પોરબંદર: વિશ્વભરમાં કોરોનાનો કહેર વર્તાયો છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે, આ દરમિયાન તેના પરિવારજનોને અથવા અન્ય કોઇપણ વ્યક્તિઓને મળવા દેવામાં આવતા નથી એવા સમયમાં જ્યારે રક્ષાબંધનનો દિવસ હોય, ત્યારે બહેન રાખડી બાંધી ન શકતા કોરોના પોઝિટિવના દર્દીઓની બહેનોએ આપેલી રાખડી પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ આઇસોલેશન વિભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને બાંધી હતી.
![કોરોના પોઝિટિવ દર્દીઓને મહિલા નર્સે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06:07:05:1596458225_gj-pbr-02-corona-patient-celebration-rakshabandhan-10018_03082020175409_0308f_1596457449_296.jpg)
રાખડી બાંધતા સમયે દર્દીઓને મજબૂત મનોબળ સાથે કોરોનાને માત આપે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ તહેવારના દિવસે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે, ત્યારે તમામ દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ જિલ્લા વહિવટી તંત્રના દ્વારા આ પવિત્ર તહેવારમાં જલદી સાજા થઇ જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.