીબી મથામણ પછી અમે તેમને મોતના મુખમાંથી પરત લાવી શક્યા હતા અને તેઓ સંપૂર્ણપણે કોરોનામુકત થઇ શકયા હતા.

  • કોરોનાને હરાવવા રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ
  • રાજકોટ બેડ મળતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા
  • 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રા ક્લોટ થઇ ગયા હતા

રાજકોટ : કોરોનાને હરાવવામાં રાજયસરકારની ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પણ પૂરતી સક્ષમ છે. એમ જસદણ તાલુકાના ગામડાની હાઇ રિસ્ક મહિલાએ સાબિત કરી આપ્યું છે. જસદણ તાલુકાના આણંદપુર ગામના પૈસે-ટકે ખૂબ સધ્ધર એવા 50 વર્ષની ઉંમરના ચંદ્રા ખાચરને કોરોનાનું સંક્રમણ ખુબ વધી ગયું હતું. તેમનો સી. આર. પી. સ્કોર 272, ડી ડાઇમર 4200 અને સી.ટી.સ્કેનનો સ્કોર 18 હતો. અતિ ગંભીર કહી શકાય એવા આ દર્દીને રાજકોટ બેડ મળતો ન હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા. જયાં ત્રણ એમ .ડી. ડૉક્ટર્સે તેમનો કેસ ફેઇલ ગણાવીને સારવાર કરવાની જ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ABVP દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા, 47થી વધુ ઘર થયા કોરોનામુક્ત
‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’
હારી-થાકીને તેમના પરિવારજનો ‘‘જીવવું તો ગામમાં, મરવું તો ગામમાં’’ એમ નક્કી કરીને ચંદ્રાને વીરનગરના ડેડિકેટેડ કોવિડ હેલ્થ કેર સેન્ટર ખાતે લઇ આવ્યા હતા. જયાં આ સેન્ટરના ડૉક્ટરો દ્વારા સાવ નંખાઇ ગયેલા, પણ મનથી જરાય હિંમત ન હારેલા ચંદ્રા સારવાર શરૂ કરી હતી.

આ પણ વાંચો : ધરમપુર નગરમાં આયુર્વેદ થકી અનેકને સાજા કરનાર તબીબ કોરોનાથી જિંદગી હાર્યા

12 દિવસની તબીબી મથામણ પછી અમે તેમને મોતના મુખમાંથી પરત આવ્યા

ડૉ. ધવલ જણાવ્યું હતું કે, ચંદ્રાને ગ્લુકોઝની બોટલ ચડાવવા માટે નસ પકડવાની ટ્રાય કરી હતી. ત્યાં જ 4200 ડી ડાઇમરને લીધે ચંદ્રા ક્લોટ થઇ ગયા હતા. પરંતુ તેઓે હિંમત હાર્યા ન હતા. સવાર-સાંજના અડધી કલાકના મહામુત્યુંજય મંત્રના જાપ, સતત કાઉન્સેલિંગ અને ચંદ્રાના વિધેયાત્મક વલણને લીધે ત્રીજા દિવસથી અમને પોઝિટિવ સીગ્નલ્સ મળવા મંડયા હતા. સતત 12 દિવસની તબીબી મથામણ પછી અમે તેમને મોતના મુખમાંથી પરત લાવી શક્યા હતા અને તેઓ સંપૂર્ણપણે કોરોનામુકત થઇ શકયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.