ETV Bharat / state

ગાંધીજયંતિ નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ

author img

By

Published : Oct 2, 2020, 8:11 AM IST

Updated : Oct 2, 2020, 8:36 AM IST

પાટણ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને જીલીયા આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈએ ગાંધીજીના સંસ્મરણો વાગોળી આજના યુવાનોને વ્યસન મુક્ત બની ગાંધીજીના વિચારોનું અનુકરણ કરવાનો સંદેશો આપ્યો છે.

ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ
ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ

પાટણઃ મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીના આદર્શોને જીવન પર્યત મૂર્તિમંત કરનારા પૂર્વ ધારાસભ્ય અને જીલીયા આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈએ ગાંધીજીના સંસ્મરણો વાગોળી આજના યુવાનોને વ્યસન મુક્ત બની દેશદાઝ સાથે ગાંધીજીના વિચારોનું અનુકરણ કરવાનો સંદેશો આપ્યો છે.

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બની સેવા દળમાં જોડાઇ 85 વર્ષની ઉંમરે પહોંચેલા માલજીભાઈ દેસાઈએ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે Etv Bharat ભારત સાથે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 55 વર્ષથી ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારી તેનું અનુકરણ કરી રહ્યા છે અને ગાંધીજીના નાતજાત કે ધર્મના વાડાઓથી પર રહેવાના વિચારો પર અડગ રહી લોકસેવાના કાર્યોને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા છે.

ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ

જાહેર જીવનમાં પણ આજ નીતિને વળગી તેઓ આગળ વધી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે. જે ખરેખર દેશ માટે નુકસાનકારક છે. ગાંધીજી વ્યસનોના સખત વિરોધી હતા, ત્યારે યુવાનો વ્યસનથી દૂર રહી અને દેશ સેવા, સમાજ સેવામાં પોતાનું યોગદાન આપે તેઓ સંદેશો આપ્યો હતો.

ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ
ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ
ગાંધી જયંતિની ઉજવણી વિશે પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં પાટણ શહેરમાં સતત એક સપ્તાહ સુધી ગાંધી જયંતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હતા. ગાંધીજીની પાટણ મુલાકાત ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, 1921 ની 12મી જૂને ગાંધીજી પાટણ ખાતે આવ્યા હતા અને ડૉક્ટર પંડ્યા અભ્યાસ ગૃહમાં મહિલા સંમેલન સંબોધી અંગ્રેજોની નાગચૂડમાંથી છૂટવા આઝાદીનો મંત્ર આપ્યો હતો. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બનેલા માલજીભાઈ દેસાઈએ ઝીલિયા ખાતે 1964માં ગાંધી આશ્રમની સ્થાપના કરી શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. હાલમાં આ સંસ્થા એક વટવૃક્ષ બની છે અને 10થી વધુ શાળા-કોલેજો સંસ્થાની દેખરેખ હેઠળ ચાલી રહી છે.પાટણ જિલ્લામાં ગાંધી વિચારધારાની જ્યોત પ્રગટાવનારા ચુસ્ત ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ આજે 85 વર્ષની ઉંમરે પણ અડીખમ યોદ્ધાની જેમ ગાંધી વિચારધારાનો ફેલાવો કરી રહ્યા છે.

પાટણઃ મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીના આદર્શોને જીવન પર્યત મૂર્તિમંત કરનારા પૂર્વ ધારાસભ્ય અને જીલીયા આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈએ ગાંધીજીના સંસ્મરણો વાગોળી આજના યુવાનોને વ્યસન મુક્ત બની દેશદાઝ સાથે ગાંધીજીના વિચારોનું અનુકરણ કરવાનો સંદેશો આપ્યો છે.

ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બની સેવા દળમાં જોડાઇ 85 વર્ષની ઉંમરે પહોંચેલા માલજીભાઈ દેસાઈએ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે Etv Bharat ભારત સાથે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 55 વર્ષથી ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારી તેનું અનુકરણ કરી રહ્યા છે અને ગાંધીજીના નાતજાત કે ધર્મના વાડાઓથી પર રહેવાના વિચારો પર અડગ રહી લોકસેવાના કાર્યોને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા છે.

ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ

જાહેર જીવનમાં પણ આજ નીતિને વળગી તેઓ આગળ વધી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે. જે ખરેખર દેશ માટે નુકસાનકારક છે. ગાંધીજી વ્યસનોના સખત વિરોધી હતા, ત્યારે યુવાનો વ્યસનથી દૂર રહી અને દેશ સેવા, સમાજ સેવામાં પોતાનું યોગદાન આપે તેઓ સંદેશો આપ્યો હતો.

ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ
ગાંધીજયંતી નિમિત્તે વ્યસનોથી મુક્ત થવા ગાંધી સેવકનો સંદેશ
ગાંધી જયંતિની ઉજવણી વિશે પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં પાટણ શહેરમાં સતત એક સપ્તાહ સુધી ગાંધી જયંતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હતા. ગાંધીજીની પાટણ મુલાકાત ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, 1921 ની 12મી જૂને ગાંધીજી પાટણ ખાતે આવ્યા હતા અને ડૉક્ટર પંડ્યા અભ્યાસ ગૃહમાં મહિલા સંમેલન સંબોધી અંગ્રેજોની નાગચૂડમાંથી છૂટવા આઝાદીનો મંત્ર આપ્યો હતો. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બનેલા માલજીભાઈ દેસાઈએ ઝીલિયા ખાતે 1964માં ગાંધી આશ્રમની સ્થાપના કરી શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. હાલમાં આ સંસ્થા એક વટવૃક્ષ બની છે અને 10થી વધુ શાળા-કોલેજો સંસ્થાની દેખરેખ હેઠળ ચાલી રહી છે.પાટણ જિલ્લામાં ગાંધી વિચારધારાની જ્યોત પ્રગટાવનારા ચુસ્ત ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ આજે 85 વર્ષની ઉંમરે પણ અડીખમ યોદ્ધાની જેમ ગાંધી વિચારધારાનો ફેલાવો કરી રહ્યા છે.
Last Updated : Oct 2, 2020, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.