રાજકોટમાં મહાનગપાલિકા દ્વારા આગામી દિવસોમાં વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત મધ્યમ અને પછાતવર્ગના લોકોને પોષાય તેવી કિંમતના કુલ 2176 જેટલા આવસનું અલગ અલગ જગ્યાએ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ICICI બેંક અને મનપાના 6 જેટલા સિવિક સેન્ટર ખાતેથી આ આવાસ યોજના માટેના ફોર્મનું વિતરણ શરૂ કરાયું છે.
જે આગામી એક માસ સુધી ચાલનાર છે. પરંતુ આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ થયાની વાત વાયુ વેગે ફેલાતા અલગ અલગ વિસ્તારમાં આવેલ ICICI બેંક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાનો કામ ધંધો પડતો મૂકીને આવાસ યોજના માટેની ફોર્મની લાઈનમાં ઉભા રહી ગયા છે.