ETV Bharat / state

પોરબંદરમાં પરિણિતાની હત્યા, મૃતકના પિતાએ 4 લોકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ - murde

પોરબંદરઃ શહેરની લોટ્સ હોટેલ સામેના વિસ્તારમાં પરિણિતાની કોઈ બોથડ પદાર્થ વડે કરપીણ હત્યા કરાઇ હતી. જે મામલે મૃતકના પિતાએ મૃતકના પતિ પ્રશાંત ચોલેરા, પિતા રાજુભાઇ કાંતિલાલ ચોલેરા, સાસુ કામિનીબેન તથા નણંદ પૂજાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

પોરબંદરમાં પરિણીતાની બોથડ પદાર્થ વડે કરપીણ હત્યા
author img

By

Published : Jul 17, 2019, 10:24 AM IST

Updated : Jul 17, 2019, 12:52 PM IST

શહેરમાં વૈશાલીબેન પ્રશાંતભાઈ ચોલેરા સીડી પરથી પડી ગયા હોવાનું જણાવી તેના પતિ પ્રશાંતભાઈ અને અન્ય સાસરીયાઓએ 108ની મદદ માગતા ટીમ દોડી આવી હતી, અને વૈશાલીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આથી વૈશાલીના સસરાએ વૈશાલીના પિતા ભગવાનજી હરિદાસ ગોકાણીને ફોન કરીને જણાવ્યું હતું, કે તમારી દીકરી સીડી પરથી પડી ગઈ છે. તાત્કાલિક પોરબંદર આવો આથી તેના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતદેહની હાલત જોતા તેના માથાના ભાગે ત્રણ જગ્યાએ ઊંડા ઘા માર્યા હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું.

ઉપરાંત શરીર અને ગળા પર નખના નિશાન પણ જોવા મળ્યા હતા, આમ વૈશાલીના પિતા એ તેના સાસરિયાઓએ જ વૈશાલીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. વૈશાલી અને પ્રશાંતના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતા, અને તેઓ આફ્રિકા જ રહેતા હતા. ચારેક વર્ષ પહેલાં જ પોરબંદરમાં સ્થાયી થયા હતા. તેમને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અંશ છે, વૈશાલી અને પ્રશાંત વચ્ચે અનેકવાર ઝઘડાઓ થતા અને અનેકવાર સમાધાન કરાવ્યા હોવાનું પણ વૈશાલીના પિતાએ જણાવ્યું હતું.

શહેરમાં વૈશાલીબેન પ્રશાંતભાઈ ચોલેરા સીડી પરથી પડી ગયા હોવાનું જણાવી તેના પતિ પ્રશાંતભાઈ અને અન્ય સાસરીયાઓએ 108ની મદદ માગતા ટીમ દોડી આવી હતી, અને વૈશાલીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આથી વૈશાલીના સસરાએ વૈશાલીના પિતા ભગવાનજી હરિદાસ ગોકાણીને ફોન કરીને જણાવ્યું હતું, કે તમારી દીકરી સીડી પરથી પડી ગઈ છે. તાત્કાલિક પોરબંદર આવો આથી તેના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતદેહની હાલત જોતા તેના માથાના ભાગે ત્રણ જગ્યાએ ઊંડા ઘા માર્યા હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું.

ઉપરાંત શરીર અને ગળા પર નખના નિશાન પણ જોવા મળ્યા હતા, આમ વૈશાલીના પિતા એ તેના સાસરિયાઓએ જ વૈશાલીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. વૈશાલી અને પ્રશાંતના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતા, અને તેઓ આફ્રિકા જ રહેતા હતા. ચારેક વર્ષ પહેલાં જ પોરબંદરમાં સ્થાયી થયા હતા. તેમને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અંશ છે, વૈશાલી અને પ્રશાંત વચ્ચે અનેકવાર ઝઘડાઓ થતા અને અનેકવાર સમાધાન કરાવ્યા હોવાનું પણ વૈશાલીના પિતાએ જણાવ્યું હતું.

Intro:પોરબંદરમાં પરિણીતાની હત્યા




પોરબંદરમાં લોટસ હોટેલ સામેના વિસ્તારમાં રહેતા વૈશાલીબેન પ્રશાંતભાઈ ચોલેરા નામની પરણિતા કોઈ બોથડ પદાર્થ વડે કરપીણ હત્યા કરાઇ હતી જે મામલે મૃતક વૈશાલીબેન ના પિતા એ મૃતકના પતિ પ્રશાંત ચોલેરા પ્રશાંત ના પિતા રાજુભાઇ કાંતિલાલ ચોલેરા ,સાસુ કામિનીબેન તથા નણંદ પૂજાબેન વગેરે સામે ફરિયાદ નોંધાવી છે

પોરબંદરમાં આજે સવારે વૈશાલીબેન પ્રશાંતભાઈ ચોલેરા સીડી પરથી પડી ગયા હોવાનું જણાવી તેના પતિ પ્રશાંત ભાઈ અને અન્ય સાસરીયા હોય 108 ની મદદ માંગતા 108ની ટીમ દોડી ગઇ હતી અને વૈશાલી બેન હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા આથી વૈશાલીબેન ના સસરાએ વૈશાલી બેન ના પીકા બીપી પાટિયામાં રહેતા ભગવાનજી હરિદાસ ગોકાણી ને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી દીકરી સીડી પરથી પડી ગઈ છે તાત્કાલિક પોરબંદર આવો આથી તેના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં લાશ ની સ્થિતિ જોતા એના માથાના ભાગે ત્રણ જગ્યાએ ઊંડા ઘા માર્યા હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું ઉપરાંત શરીર પર નખ ના નિશાન પણ ગળામાં જોવા મળ્યા હતા આમ વૈશાલી ના પિતા એ તેના સાસરિયાઓએ જ વૈશાલી ની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું જ્યારે આ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતીBody:વૈશાલીબેન અને પ્રશાંત ભાઈ ના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતા અને અગાઉ તેઓ આફ્રિકા જ રહેતા હતા અને ચારેક વર્ષ પહેલાં જ પોરબંદર સ્થાયી થયા હતા અને તેમને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અંશ છે વૈશાલીબેન અને પ્રશાંત ભાઈ વચ્ચે અનેકવાર ઝઘડાઓ થતા અને અનેકવાર સમાધાન કરાવ્યા હોવાનું પણ વૈશાલીબેનના પિતાએ જણાવ્યું હતું Conclusion:
Last Updated : Jul 17, 2019, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.