ETV Bharat / state

દુર્ઘટના ન સર્જાય તે માટે પાટણમાં જર્જરીત મકાનનોને કરાયા જમીન દોસ્ત - Stripping the house

પાટણઃ ચોમાસામાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. પાટણ શહેરમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાટણ નગરપાલિકાએ સાવચેતીનાં પગલા ભર્યા છે. જેને લઇને પાટણ પાલિકાએ આવા જુના મકાનોને પોલીસ બંદોબસ્ત સાથે ઉતારી લેવાની કામગીરી શરુ કરી છે.

દુર્ઘટના ન સર્જાય તે માટે પાટણમાં ભયજનક મકાન ઉતારી લેવાયા
author img

By

Published : Jul 2, 2019, 1:14 AM IST

ચોમાસાની ઋતુને અનુલક્ષીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જુનાગંજ બજાર, નાગરવાડા અને સુભાષ ચોક તરફ જવાના માર્ગ વર્ષો જુના અને જર્જરિત મકાનો પડવાની પરીસ્થિતીમાં છે. જેને ઉતારી લેવા જાગૃત નાગરીકોએ નગરપાલિકામાં રજુઆતો કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી.

જર્જરીત મકાનનોને કરાયા જમીન દોસ્ત

ચોમાસા પહેલા તંત્રની આંખ ખુલે છે. પ્રાંત અધિકારીની સુચનાથી આ મકાનોને ઉતારી લીધા છે. આગામી દિવસોમાં આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ કરાશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

ચોમાસાની ઋતુને અનુલક્ષીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જુનાગંજ બજાર, નાગરવાડા અને સુભાષ ચોક તરફ જવાના માર્ગ વર્ષો જુના અને જર્જરિત મકાનો પડવાની પરીસ્થિતીમાં છે. જેને ઉતારી લેવા જાગૃત નાગરીકોએ નગરપાલિકામાં રજુઆતો કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી.

જર્જરીત મકાનનોને કરાયા જમીન દોસ્ત

ચોમાસા પહેલા તંત્રની આંખ ખુલે છે. પ્રાંત અધિકારીની સુચનાથી આ મકાનોને ઉતારી લીધા છે. આગામી દિવસોમાં આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ કરાશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

Intro:ચોમાસાની ઋતુને અનુલક્ષી ને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જર્જરિત થઈ ગયેલા ભયજનક મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરી છે.જુનાગંજ બઝારમાં આવેલ વર્ષો જુના ભયજનક મકાનને પોલીસ બંદોબસ્ત સાથે ઉતારવાની કામગીરી હાથ ધરી છે.


Body:શહેરના જુનાગંજ થી નાગરવાડા અને સુભાષ ચોક તરફ જવાના માર્ગ પર આવેલ વર્ષો જુના અને જર્જરિત મકાન પડવાના વાંકે ઉભું હતું.આ મકાન ઉતારી લેવા માટે છેલ્લા કેટલા વર્ષો થી નગરપાલિકા મા સ્થાનિકો તેમજ શહેર ના જાગૃત લોકોએ નગર પાલિકાને અનેક રજૂઆતો કરી હતી. પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા આ મકાન ઉતારવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી.ત્યારે ચોમાસાની ઋતુ ને ધ્યાને લઇ ને પ્રાંત અધિકારી ની સૂચનાથી આ ભય જનક મકાન ઉતારી લેવાની કામગીરી પાલિકા તંત્ર એ હાથ ધરી છે.


Conclusion:શહેર ના જુનાગંજ બઝાર નુ વર્ષો જુનું મકાન ઉતારી લેતા અન્ય મિલકતદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ ઉપરાંત પાલિકા તંત્ર આગામી સમય મા મુખ્ય માર્ગો પરના અન્ય જર્જરિત મકાનો પણ ઉતારી લેશે.


બાઈટ 1 મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ નગરપાલિકા પાટણ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.