ETV Bharat / state

રાજકોટમાંથી 8 જિલ્લાઓમાં થશે કોરોના વેકસીન સપ્લાય, 77000 ડોઝ આવ્યા - રાજકોટમાં કોરોના વેક્સીન

કોરોના વેક્સીનનું રાજકોટમાં આગમન થયું છે, ત્યારે રાજકોટવાસીઓમાં અનેરા આનંદ સાથે આ વેક્સીનની 8 જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવી હતી.

corona-vaccine-will-be-supplied-to-8-districts-from-rajkot
રાજકોટમાંથી 8 જિલ્લાઓમાં થશે કોરોના વેકસીન સપ્લાય
author img

By

Published : Jan 13, 2021, 9:35 AM IST

Updated : Jan 13, 2021, 10:01 AM IST

રાજકોટઃ દેશવાસીઓ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે કોરોના વેકસીનનું આજે (બુધવાર) સવારે રાજકોટ ખાતે આગમન થયું છે. જેને હાલ રાજકોટના વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવી છે. આ વેકસીન સ્ટોર ખાતેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોના વેકસીન મોકલવામાં આવશે. આ કોરોના વેકસીન સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવામાં આવી છે.

રાજકોટમાંથી 8 જિલ્લાઓમાં થશે કોરોના વેકસીન સપ્લાય

સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં જશે વેકસીન

રાજકોટ ખાતે આવેલી કોરોના વેકસીન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં મોકલવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લામાં 9000 ડોઝ , રાજકોટ શહેરમાં 16500 ડોઝ, જામનગરમાં 5000 ડોઝ, જામનગર શહેરમાં 9000 ડોઝ, દેવભૂમિ દ્વારકામાં 4500 ડોઝ, પોરબંદરમાં 4000 ડોઝ, મોરબીમાં 5000 ડોઝ, ક્ચ્છ જિલ્લામાં 16000 ડોઝ મોકવામાં આવશે.

વેક્સીન માટે 2 થી 8 ડીગ્રી સે. તાપમાન જાળવી રખાશે

રાજકોટ વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવેલી કોરોના વેકસીનને હાલ 2થી 8 ડીગ્રી સે. તાપમાન જળવાઈ રહે તે પ્રમાણે રાકજવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પણ આજ રીતે વેકસીન માટેનું તાપમાન જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

રાજકોટઃ દેશવાસીઓ જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે કોરોના વેકસીનનું આજે (બુધવાર) સવારે રાજકોટ ખાતે આગમન થયું છે. જેને હાલ રાજકોટના વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવી છે. આ વેકસીન સ્ટોર ખાતેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોના વેકસીન મોકલવામાં આવશે. આ કોરોના વેકસીન સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવામાં આવી છે.

રાજકોટમાંથી 8 જિલ્લાઓમાં થશે કોરોના વેકસીન સપ્લાય

સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં જશે વેકસીન

રાજકોટ ખાતે આવેલી કોરોના વેકસીન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં મોકલવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લામાં 9000 ડોઝ , રાજકોટ શહેરમાં 16500 ડોઝ, જામનગરમાં 5000 ડોઝ, જામનગર શહેરમાં 9000 ડોઝ, દેવભૂમિ દ્વારકામાં 4500 ડોઝ, પોરબંદરમાં 4000 ડોઝ, મોરબીમાં 5000 ડોઝ, ક્ચ્છ જિલ્લામાં 16000 ડોઝ મોકવામાં આવશે.

વેક્સીન માટે 2 થી 8 ડીગ્રી સે. તાપમાન જાળવી રખાશે

રાજકોટ વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવેલી કોરોના વેકસીનને હાલ 2થી 8 ડીગ્રી સે. તાપમાન જળવાઈ રહે તે પ્રમાણે રાકજવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પણ આજ રીતે વેકસીન માટેનું તાપમાન જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Last Updated : Jan 13, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.