પાટણ : જિલ્લા મેજીસ્ટ્રેટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પાટણ શહેરના રખતાવાડો, પટણી વાસ, સાંચોરી વાસ તેમજ રસ્તાની આસપાસના પટણી વાસના સમગ્ર વિસ્તારમાં મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજવસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કોઈપણ વ્યક્તિને જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું તારીખ 15 મે થી તારીખ 29 મે સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.સરકારી ફરજ ,હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર છે તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર/રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે.